પેપર કપના પ્રતિબંધને લઈ છેડાયો વિવાદ, જાણો આ નિર્ણય અંગે શું કહ્યું અમદાવાદના મેયરે...


  • Published By :
  • Published Date : 2023-01-20 09:50:33

ચાની કીટલી પર વપરાતા પેપ કપ પર આજથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોઈ પણ કીટલી પર પેપર કપ મળી આવશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે .પરંતુ પ્રતિબંઘ અમલી થાય તેના એક દિવસ પહેલા અમદાવાદના મેયર કિરીટ પરમારે નિવેદન આપતા કહ્યું કે આવો કોઈ ઠરાવ કરાયો નથી. અમને પૂછીને આ નિર્ણય લેવાયો નથી. માત્ર કમિશ્નરના મૌખિક આદેશ પર કાર્યવાહી કરવાની તૈયારીઓ થઈ રહી છે.  


પેપર કપ મળશે તો લેવાશે કડક પગલા  

આરોગ્ય માટે ખરાબ હોવાને કારણે ચાની કિટલી પર વપરાતા પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પેપર કપને કારણે સ્વચ્છતા જળવાતી નથી. જેને પગલે પેપર કપના ઉપયોગ પર આજથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશ્નરની સૂચના પેપર કપનો ઉપયોગ કરતી કિટલીને સીલ કરવા સુધીની તૈયારીઓ બતાવામાં આવી છે. 

Ahmedabad: WhatsAppના DPમાં મેયર Kirit Parmarનો ફોટો સેટ કરીને અધિકારીઓને  ગાળો ભાંડી - unknown number set pic of mayor kirit parmar and use indecent  language with officers - I am Gujarat

અમને પૂછીને નિર્ણય લેવાયો નથી - અમદાવાદ મેયર 

પરંતુ પ્રતિબંધ લાગુ થાય તેની પહેલા અમદાવાદના મેયરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે આવો ઠરાવ કરાયો નથી. અમને પૂછીને આ નિર્ણય લેવાયો નથી માત્ર કમિશ્નરના મૌખિક આદેશ પર કાર્યવાહી કરવાની તૈયારીઓ થઈ રહી છે.  વધુમાં તેમણે કહ્યું હતું કે કમિશ્નર રાઉન્ડ પર હતા તે દરમિયાન તેમને યોગ્ય લાગ્યુ એટલે નિર્ણય લેવાયો. પરંતુ સત્તાધારી પક્ષને આ નિર્ણય અંગે જાણ કરવામાં ન આવી હતી અને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે આ નિર્ણયને લઈને વિવાદ છેડાઈ ગયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.