પશ્ચિમબંગાળમાં એક ફોટાને કારણે સર્જાયો વિવાદ, TMC વિધાયકના પગ દબાવતા હતા પંચાયત સદસ્ય


  • Published By :
  • Published Date : 2023-01-26 17:35:32

પશ્ચિમબંગાળમાં તૃણુમુલ કોંગ્રેસના અનેક વિધાયક પોતાના અજીબો ગરીબ હરકતોને કારણે અસિત મજૂમજાર હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. દીદીના સુરક્ષા કવચ કાર્યક્રમ દરમિયાન વિધાયકનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલા તેમના પગ દબાવી રહી છે. વીડિયો વાયરલ થતા જ અનેક સવાલો ઉભા થઈ ગયા હતા.

MLA Asit Majumdar

ફોટો અને વીડિયો થયો વાયરલ 

સોશિયલ મીડિયાના જમાનામાં એક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે પશ્ચિમબંગાળના તૃણુમુલ કોંગ્રેસના એક વિધાયકનો વીડિયો વાયરલ થયો છે. વિધાયક અસિત મજૂમદારનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા તેમના પગ દબાવી રહી છે. વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા ગ્રામ પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ પંચાયત સમિતિના સદસ્ય રૂમા પાલ વિધાયકના પગ દબાવી રહી છે. 


પગ દબાવતો ફોટો થયો હતો વાયરલ 

સ્થાનિય સૂત્રોના આધારે રૂમા પાલે પોતાના ફેસબુક પેજ પર એક તસ્વીર પોસ્ટ શેર કરી હતી. ફોટો વાયરલ થતા અસિત મજૂમદારે કહ્યું કે થોડા સમય પહેલા જ તેમના પગનું ઓપરેશન થયું છે. જ્યારે એ સુરક્ષા કવચ કાર્યક્રમથી પાછા આવી રહ્યા હતા તે દરમિયાન તેમના પગ પર કાંટો વાગ્યો હતો જેને કારણે પગમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારે રૂમાએ પગ દબાવવાનો આગ્રહ કર્યો હતો. 


રૂમાએ છોકરીના રૂપમાં પગ દબાવ્યા - રૂમા 

વીડિયો તેમજ ફોટો વાયરલ થતા રૂમા પાલે પણ પક્ષ મૂકતા કહ્યું કે અસિત મજૂમદાર મારા કરતા ધણા મોટા છે. મેં છોકરીના રૂપે તેમના પગ દબાવ્યા છે. અસિત મજૂમદારે કહ્યું કે રૂમાએ પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં નહીં પરંતુ છોકરીના રૂપમાં પગ દબાવ્યા છે.      



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.