રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળા વચ્ચે રસીનો જથ્થો ખુટ્યો, આરોગ્ય વિભાગે રસીકરણની વિગતો જાહેર કરવાનું બંધ કર્યું


  • Published By :
  • Published Date : 2023-04-04 16:09:08

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાના કારણે તાજેતર કેટલાક લોકોના મોત પણ થયા છે. જો કે તેનાથી વિપરતી રાજ્યમાં કોરોના વેક્સિનનો જથ્થો ખુટી જતા સ્થિતિ ચિંતાજનક બની છે. રાજ્યના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે જ આ જિલ્લામાં વેક્સિનનો જથ્થો પણ ખૂટ્યો છે. આ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેમ-તેમ કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો થયો છે. રસીનો જથ્થો ખુટતા લોકો રસી લીધા વગર જ આરોગ્ય કેન્દ્રો પરથી પરત ફરી રહ્યા છે.


વિવિધ શહેરોમાં રસીકરણ બંધ


રાજ્યના ચાર મોટા શહેરોમાં કોરોના રસીનો જથ્થો ખુટી ગયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં સરકારે રસીકરણ અભિયાન બંધ કર્યું છે. કોરોનાની રસીઓ જેવી કે કોવિશીલ્ડ, કોવેક્સિન કે સ્પુતનિક કે કોર્બિવેક્સ વેક્સિનની ભયાનક અછત જોવા મળી રહી છે. સરકારની આ બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 31 માર્ચ પછી કોરોના રસીનો એક પણ ડોઝ નથી. જેને લઈને મનપાના આરોગ્ય વિભાગના અધિકારીએ સરકાર પાસે રસીની માગણી કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાનો સ્ટોક ખુટી જતા ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા રસીકરણના આંકડા પણ 1 એપ્રિલથી  જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.