મતદારોને સુવિધા: 75 વર્ષ બાદ મતદાન મથક મળશે,તો કોઈ જગ્યાએ એક જ વ્યક્તિ માટે મતદાન મથક


  • Published By :
  • Published Date : 2022-11-09 18:54:21

તમને જાણીને નવાઈ લાગશે ગુજરાતનાં એવા પણ ગામ છે જ્યાં વર્ષોથી મતદાન મથકો ઊભા કરવામાં નહોતા આવતા. મતદાન મથક ન હોવાના કારણે લોકોને કેટલાય કિલોમીટર દૂર ચાલીને મત આપવા જવું પડતું હતું. તો પછી ઘણી વાર મતદાન મથક ના હોવાના કારણે ઘણા લોકો મત પણ આપવા નહીં જતાં હોય 

રિંગાપાદર ગામમાં 75 વર્ષ બાદ મતદાન મથક ઊભું થસે 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારનું રિંગાપાદર ગામ જે 75 વર્ષ બાદ પ્રથમવાર તેને મતદાન મથક મળ્યું છે.  આમ તો નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો છે નર્મદા જિલ્લાની બન્ને બેઠકો આદિવાસી અનામત બેઠક છે જંગલ વિસ્તારમાં આવેલું આ ગામ ડુંગરોની તળેટીમાં આવેલું છે. આ ગામમાં 131 જેટલા મતદારો છે આ મતદારોમાં 68 પુરુષો અને 63 મહિલા મતદારો છે.રાજ્ય ચુંટણી પંચ દ્વારા આ વખતે વિધાનસભાની ચુંટણી માટે અલગ અલગ મતદાન મથક આપવામાં આવ્યા છે રિંગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે પહેલા આ ગામના લોકોને મતદાન કરવા 7 કિલોમીટર દૂર જંગલ વાળા રસ્તા પરથી જવું પડતું હતું.


ગીરસોમનાથમાં 1 વ્યક્તિ માટે મતદાન મથક ઊભું થશે 

ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે ૨૦૦૭ થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની "કોઈ મતદાર બાકી ન રહી જાય" ની ભાવનાને ચરિતાર્થ કરે છે. 


આલિયાબેટના મતદારોને 82 કિલોમીટર દૂર જવા મજબૂર હતા 

આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા હેઠળ આવે છે. જેમાં 116 પુરૂષ અને 101 સ્ત્રી મળી કુલ 217 મતદારો છે. અહીંના મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 82 કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો.આ વખતે 2022 વિધાનસભા ચુંટણીમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે "કોઈ મતદાર બાકી રહે નહી તેવા પ્રયાસો ચુંટણી પંચ દ્વારા હાથ ધરાયા છે 


ઉલ્લેખનીય છે કે જુનાગઢના ઊડા જંગલ વિસ્તારમાં અને "નેસ" વિસ્તારમાં સંદેશાવ્યવહારનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે ત્યાં પણ મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"