કર્ણાટકમાં ચૂંટણી પહેલા ઉઠ્યો દૂધને લઈ વિવાદ! અમૂલની જાહેરાત બાદ જોવા મળ્યું અમૂલ Vs નંદિની, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-10 12:54:19

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે એક એવો મુદ્દો ઉભો થઈ હોય છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે કર્ણાટકમાં દૂધ ઉત્પાદનને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. થોડા દિવસ પહેલા અમુલ ડેરીએ કર્ણાટકમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે ચાર જેટલા દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે. અમુલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ કોંગ્રેસ સહિત વિપક્ષ આક્રામક દેખાઈ રહ્યું છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કર્ણાટકમાં પ્રસિદ્ધ નંદિની બ્રાન્ડને ખતમ કરવા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વાતનો વિરોધ ન માત્ર રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ કર્ણાટક મિલ્ક ફેડરેશન પણ આ વાતના સમર્થનમાં છે. ફેડરેશન દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 


અમૂલ બ્રાન્ડની એન્ટ્રી બાદ શરૂ થયો વિવાદ!

થોડા દિવસો પહેલા કર્ણાટક અને તમિલનાડુમાં દહીને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. દહીંના પેકેટ પર દહીં હિંદી ભાષામાં લખવામાં આવ્યું હતું. આ વાતનો લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ભારે વિરોધના પગલે આ નિર્ણયને પાછો ખેંચી લીધો હતો. ત્યારે હવે ફરી એક વખત દૂધને લઈ કર્ણાટકમાં વિવાદ છેડાઈ ગયો છે. અમૂલ ડેરીએ થોડા સમય પહેલા કર્ણાટકમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા તેમજ વિપક્ષ દ્વારા સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે નંદિની બ્રાંડને ખતમ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.


કર્ણાટકમાં એન્ટ્રી કરવાની અમૂલ બ્રાન્ડે કરી હતી જાહેરાત  

સમગ્ર મામલાની વાત કરીએ તો 5 એપ્રિલના રોજ અમૂલે ટ્વિટ કર્યું હતું જેમાં કર્ણાટકમાં આવવામાં પ્લાનની ઘોષણા કરી હતી. ટ્વિટમાં લખ્યું હતું કે અમૂલ પરિવાર બેંગ્લુરૂ શહેરમાં કઈ નવું લાવવા જઈ રહી છે. બીજા એક ટ્વિટમાં લખ્યું હતું કે દૂધ અને દહીંની સાથે તાજાની એક નવી લહેર બેંગલુરૂમાં આવા જઈ રહી છે.    


ચૂંટણી પહેલા કર્ણાટકમાં ગરમાઈ રાજનીતિ 

અમૂલ દ્વારા આ પ્રકારની ઘોષણા થયા બાદ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. લોકોએ બહિષ્કાર કરવાની શરૂઆત કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. કર્ણાટકમાં નંદીની બ્રાન્ડ પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નંદિની બ્રાન્ડનું દૂધ વાપરે છે. ત્યારે અમૂલ બ્રાન્ડનો વિરોધ કર્ણાટકમાં થઈ રહ્યો છે. રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસના નેતા દ્વારા નંદિની મિલ્ક પાર્લરની મુલાકાત લેવાઈ હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.