પેપર કપના પ્રતિબંધને લઈ છેડાયો વિવાદ, જાણો આ નિર્ણય અંગે શું કહ્યું અમદાવાદના મેયરે...


  • Published By :
  • Published Date : 2023-01-20 09:50:33

ચાની કીટલી પર વપરાતા પેપ કપ પર આજથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોઈ પણ કીટલી પર પેપર કપ મળી આવશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે .પરંતુ પ્રતિબંઘ અમલી થાય તેના એક દિવસ પહેલા અમદાવાદના મેયર કિરીટ પરમારે નિવેદન આપતા કહ્યું કે આવો કોઈ ઠરાવ કરાયો નથી. અમને પૂછીને આ નિર્ણય લેવાયો નથી. માત્ર કમિશ્નરના મૌખિક આદેશ પર કાર્યવાહી કરવાની તૈયારીઓ થઈ રહી છે.  


પેપર કપ મળશે તો લેવાશે કડક પગલા  

આરોગ્ય માટે ખરાબ હોવાને કારણે ચાની કિટલી પર વપરાતા પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પેપર કપને કારણે સ્વચ્છતા જળવાતી નથી. જેને પગલે પેપર કપના ઉપયોગ પર આજથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશ્નરની સૂચના પેપર કપનો ઉપયોગ કરતી કિટલીને સીલ કરવા સુધીની તૈયારીઓ બતાવામાં આવી છે. 

Ahmedabad: WhatsAppના DPમાં મેયર Kirit Parmarનો ફોટો સેટ કરીને અધિકારીઓને  ગાળો ભાંડી - unknown number set pic of mayor kirit parmar and use indecent  language with officers - I am Gujarat

અમને પૂછીને નિર્ણય લેવાયો નથી - અમદાવાદ મેયર 

પરંતુ પ્રતિબંધ લાગુ થાય તેની પહેલા અમદાવાદના મેયરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે આવો ઠરાવ કરાયો નથી. અમને પૂછીને આ નિર્ણય લેવાયો નથી માત્ર કમિશ્નરના મૌખિક આદેશ પર કાર્યવાહી કરવાની તૈયારીઓ થઈ રહી છે.  વધુમાં તેમણે કહ્યું હતું કે કમિશ્નર રાઉન્ડ પર હતા તે દરમિયાન તેમને યોગ્ય લાગ્યુ એટલે નિર્ણય લેવાયો. પરંતુ સત્તાધારી પક્ષને આ નિર્ણય અંગે જાણ કરવામાં ન આવી હતી અને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે આ નિર્ણયને લઈને વિવાદ છેડાઈ ગયો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.