કોરોના વેક્સિનેશન અને સારવાર મામલે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રએ લીધો આ ચોંકાવનારો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-05-15 20:14:24

ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. આ કારણે AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ મનપા સંચાલિત હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ બંધ કરાયા છે. લોકોએ હવે કોરોનાની સારવાર ઘરે જ લેવી પડશે. જો કે કોરોનાના ગંભીર દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે એક વોર્ડ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ કોરોનાને લઈને દુનિયાને મોટી રાહત આપી છે. WHOએ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કોવિડ હવે જાહેર વૈશ્વિક મહામારી રહી નથી. 


કોરોના વેક્સિન માટે ક્યા જવાનું? 


અમદાવાદમાં AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે. મનપા સંચાલિત હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ બંધ કરાયા છે. કોરોના વેક્સિન લેવી હશે તો ખાનગી હોસ્પિટલમાં મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 1 એપ્રિલથી વેકસીનેશનના આંકડા જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજ્યની અનેક હોસ્પિટલમાં વેકસીનેશનની અછત ઊભી થઈ હતી.


કોરોના ટેસ્ટિંગ યથાવત રહેશે 


અમદાવાદમાં AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે, પણ કોરોના ટેસ્ટીંગની સુવિધા યથાવત રહેશે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા ચાલુ રખાશે. તેમજ મ્યુનિ.ની હોસ્પિટલમાં પણ આ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત કોરોનાની હળવી અસર હશે તો દર્દીને ઘરે જ સારવાર આપવામાં આવશે. કોરોના પૂર્ણ થતાં મનપા સંચાલિત હોસ્પિટલમાં અન્ય સારવાર શરૂ કરવામાં આવી છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.