પશ્ચિમબંગાળમાં એક ફોટાને કારણે સર્જાયો વિવાદ, TMC વિધાયકના પગ દબાવતા હતા પંચાયત સદસ્ય


  • Published By :
  • Published Date : 2023-01-26 17:35:32

પશ્ચિમબંગાળમાં તૃણુમુલ કોંગ્રેસના અનેક વિધાયક પોતાના અજીબો ગરીબ હરકતોને કારણે અસિત મજૂમજાર હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. દીદીના સુરક્ષા કવચ કાર્યક્રમ દરમિયાન વિધાયકનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલા તેમના પગ દબાવી રહી છે. વીડિયો વાયરલ થતા જ અનેક સવાલો ઉભા થઈ ગયા હતા.

MLA Asit Majumdar

ફોટો અને વીડિયો થયો વાયરલ 

સોશિયલ મીડિયાના જમાનામાં એક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે પશ્ચિમબંગાળના તૃણુમુલ કોંગ્રેસના એક વિધાયકનો વીડિયો વાયરલ થયો છે. વિધાયક અસિત મજૂમદારનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા તેમના પગ દબાવી રહી છે. વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા ગ્રામ પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ પંચાયત સમિતિના સદસ્ય રૂમા પાલ વિધાયકના પગ દબાવી રહી છે. 


પગ દબાવતો ફોટો થયો હતો વાયરલ 

સ્થાનિય સૂત્રોના આધારે રૂમા પાલે પોતાના ફેસબુક પેજ પર એક તસ્વીર પોસ્ટ શેર કરી હતી. ફોટો વાયરલ થતા અસિત મજૂમદારે કહ્યું કે થોડા સમય પહેલા જ તેમના પગનું ઓપરેશન થયું છે. જ્યારે એ સુરક્ષા કવચ કાર્યક્રમથી પાછા આવી રહ્યા હતા તે દરમિયાન તેમના પગ પર કાંટો વાગ્યો હતો જેને કારણે પગમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારે રૂમાએ પગ દબાવવાનો આગ્રહ કર્યો હતો. 


રૂમાએ છોકરીના રૂપમાં પગ દબાવ્યા - રૂમા 

વીડિયો તેમજ ફોટો વાયરલ થતા રૂમા પાલે પણ પક્ષ મૂકતા કહ્યું કે અસિત મજૂમદાર મારા કરતા ધણા મોટા છે. મેં છોકરીના રૂપે તેમના પગ દબાવ્યા છે. અસિત મજૂમદારે કહ્યું કે રૂમાએ પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં નહીં પરંતુ છોકરીના રૂપમાં પગ દબાવ્યા છે.      



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.