કોરોનાને લઈ આવ્યા રાહતના સમાચાર


  • Published By :
  • Published Date : 2022-12-02 14:39:40

દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. એપ્રિલ 2020 બાદ પ્રથમ વખત દેશમાં કોરોના કેસનો સૌથી આંકડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 275 કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ઉપરાંત રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે.

શું કોરોના વાઇરસ વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે? - BBC News ગુજરાતી

ઓછા લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત

કોરોના મહામારીએ દેશમાં તેમજ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. એક સમયે હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. કોરોનાની ઝપેટમાં આવતા અનેક લોકોના મોત પણ થતા હતા. મૃત્યુ આંક પણ સતત વધતો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી કોરોના અંગે રાહતના સમાચાર મળી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું છે. ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 275 લોકો કોરોના સંક્રમિત થયા છે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.