દેશમાં વધતો કોરોના કહેર, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત અને કેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-03-24 17:20:57

દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિતોનો આંકડા વધી રહ્યો છે. દૈનિક કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 1249 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. ઉપરાંત 2 જેટલા લોકોના મોત થયા છે. ગુજરાત અને કર્ણાટકમાં એક એક વ્યક્તિના મોત થયા છે. 


બે લોકોના થયા મોત 

એક સમય એવો હતો જ્યારે કોરોનાના બહું ઓછા કેસ સામે આવતા હતા. ઓછા લોકો કોરોના સંક્રમીત થઈ રહ્યા હતા. ત્યારે થોડા દિવસોથી કોરોના કેસોનો આંકડો વધી રહ્યો છે. 1000 જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યાની વાત કરીએ તો 1249 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. એક્ટિવ કેસની સંખ્યા 7927 પર પહોંચી ગઈ છે. ઉપરાંત હજી સુધી દેશમાં 5 લાખ 30 હજાર જેટલા લોકોના મોત આને કારણે થયા છે. 

    

ગુજરાતમાં પણ સતત વધી રહ્યા છે કોરોના કેસ 

ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલકાકમાં રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદમાં સૌથી વધારે દર્દીઓ નોંધાયા હતા. ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.