કર્ણાટકમાં ચૂંટણી પહેલા ઉઠ્યો દૂધને લઈ વિવાદ! અમૂલની જાહેરાત બાદ જોવા મળ્યું અમૂલ Vs નંદિની, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-10 12:54:19

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે એક એવો મુદ્દો ઉભો થઈ હોય છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે કર્ણાટકમાં દૂધ ઉત્પાદનને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. થોડા દિવસ પહેલા અમુલ ડેરીએ કર્ણાટકમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે ચાર જેટલા દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે. અમુલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ કોંગ્રેસ સહિત વિપક્ષ આક્રામક દેખાઈ રહ્યું છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કર્ણાટકમાં પ્રસિદ્ધ નંદિની બ્રાન્ડને ખતમ કરવા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વાતનો વિરોધ ન માત્ર રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ કર્ણાટક મિલ્ક ફેડરેશન પણ આ વાતના સમર્થનમાં છે. ફેડરેશન દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 


અમૂલ બ્રાન્ડની એન્ટ્રી બાદ શરૂ થયો વિવાદ!

થોડા દિવસો પહેલા કર્ણાટક અને તમિલનાડુમાં દહીને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. દહીંના પેકેટ પર દહીં હિંદી ભાષામાં લખવામાં આવ્યું હતું. આ વાતનો લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ભારે વિરોધના પગલે આ નિર્ણયને પાછો ખેંચી લીધો હતો. ત્યારે હવે ફરી એક વખત દૂધને લઈ કર્ણાટકમાં વિવાદ છેડાઈ ગયો છે. અમૂલ ડેરીએ થોડા સમય પહેલા કર્ણાટકમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા તેમજ વિપક્ષ દ્વારા સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે નંદિની બ્રાંડને ખતમ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.


કર્ણાટકમાં એન્ટ્રી કરવાની અમૂલ બ્રાન્ડે કરી હતી જાહેરાત  

સમગ્ર મામલાની વાત કરીએ તો 5 એપ્રિલના રોજ અમૂલે ટ્વિટ કર્યું હતું જેમાં કર્ણાટકમાં આવવામાં પ્લાનની ઘોષણા કરી હતી. ટ્વિટમાં લખ્યું હતું કે અમૂલ પરિવાર બેંગ્લુરૂ શહેરમાં કઈ નવું લાવવા જઈ રહી છે. બીજા એક ટ્વિટમાં લખ્યું હતું કે દૂધ અને દહીંની સાથે તાજાની એક નવી લહેર બેંગલુરૂમાં આવા જઈ રહી છે.    


ચૂંટણી પહેલા કર્ણાટકમાં ગરમાઈ રાજનીતિ 

અમૂલ દ્વારા આ પ્રકારની ઘોષણા થયા બાદ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. લોકોએ બહિષ્કાર કરવાની શરૂઆત કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. કર્ણાટકમાં નંદીની બ્રાન્ડ પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નંદિની બ્રાન્ડનું દૂધ વાપરે છે. ત્યારે અમૂલ બ્રાન્ડનો વિરોધ કર્ણાટકમાં થઈ રહ્યો છે. રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસના નેતા દ્વારા નંદિની મિલ્ક પાર્લરની મુલાકાત લેવાઈ હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.