સુરત કોર્પોરેટરના ઘરના ધાબા પર બાંકડા દેખાતા સર્જાયો વિવાદ! આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરે ગ્રાન્ટના ત્રણ બાકડાનો વીડિયો વાયરલ થયો!


  • Published By :
  • Published Date : 2023-06-08 16:39:22

સોશિયલ મીડિયા પર સુરતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જનતા માટે લાવવામાં આવતા બાંકડા કોર્પોરેટરના ધાબે જોવા મળતા વિવાદ સર્જાયો છે. સુરત શહેરના કાપોદ્રાના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા વિવાદમાં આવ્યા છે. પાલિકાના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા બાદ ભાજપમાં જતા રહેલા કાપોદ્રાના કોર્પોરેટર  ઘનશ્યામ મકવાણાએ પોતાના ઘરની અગાસી પર પોતાના નામના જ બાંકડા મુક્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો છે. 


ઘરની અગાસી પર બાંકડો દેખાતા છેડાયો વિવાદ!

સુરતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો બતાવી દાવો કરાઈ રહ્યો છે કે કાપોદ્રાના કોર્પોરેટરે પોતાના ઘરની અગાસી પર બાંકડો મૂક્યો છે જે સામાન્ય લોકો માટે લાવવામાં આવે છે. જ્યારે આમ આદમી પાર્ટી પાલિકામાં ચૂંટાઈ આવી હતી ત્યારે કોર્પોરેટરોએ નક્કી કર્યું હતું કે ગ્રાન્ટના રુપિયા બાંકડામાં નહીં વાપરવામાં આવે પરંતુ તે વાત ખોટી સાબિત થઈ હતી. આપમાંથી ભાજપમાં ગયેલા વોર્ડ નં ચારના કોર્પોરેટરના ઘરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાંકડા તેમના ઘરના ધાબા પર જોવા મળી રહ્યા છે. 


આ મામલે કોર્પોરેટરે આપ્યો જવાબ!

જ્યારે આ મામલે તેમને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે બાંકડા સોસાયટીના નામે મૂકવામાં આવ્યા હતા. પરંતુ સોસાયટીમાં પ્રસંગ હોવાને કારણે બાંકડાને ધાબા પર મૂકવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ બાંકડા ધાબા પર મૂકાયા હતા. વીડિયો બનાવી તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.