રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળા વચ્ચે રસીનો જથ્થો ખુટ્યો, આરોગ્ય વિભાગે રસીકરણની વિગતો જાહેર કરવાનું બંધ કર્યું


  • Published By :
  • Published Date : 2023-04-04 16:09:08

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાના કારણે તાજેતર કેટલાક લોકોના મોત પણ થયા છે. જો કે તેનાથી વિપરતી રાજ્યમાં કોરોના વેક્સિનનો જથ્થો ખુટી જતા સ્થિતિ ચિંતાજનક બની છે. રાજ્યના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે જ આ જિલ્લામાં વેક્સિનનો જથ્થો પણ ખૂટ્યો છે. આ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેમ-તેમ કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો થયો છે. રસીનો જથ્થો ખુટતા લોકો રસી લીધા વગર જ આરોગ્ય કેન્દ્રો પરથી પરત ફરી રહ્યા છે.


વિવિધ શહેરોમાં રસીકરણ બંધ


રાજ્યના ચાર મોટા શહેરોમાં કોરોના રસીનો જથ્થો ખુટી ગયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં સરકારે રસીકરણ અભિયાન બંધ કર્યું છે. કોરોનાની રસીઓ જેવી કે કોવિશીલ્ડ, કોવેક્સિન કે સ્પુતનિક કે કોર્બિવેક્સ વેક્સિનની ભયાનક અછત જોવા મળી રહી છે. સરકારની આ બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 31 માર્ચ પછી કોરોના રસીનો એક પણ ડોઝ નથી. જેને લઈને મનપાના આરોગ્ય વિભાગના અધિકારીએ સરકાર પાસે રસીની માગણી કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાનો સ્ટોક ખુટી જતા ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા રસીકરણના આંકડા પણ 1 એપ્રિલથી  જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે