Corona Vaccine નથી Heart Attack આવવા પાછળ જવાબદાર! ગૃહમાં ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-02-05 13:41:46

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેમના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. લોકો માનતા હતા કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે પરંતુ આજે વિધાનસભા સત્રમાં આ વાતને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પાયાવિહોણી ગણાવી છે. 



કોરોના બાદ યુવાનો પર વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો! 

કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે કોરોના મહામારીને કારણે. ત્યારે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે મોટા લોકોને જ હાર્ટ એટેક આવતો હોય છે પરંતુ કોરોના બાદ આ પરિસ્થિતિ બદલાઈ છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. 



ઋષિકેશ પટેલે કોરોના વેક્સિનને લઈ કહી આ વાત!

એવું લાગતું હતું કે કોરોના વેક્સિનને કારણે આ કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ નથી વધી રહ્યા. ગૃહમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ વેક્સિનના કારણે હાર્ટ એટેકની વાત પાયા વિહોણી છે. મહત્વનું છે કે હાર્ટ એટેક પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.       


શાળામાં ભણતા વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક!

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા આપતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે જે વડોદરાના પારનેરા ગામમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવવાને કારણે વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે તેવી વાત સામે આવી છે. ઉલ્લેખનિય છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક શબ્દ સાંભળો સામાન્ય બની ગયો છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.