દેશમાં વધતો કોરોના કહેર, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત અને કેટલા લોકોના થયા મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-24 17:20:57

દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિતોનો આંકડા વધી રહ્યો છે. દૈનિક કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 1249 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. ઉપરાંત 2 જેટલા લોકોના મોત થયા છે. ગુજરાત અને કર્ણાટકમાં એક એક વ્યક્તિના મોત થયા છે. 


બે લોકોના થયા મોત 

એક સમય એવો હતો જ્યારે કોરોનાના બહું ઓછા કેસ સામે આવતા હતા. ઓછા લોકો કોરોના સંક્રમીત થઈ રહ્યા હતા. ત્યારે થોડા દિવસોથી કોરોના કેસોનો આંકડો વધી રહ્યો છે. 1000 જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યાની વાત કરીએ તો 1249 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. એક્ટિવ કેસની સંખ્યા 7927 પર પહોંચી ગઈ છે. ઉપરાંત હજી સુધી દેશમાં 5 લાખ 30 હજાર જેટલા લોકોના મોત આને કારણે થયા છે. 

    

ગુજરાતમાં પણ સતત વધી રહ્યા છે કોરોના કેસ 

ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલકાકમાં રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદમાં સૌથી વધારે દર્દીઓ નોંધાયા હતા. ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. 



દેશની સર્વોચ્ચ ન્યાયાલે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજીને ફગાવી દીધી છે.!

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ આસમાને પહોંચ્યો છે. અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાજપના નેતાઓનો. આ બધા વચ્ચે કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે.

ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.