દેશમાં ફરી વધ્યું કોરોના સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધારે લોકો થયા સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 65 હજારને પાર!


  • Published By :
  • Published Date : 2023-04-20 12:30:50

દેશમાં થોડા દિવસ પહેલા કોરોના કેસમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ આજે ફરી એક વખત કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 હજાર 591 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 40 જેટલા લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 5,31,230 પર પહોંચી ગયો છે. છેલ્લા 8 મહિના બાદ દેશમાં આટલા બધા કોરોના કેસ નોંધાયા છે.

  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12 હજારથી વધારે કોરોનાના કેસ  

કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારની આસપાસ નોંધાયો હતો જે બાદ ગઈ કાલે 10 હજારને પાર કેસ નોંધાયા હતા ત્યારે આજે તો કોરોના કેસે આઠ મહિનાનો રેકોર્ડ તોડી દીધો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની ઝપેટમાં 12 હજારથી વધુ લોકો આવ્યા છે. 12591 કોરોના કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 40 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. એક્ટિવ કેસનો આંકડો 65 હજારને પાર પહોંચી ગયો છે. 


મૃત્યુઆંકમાં પણ સતત થઈ રહ્યો છે વધારો!

દિલ્હીમાં કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન હજાર જેટલા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કેરળમાં પણ કોરોના કેસનો રાફળો ફાટ્યો હોય તેવી રીતે કેસ સામે આવી રહ્યા છે. મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે, છત્તીસગઢમાં ચાર લોકોના મોત થયા છે. કર્ણાટકમાં ત્રણ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડ અને પંજાબમાં એક એક વ્યક્તિના મોત થયા છે. રાજસ્થાનમાં બે લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.     

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.