દેશમાં ફરી વધ્યું કોરોના સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધારે લોકો થયા સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 65 હજારને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-20 12:30:50

દેશમાં થોડા દિવસ પહેલા કોરોના કેસમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ આજે ફરી એક વખત કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 હજાર 591 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 40 જેટલા લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 5,31,230 પર પહોંચી ગયો છે. છેલ્લા 8 મહિના બાદ દેશમાં આટલા બધા કોરોના કેસ નોંધાયા છે.

  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12 હજારથી વધારે કોરોનાના કેસ  

કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારની આસપાસ નોંધાયો હતો જે બાદ ગઈ કાલે 10 હજારને પાર કેસ નોંધાયા હતા ત્યારે આજે તો કોરોના કેસે આઠ મહિનાનો રેકોર્ડ તોડી દીધો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની ઝપેટમાં 12 હજારથી વધુ લોકો આવ્યા છે. 12591 કોરોના કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 40 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. એક્ટિવ કેસનો આંકડો 65 હજારને પાર પહોંચી ગયો છે. 


મૃત્યુઆંકમાં પણ સતત થઈ રહ્યો છે વધારો!

દિલ્હીમાં કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન હજાર જેટલા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કેરળમાં પણ કોરોના કેસનો રાફળો ફાટ્યો હોય તેવી રીતે કેસ સામે આવી રહ્યા છે. મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે, છત્તીસગઢમાં ચાર લોકોના મોત થયા છે. કર્ણાટકમાં ત્રણ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડ અને પંજાબમાં એક એક વ્યક્તિના મોત થયા છે. રાજસ્થાનમાં બે લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.     

 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.