દેશમાં ફરી વધ્યું કોરોના સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધારે લોકો થયા સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 65 હજારને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-20 12:30:50

દેશમાં થોડા દિવસ પહેલા કોરોના કેસમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ આજે ફરી એક વખત કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 હજાર 591 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 40 જેટલા લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 5,31,230 પર પહોંચી ગયો છે. છેલ્લા 8 મહિના બાદ દેશમાં આટલા બધા કોરોના કેસ નોંધાયા છે.

  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12 હજારથી વધારે કોરોનાના કેસ  

કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારની આસપાસ નોંધાયો હતો જે બાદ ગઈ કાલે 10 હજારને પાર કેસ નોંધાયા હતા ત્યારે આજે તો કોરોના કેસે આઠ મહિનાનો રેકોર્ડ તોડી દીધો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની ઝપેટમાં 12 હજારથી વધુ લોકો આવ્યા છે. 12591 કોરોના કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 40 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. એક્ટિવ કેસનો આંકડો 65 હજારને પાર પહોંચી ગયો છે. 


મૃત્યુઆંકમાં પણ સતત થઈ રહ્યો છે વધારો!

દિલ્હીમાં કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન હજાર જેટલા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કેરળમાં પણ કોરોના કેસનો રાફળો ફાટ્યો હોય તેવી રીતે કેસ સામે આવી રહ્યા છે. મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે, છત્તીસગઢમાં ચાર લોકોના મોત થયા છે. કર્ણાટકમાં ત્રણ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડ અને પંજાબમાં એક એક વ્યક્તિના મોત થયા છે. રાજસ્થાનમાં બે લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.     

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.