મતદારોને સુવિધા: 75 વર્ષ બાદ મતદાન મથક મળશે,તો કોઈ જગ્યાએ એક જ વ્યક્તિ માટે મતદાન મથક


  • Published By :
  • Published Date : 2022-11-09 18:54:21

તમને જાણીને નવાઈ લાગશે ગુજરાતનાં એવા પણ ગામ છે જ્યાં વર્ષોથી મતદાન મથકો ઊભા કરવામાં નહોતા આવતા. મતદાન મથક ન હોવાના કારણે લોકોને કેટલાય કિલોમીટર દૂર ચાલીને મત આપવા જવું પડતું હતું. તો પછી ઘણી વાર મતદાન મથક ના હોવાના કારણે ઘણા લોકો મત પણ આપવા નહીં જતાં હોય 

રિંગાપાદર ગામમાં 75 વર્ષ બાદ મતદાન મથક ઊભું થસે 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારનું રિંગાપાદર ગામ જે 75 વર્ષ બાદ પ્રથમવાર તેને મતદાન મથક મળ્યું છે.  આમ તો નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો છે નર્મદા જિલ્લાની બન્ને બેઠકો આદિવાસી અનામત બેઠક છે જંગલ વિસ્તારમાં આવેલું આ ગામ ડુંગરોની તળેટીમાં આવેલું છે. આ ગામમાં 131 જેટલા મતદારો છે આ મતદારોમાં 68 પુરુષો અને 63 મહિલા મતદારો છે.રાજ્ય ચુંટણી પંચ દ્વારા આ વખતે વિધાનસભાની ચુંટણી માટે અલગ અલગ મતદાન મથક આપવામાં આવ્યા છે રિંગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે પહેલા આ ગામના લોકોને મતદાન કરવા 7 કિલોમીટર દૂર જંગલ વાળા રસ્તા પરથી જવું પડતું હતું.


ગીરસોમનાથમાં 1 વ્યક્તિ માટે મતદાન મથક ઊભું થશે 

ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે ૨૦૦૭ થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની "કોઈ મતદાર બાકી ન રહી જાય" ની ભાવનાને ચરિતાર્થ કરે છે. 


આલિયાબેટના મતદારોને 82 કિલોમીટર દૂર જવા મજબૂર હતા 

આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા હેઠળ આવે છે. જેમાં 116 પુરૂષ અને 101 સ્ત્રી મળી કુલ 217 મતદારો છે. અહીંના મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 82 કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો.આ વખતે 2022 વિધાનસભા ચુંટણીમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે "કોઈ મતદાર બાકી રહે નહી તેવા પ્રયાસો ચુંટણી પંચ દ્વારા હાથ ધરાયા છે 


ઉલ્લેખનીય છે કે જુનાગઢના ઊડા જંગલ વિસ્તારમાં અને "નેસ" વિસ્તારમાં સંદેશાવ્યવહારનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે ત્યાં પણ મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.