ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 118 કેસ, સૌથી વધુ 54 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે


  • Published By :
  • Published Date : 2023-03-20 21:51:12

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 118 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 54 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 48 દર્દીઓ સાજા થયા છે. સૌથી ચિંતાજનક બાબતે એ છે કે રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 810 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જો કે, છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. 


વર્તમાનમાં પરિસ્થિતી શું છે?


રાજ્યમાં કોરોનાના વર્તમાન સ્થિતીની વાત કરીએ તો રાજ્યમાં કુલ 810 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 805 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,977 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


કેસ મામલે અમદાવાદ મોખરે


કોરોના કેસને લઈ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટ-15, સુરત-12, વડોદરા-12, સાબરકાંઠા-5, મહેસાણા-3, આણંદ-2, ભાવનગર-3, મહીસાગર અને નવસારીમાં 2 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમરેલી, અરવલ્લી, ભરૂચ, કચ્છ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે.



રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે જ્યારે કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે.. અમેઠીમાં સ્મૃતિ ઈરાની છે ભાજપના ઉમેદવાર.

પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..