પશ્ચિમબંગાળમાં એક ફોટાને કારણે સર્જાયો વિવાદ, TMC વિધાયકના પગ દબાવતા હતા પંચાયત સદસ્ય


  • Published By :
  • Published Date : 2023-01-26 17:35:32

પશ્ચિમબંગાળમાં તૃણુમુલ કોંગ્રેસના અનેક વિધાયક પોતાના અજીબો ગરીબ હરકતોને કારણે અસિત મજૂમજાર હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. દીદીના સુરક્ષા કવચ કાર્યક્રમ દરમિયાન વિધાયકનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલા તેમના પગ દબાવી રહી છે. વીડિયો વાયરલ થતા જ અનેક સવાલો ઉભા થઈ ગયા હતા.

MLA Asit Majumdar

ફોટો અને વીડિયો થયો વાયરલ 

સોશિયલ મીડિયાના જમાનામાં એક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે પશ્ચિમબંગાળના તૃણુમુલ કોંગ્રેસના એક વિધાયકનો વીડિયો વાયરલ થયો છે. વિધાયક અસિત મજૂમદારનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા તેમના પગ દબાવી રહી છે. વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા ગ્રામ પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ પંચાયત સમિતિના સદસ્ય રૂમા પાલ વિધાયકના પગ દબાવી રહી છે. 


પગ દબાવતો ફોટો થયો હતો વાયરલ 

સ્થાનિય સૂત્રોના આધારે રૂમા પાલે પોતાના ફેસબુક પેજ પર એક તસ્વીર પોસ્ટ શેર કરી હતી. ફોટો વાયરલ થતા અસિત મજૂમદારે કહ્યું કે થોડા સમય પહેલા જ તેમના પગનું ઓપરેશન થયું છે. જ્યારે એ સુરક્ષા કવચ કાર્યક્રમથી પાછા આવી રહ્યા હતા તે દરમિયાન તેમના પગ પર કાંટો વાગ્યો હતો જેને કારણે પગમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારે રૂમાએ પગ દબાવવાનો આગ્રહ કર્યો હતો. 


રૂમાએ છોકરીના રૂપમાં પગ દબાવ્યા - રૂમા 

વીડિયો તેમજ ફોટો વાયરલ થતા રૂમા પાલે પણ પક્ષ મૂકતા કહ્યું કે અસિત મજૂમદાર મારા કરતા ધણા મોટા છે. મેં છોકરીના રૂપે તેમના પગ દબાવ્યા છે. અસિત મજૂમદારે કહ્યું કે રૂમાએ પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં નહીં પરંતુ છોકરીના રૂપમાં પગ દબાવ્યા છે.      



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.