સુરત કોર્પોરેટરના ઘરના ધાબા પર બાંકડા દેખાતા સર્જાયો વિવાદ! આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરે ગ્રાન્ટના ત્રણ બાકડાનો વીડિયો વાયરલ થયો!


  • Published By :
  • Published Date : 2023-06-08 16:39:22

સોશિયલ મીડિયા પર સુરતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જનતા માટે લાવવામાં આવતા બાંકડા કોર્પોરેટરના ધાબે જોવા મળતા વિવાદ સર્જાયો છે. સુરત શહેરના કાપોદ્રાના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા વિવાદમાં આવ્યા છે. પાલિકાના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા બાદ ભાજપમાં જતા રહેલા કાપોદ્રાના કોર્પોરેટર  ઘનશ્યામ મકવાણાએ પોતાના ઘરની અગાસી પર પોતાના નામના જ બાંકડા મુક્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો છે. 


ઘરની અગાસી પર બાંકડો દેખાતા છેડાયો વિવાદ!

સુરતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો બતાવી દાવો કરાઈ રહ્યો છે કે કાપોદ્રાના કોર્પોરેટરે પોતાના ઘરની અગાસી પર બાંકડો મૂક્યો છે જે સામાન્ય લોકો માટે લાવવામાં આવે છે. જ્યારે આમ આદમી પાર્ટી પાલિકામાં ચૂંટાઈ આવી હતી ત્યારે કોર્પોરેટરોએ નક્કી કર્યું હતું કે ગ્રાન્ટના રુપિયા બાંકડામાં નહીં વાપરવામાં આવે પરંતુ તે વાત ખોટી સાબિત થઈ હતી. આપમાંથી ભાજપમાં ગયેલા વોર્ડ નં ચારના કોર્પોરેટરના ઘરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાંકડા તેમના ઘરના ધાબા પર જોવા મળી રહ્યા છે. 


આ મામલે કોર્પોરેટરે આપ્યો જવાબ!

જ્યારે આ મામલે તેમને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે બાંકડા સોસાયટીના નામે મૂકવામાં આવ્યા હતા. પરંતુ સોસાયટીમાં પ્રસંગ હોવાને કારણે બાંકડાને ધાબા પર મૂકવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ બાંકડા ધાબા પર મૂકાયા હતા. વીડિયો બનાવી તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું.       



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.