કોરોના વેક્સિનેશન અને સારવાર મામલે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રએ લીધો આ ચોંકાવનારો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-05-15 20:14:24

ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. આ કારણે AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ મનપા સંચાલિત હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ બંધ કરાયા છે. લોકોએ હવે કોરોનાની સારવાર ઘરે જ લેવી પડશે. જો કે કોરોનાના ગંભીર દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે એક વોર્ડ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ કોરોનાને લઈને દુનિયાને મોટી રાહત આપી છે. WHOએ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કોવિડ હવે જાહેર વૈશ્વિક મહામારી રહી નથી. 


કોરોના વેક્સિન માટે ક્યા જવાનું? 


અમદાવાદમાં AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે. મનપા સંચાલિત હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ બંધ કરાયા છે. કોરોના વેક્સિન લેવી હશે તો ખાનગી હોસ્પિટલમાં મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 1 એપ્રિલથી વેકસીનેશનના આંકડા જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજ્યની અનેક હોસ્પિટલમાં વેકસીનેશનની અછત ઊભી થઈ હતી.


કોરોના ટેસ્ટિંગ યથાવત રહેશે 


અમદાવાદમાં AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે, પણ કોરોના ટેસ્ટીંગની સુવિધા યથાવત રહેશે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા ચાલુ રખાશે. તેમજ મ્યુનિ.ની હોસ્પિટલમાં પણ આ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત કોરોનાની હળવી અસર હશે તો દર્દીને ઘરે જ સારવાર આપવામાં આવશે. કોરોના પૂર્ણ થતાં મનપા સંચાલિત હોસ્પિટલમાં અન્ય સારવાર શરૂ કરવામાં આવી છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.