દેશમાં વધી રહ્યા છે કોરોના કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા સંક્રમિત, કેન્દ્રએ 6 રાજ્યોને સતર્ક રહેવા કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-17 11:44:22

દેશમાં વધી રહેલા કોરોના કેસો ફરી એક વખત ચિંતાનો વિષય બન્યો છે. કોરોના ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ચાર મહિનામાં પહેલી વખત 16 માર્ચના રોજ સૌથી વધારે કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગુરૂવારે 754 નવા કેસ કોરોનાના સામે આવ્યા છે. જે બાદ દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4000ને પાર પહોંચી ગઈ છે. તે ઉપરાંત H3N2 ના કેસમાં પણ વધારો થતા તેની પર પણ નજર રાખવામાં આવી રહી છે. 


એક દિવસમાં નોંધાયા આટલા કેસ 

એક સમયે કોરોનાના કેસમાં ભારે ઘટાડો નોંધાયો હતો. પરંતુ દેશ પર ફરી એક વખત કોરોના સંકટ તોડાઈ રહ્યું છે. ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 16 માર્ચના રોજ કોરોનાના 754 કેસ નોંધાયા છે. વધતા કેસને લઈ કેન્દ્ર સરકારે રાજ્યોને એક્ટિવ રહેવા સૂચના આપી દીધી છે. દેશમાં એક્ટિવ સંક્રમિતોનો આંકડો 4 હજારને પાર પહોંચી ગયો છે.


6 રાજ્યોને કેન્દ્ર સરકારે કર્યા એલર્ટ 

વધતા કેસોને લઈ કેન્દ્ર સરકારે 6 રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી હતી. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ તેમજ કેરળને સતર્ક રહેવા જણાવ્યું છે. કોરોનાની સાથે સાથે H3N2ના કેસો પણ વધી રહ્યા છે. ગુજરાતમાં 100થી વધારે  કેસ નોંધાયા હતા. વધતા જતા કેસોને લઈ સરકાર પણ સંભવિત વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી રહી છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.