દેશમાં વધતો કોરોના કહેર, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત અને કેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-03-24 17:20:57

દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિતોનો આંકડા વધી રહ્યો છે. દૈનિક કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 1249 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. ઉપરાંત 2 જેટલા લોકોના મોત થયા છે. ગુજરાત અને કર્ણાટકમાં એક એક વ્યક્તિના મોત થયા છે. 


બે લોકોના થયા મોત 

એક સમય એવો હતો જ્યારે કોરોનાના બહું ઓછા કેસ સામે આવતા હતા. ઓછા લોકો કોરોના સંક્રમીત થઈ રહ્યા હતા. ત્યારે થોડા દિવસોથી કોરોના કેસોનો આંકડો વધી રહ્યો છે. 1000 જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યાની વાત કરીએ તો 1249 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. એક્ટિવ કેસની સંખ્યા 7927 પર પહોંચી ગઈ છે. ઉપરાંત હજી સુધી દેશમાં 5 લાખ 30 હજાર જેટલા લોકોના મોત આને કારણે થયા છે. 

    

ગુજરાતમાં પણ સતત વધી રહ્યા છે કોરોના કેસ 

ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલકાકમાં રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદમાં સૌથી વધારે દર્દીઓ નોંધાયા હતા. ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.