મતદારોને સુવિધા: 75 વર્ષ બાદ મતદાન મથક મળશે,તો કોઈ જગ્યાએ એક જ વ્યક્તિ માટે મતદાન મથક


  • Published By :
  • Published Date : 2022-11-09 18:54:21

તમને જાણીને નવાઈ લાગશે ગુજરાતનાં એવા પણ ગામ છે જ્યાં વર્ષોથી મતદાન મથકો ઊભા કરવામાં નહોતા આવતા. મતદાન મથક ન હોવાના કારણે લોકોને કેટલાય કિલોમીટર દૂર ચાલીને મત આપવા જવું પડતું હતું. તો પછી ઘણી વાર મતદાન મથક ના હોવાના કારણે ઘણા લોકો મત પણ આપવા નહીં જતાં હોય 

રિંગાપાદર ગામમાં 75 વર્ષ બાદ મતદાન મથક ઊભું થસે 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારનું રિંગાપાદર ગામ જે 75 વર્ષ બાદ પ્રથમવાર તેને મતદાન મથક મળ્યું છે.  આમ તો નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો છે નર્મદા જિલ્લાની બન્ને બેઠકો આદિવાસી અનામત બેઠક છે જંગલ વિસ્તારમાં આવેલું આ ગામ ડુંગરોની તળેટીમાં આવેલું છે. આ ગામમાં 131 જેટલા મતદારો છે આ મતદારોમાં 68 પુરુષો અને 63 મહિલા મતદારો છે.રાજ્ય ચુંટણી પંચ દ્વારા આ વખતે વિધાનસભાની ચુંટણી માટે અલગ અલગ મતદાન મથક આપવામાં આવ્યા છે રિંગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે પહેલા આ ગામના લોકોને મતદાન કરવા 7 કિલોમીટર દૂર જંગલ વાળા રસ્તા પરથી જવું પડતું હતું.


ગીરસોમનાથમાં 1 વ્યક્તિ માટે મતદાન મથક ઊભું થશે 

ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે ૨૦૦૭ થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની "કોઈ મતદાર બાકી ન રહી જાય" ની ભાવનાને ચરિતાર્થ કરે છે. 


આલિયાબેટના મતદારોને 82 કિલોમીટર દૂર જવા મજબૂર હતા 

આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા હેઠળ આવે છે. જેમાં 116 પુરૂષ અને 101 સ્ત્રી મળી કુલ 217 મતદારો છે. અહીંના મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 82 કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો.આ વખતે 2022 વિધાનસભા ચુંટણીમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે "કોઈ મતદાર બાકી રહે નહી તેવા પ્રયાસો ચુંટણી પંચ દ્વારા હાથ ધરાયા છે 


ઉલ્લેખનીય છે કે જુનાગઢના ઊડા જંગલ વિસ્તારમાં અને "નેસ" વિસ્તારમાં સંદેશાવ્યવહારનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે ત્યાં પણ મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.