મતદારોને સુવિધા: 75 વર્ષ બાદ મતદાન મથક મળશે,તો કોઈ જગ્યાએ એક જ વ્યક્તિ માટે મતદાન મથક


  • Published By :
  • Published Date : 2022-11-09 18:54:21

તમને જાણીને નવાઈ લાગશે ગુજરાતનાં એવા પણ ગામ છે જ્યાં વર્ષોથી મતદાન મથકો ઊભા કરવામાં નહોતા આવતા. મતદાન મથક ન હોવાના કારણે લોકોને કેટલાય કિલોમીટર દૂર ચાલીને મત આપવા જવું પડતું હતું. તો પછી ઘણી વાર મતદાન મથક ના હોવાના કારણે ઘણા લોકો મત પણ આપવા નહીં જતાં હોય 

રિંગાપાદર ગામમાં 75 વર્ષ બાદ મતદાન મથક ઊભું થસે 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારનું રિંગાપાદર ગામ જે 75 વર્ષ બાદ પ્રથમવાર તેને મતદાન મથક મળ્યું છે.  આમ તો નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો છે નર્મદા જિલ્લાની બન્ને બેઠકો આદિવાસી અનામત બેઠક છે જંગલ વિસ્તારમાં આવેલું આ ગામ ડુંગરોની તળેટીમાં આવેલું છે. આ ગામમાં 131 જેટલા મતદારો છે આ મતદારોમાં 68 પુરુષો અને 63 મહિલા મતદારો છે.રાજ્ય ચુંટણી પંચ દ્વારા આ વખતે વિધાનસભાની ચુંટણી માટે અલગ અલગ મતદાન મથક આપવામાં આવ્યા છે રિંગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે પહેલા આ ગામના લોકોને મતદાન કરવા 7 કિલોમીટર દૂર જંગલ વાળા રસ્તા પરથી જવું પડતું હતું.


ગીરસોમનાથમાં 1 વ્યક્તિ માટે મતદાન મથક ઊભું થશે 

ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે ૨૦૦૭ થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની "કોઈ મતદાર બાકી ન રહી જાય" ની ભાવનાને ચરિતાર્થ કરે છે. 


આલિયાબેટના મતદારોને 82 કિલોમીટર દૂર જવા મજબૂર હતા 

આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા હેઠળ આવે છે. જેમાં 116 પુરૂષ અને 101 સ્ત્રી મળી કુલ 217 મતદારો છે. અહીંના મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 82 કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો.આ વખતે 2022 વિધાનસભા ચુંટણીમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે "કોઈ મતદાર બાકી રહે નહી તેવા પ્રયાસો ચુંટણી પંચ દ્વારા હાથ ધરાયા છે 


ઉલ્લેખનીય છે કે જુનાગઢના ઊડા જંગલ વિસ્તારમાં અને "નેસ" વિસ્તારમાં સંદેશાવ્યવહારનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે ત્યાં પણ મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.




સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...