દેશમાં વધી રહ્યા છે કોરોના કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા સંક્રમિત, કેન્દ્રએ 6 રાજ્યોને સતર્ક રહેવા કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-17 11:44:22

દેશમાં વધી રહેલા કોરોના કેસો ફરી એક વખત ચિંતાનો વિષય બન્યો છે. કોરોના ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ચાર મહિનામાં પહેલી વખત 16 માર્ચના રોજ સૌથી વધારે કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગુરૂવારે 754 નવા કેસ કોરોનાના સામે આવ્યા છે. જે બાદ દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4000ને પાર પહોંચી ગઈ છે. તે ઉપરાંત H3N2 ના કેસમાં પણ વધારો થતા તેની પર પણ નજર રાખવામાં આવી રહી છે. 


એક દિવસમાં નોંધાયા આટલા કેસ 

એક સમયે કોરોનાના કેસમાં ભારે ઘટાડો નોંધાયો હતો. પરંતુ દેશ પર ફરી એક વખત કોરોના સંકટ તોડાઈ રહ્યું છે. ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 16 માર્ચના રોજ કોરોનાના 754 કેસ નોંધાયા છે. વધતા કેસને લઈ કેન્દ્ર સરકારે રાજ્યોને એક્ટિવ રહેવા સૂચના આપી દીધી છે. દેશમાં એક્ટિવ સંક્રમિતોનો આંકડો 4 હજારને પાર પહોંચી ગયો છે.


6 રાજ્યોને કેન્દ્ર સરકારે કર્યા એલર્ટ 

વધતા કેસોને લઈ કેન્દ્ર સરકારે 6 રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી હતી. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ તેમજ કેરળને સતર્ક રહેવા જણાવ્યું છે. કોરોનાની સાથે સાથે H3N2ના કેસો પણ વધી રહ્યા છે. ગુજરાતમાં 100થી વધારે  કેસ નોંધાયા હતા. વધતા જતા કેસોને લઈ સરકાર પણ સંભવિત વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી રહી છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.