કોરોનાને લઈ આવ્યા રાહતના સમાચાર


  • Published By :
  • Published Date : 2022-12-02 14:39:40

દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. એપ્રિલ 2020 બાદ પ્રથમ વખત દેશમાં કોરોના કેસનો સૌથી આંકડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 275 કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ઉપરાંત રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે.

શું કોરોના વાઇરસ વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે? - BBC News ગુજરાતી

ઓછા લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત

કોરોના મહામારીએ દેશમાં તેમજ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. એક સમયે હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. કોરોનાની ઝપેટમાં આવતા અનેક લોકોના મોત પણ થતા હતા. મૃત્યુ આંક પણ સતત વધતો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી કોરોના અંગે રાહતના સમાચાર મળી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું છે. ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 275 લોકો કોરોના સંક્રમિત થયા છે.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.