કોરોનાને લઈ આવ્યા રાહતના સમાચાર


  • Published By :
  • Published Date : 2022-12-02 14:39:40

દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. એપ્રિલ 2020 બાદ પ્રથમ વખત દેશમાં કોરોના કેસનો સૌથી આંકડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 275 કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ઉપરાંત રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે.

શું કોરોના વાઇરસ વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે? - BBC News ગુજરાતી

ઓછા લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત

કોરોના મહામારીએ દેશમાં તેમજ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. એક સમયે હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. કોરોનાની ઝપેટમાં આવતા અનેક લોકોના મોત પણ થતા હતા. મૃત્યુ આંક પણ સતત વધતો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી કોરોના અંગે રાહતના સમાચાર મળી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું છે. ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 275 લોકો કોરોના સંક્રમિત થયા છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.