Corona Vaccine નથી Heart Attack આવવા પાછળ જવાબદાર! ગૃહમાં ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-02-05 13:41:46

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેમના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. લોકો માનતા હતા કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે પરંતુ આજે વિધાનસભા સત્રમાં આ વાતને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પાયાવિહોણી ગણાવી છે. 



કોરોના બાદ યુવાનો પર વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો! 

કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે કોરોના મહામારીને કારણે. ત્યારે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે મોટા લોકોને જ હાર્ટ એટેક આવતો હોય છે પરંતુ કોરોના બાદ આ પરિસ્થિતિ બદલાઈ છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. 



ઋષિકેશ પટેલે કોરોના વેક્સિનને લઈ કહી આ વાત!

એવું લાગતું હતું કે કોરોના વેક્સિનને કારણે આ કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ નથી વધી રહ્યા. ગૃહમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ વેક્સિનના કારણે હાર્ટ એટેકની વાત પાયા વિહોણી છે. મહત્વનું છે કે હાર્ટ એટેક પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.       


શાળામાં ભણતા વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક!

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા આપતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે જે વડોદરાના પારનેરા ગામમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવવાને કારણે વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે તેવી વાત સામે આવી છે. ઉલ્લેખનિય છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક શબ્દ સાંભળો સામાન્ય બની ગયો છે.     



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે