કર્ણાટકમાં ચૂંટણી પહેલા ઉઠ્યો દૂધને લઈ વિવાદ! અમૂલની જાહેરાત બાદ જોવા મળ્યું અમૂલ Vs નંદિની, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-10 12:54:19

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે એક એવો મુદ્દો ઉભો થઈ હોય છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે કર્ણાટકમાં દૂધ ઉત્પાદનને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. થોડા દિવસ પહેલા અમુલ ડેરીએ કર્ણાટકમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે ચાર જેટલા દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે. અમુલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ કોંગ્રેસ સહિત વિપક્ષ આક્રામક દેખાઈ રહ્યું છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કર્ણાટકમાં પ્રસિદ્ધ નંદિની બ્રાન્ડને ખતમ કરવા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વાતનો વિરોધ ન માત્ર રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ કર્ણાટક મિલ્ક ફેડરેશન પણ આ વાતના સમર્થનમાં છે. ફેડરેશન દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 


અમૂલ બ્રાન્ડની એન્ટ્રી બાદ શરૂ થયો વિવાદ!

થોડા દિવસો પહેલા કર્ણાટક અને તમિલનાડુમાં દહીને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. દહીંના પેકેટ પર દહીં હિંદી ભાષામાં લખવામાં આવ્યું હતું. આ વાતનો લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ભારે વિરોધના પગલે આ નિર્ણયને પાછો ખેંચી લીધો હતો. ત્યારે હવે ફરી એક વખત દૂધને લઈ કર્ણાટકમાં વિવાદ છેડાઈ ગયો છે. અમૂલ ડેરીએ થોડા સમય પહેલા કર્ણાટકમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા તેમજ વિપક્ષ દ્વારા સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે નંદિની બ્રાંડને ખતમ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.


કર્ણાટકમાં એન્ટ્રી કરવાની અમૂલ બ્રાન્ડે કરી હતી જાહેરાત  

સમગ્ર મામલાની વાત કરીએ તો 5 એપ્રિલના રોજ અમૂલે ટ્વિટ કર્યું હતું જેમાં કર્ણાટકમાં આવવામાં પ્લાનની ઘોષણા કરી હતી. ટ્વિટમાં લખ્યું હતું કે અમૂલ પરિવાર બેંગ્લુરૂ શહેરમાં કઈ નવું લાવવા જઈ રહી છે. બીજા એક ટ્વિટમાં લખ્યું હતું કે દૂધ અને દહીંની સાથે તાજાની એક નવી લહેર બેંગલુરૂમાં આવા જઈ રહી છે.    


ચૂંટણી પહેલા કર્ણાટકમાં ગરમાઈ રાજનીતિ 

અમૂલ દ્વારા આ પ્રકારની ઘોષણા થયા બાદ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. લોકોએ બહિષ્કાર કરવાની શરૂઆત કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. કર્ણાટકમાં નંદીની બ્રાન્ડ પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નંદિની બ્રાન્ડનું દૂધ વાપરે છે. ત્યારે અમૂલ બ્રાન્ડનો વિરોધ કર્ણાટકમાં થઈ રહ્યો છે. રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસના નેતા દ્વારા નંદિની મિલ્ક પાર્લરની મુલાકાત લેવાઈ હતી.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.