સુરત કોર્પોરેટરના ઘરના ધાબા પર બાંકડા દેખાતા સર્જાયો વિવાદ! આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરે ગ્રાન્ટના ત્રણ બાકડાનો વીડિયો વાયરલ થયો!


  • Published By :
  • Published Date : 2023-06-08 16:39:22

સોશિયલ મીડિયા પર સુરતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જનતા માટે લાવવામાં આવતા બાંકડા કોર્પોરેટરના ધાબે જોવા મળતા વિવાદ સર્જાયો છે. સુરત શહેરના કાપોદ્રાના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા વિવાદમાં આવ્યા છે. પાલિકાના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા બાદ ભાજપમાં જતા રહેલા કાપોદ્રાના કોર્પોરેટર  ઘનશ્યામ મકવાણાએ પોતાના ઘરની અગાસી પર પોતાના નામના જ બાંકડા મુક્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો છે. 


ઘરની અગાસી પર બાંકડો દેખાતા છેડાયો વિવાદ!

સુરતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો બતાવી દાવો કરાઈ રહ્યો છે કે કાપોદ્રાના કોર્પોરેટરે પોતાના ઘરની અગાસી પર બાંકડો મૂક્યો છે જે સામાન્ય લોકો માટે લાવવામાં આવે છે. જ્યારે આમ આદમી પાર્ટી પાલિકામાં ચૂંટાઈ આવી હતી ત્યારે કોર્પોરેટરોએ નક્કી કર્યું હતું કે ગ્રાન્ટના રુપિયા બાંકડામાં નહીં વાપરવામાં આવે પરંતુ તે વાત ખોટી સાબિત થઈ હતી. આપમાંથી ભાજપમાં ગયેલા વોર્ડ નં ચારના કોર્પોરેટરના ઘરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાંકડા તેમના ઘરના ધાબા પર જોવા મળી રહ્યા છે. 


આ મામલે કોર્પોરેટરે આપ્યો જવાબ!

જ્યારે આ મામલે તેમને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે બાંકડા સોસાયટીના નામે મૂકવામાં આવ્યા હતા. પરંતુ સોસાયટીમાં પ્રસંગ હોવાને કારણે બાંકડાને ધાબા પર મૂકવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ બાંકડા ધાબા પર મૂકાયા હતા. વીડિયો બનાવી તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું.       



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.