પશ્ચિમબંગાળમાં એક ફોટાને કારણે સર્જાયો વિવાદ, TMC વિધાયકના પગ દબાવતા હતા પંચાયત સદસ્ય


  • Published By :
  • Published Date : 2023-01-26 17:35:32

પશ્ચિમબંગાળમાં તૃણુમુલ કોંગ્રેસના અનેક વિધાયક પોતાના અજીબો ગરીબ હરકતોને કારણે અસિત મજૂમજાર હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. દીદીના સુરક્ષા કવચ કાર્યક્રમ દરમિયાન વિધાયકનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલા તેમના પગ દબાવી રહી છે. વીડિયો વાયરલ થતા જ અનેક સવાલો ઉભા થઈ ગયા હતા.

MLA Asit Majumdar

ફોટો અને વીડિયો થયો વાયરલ 

સોશિયલ મીડિયાના જમાનામાં એક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે પશ્ચિમબંગાળના તૃણુમુલ કોંગ્રેસના એક વિધાયકનો વીડિયો વાયરલ થયો છે. વિધાયક અસિત મજૂમદારનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા તેમના પગ દબાવી રહી છે. વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા ગ્રામ પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ પંચાયત સમિતિના સદસ્ય રૂમા પાલ વિધાયકના પગ દબાવી રહી છે. 


પગ દબાવતો ફોટો થયો હતો વાયરલ 

સ્થાનિય સૂત્રોના આધારે રૂમા પાલે પોતાના ફેસબુક પેજ પર એક તસ્વીર પોસ્ટ શેર કરી હતી. ફોટો વાયરલ થતા અસિત મજૂમદારે કહ્યું કે થોડા સમય પહેલા જ તેમના પગનું ઓપરેશન થયું છે. જ્યારે એ સુરક્ષા કવચ કાર્યક્રમથી પાછા આવી રહ્યા હતા તે દરમિયાન તેમના પગ પર કાંટો વાગ્યો હતો જેને કારણે પગમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારે રૂમાએ પગ દબાવવાનો આગ્રહ કર્યો હતો. 


રૂમાએ છોકરીના રૂપમાં પગ દબાવ્યા - રૂમા 

વીડિયો તેમજ ફોટો વાયરલ થતા રૂમા પાલે પણ પક્ષ મૂકતા કહ્યું કે અસિત મજૂમદાર મારા કરતા ધણા મોટા છે. મેં છોકરીના રૂપે તેમના પગ દબાવ્યા છે. અસિત મજૂમદારે કહ્યું કે રૂમાએ પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં નહીં પરંતુ છોકરીના રૂપમાં પગ દબાવ્યા છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.