કોરોના સંક્રમણે ચિંતા વધારી, આજે 247 કેસ નોંધાયા, મહેસાણામાં 3 વર્ષના બાળકનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 21:51:06

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસમાં વિક્રમજનક વધારો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં  247 નવા કેસ નોંધાયા છે, તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 124 કેસ નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 


મહેસાણામાં એક બાળકનું મોત


કોરોના સંક્રમણ ધીરે-ધીરે જીવલેણ બની રહ્યું છે, આજે કોરોના વાયરસના કારણે આજે મહેસાણાના જોટાણા તાલુકામાં એક ત્રણ વર્ષના બાળકનું કોરોનાના કારણે મોત નિપજ્યું થયું છે. ગઈકાલે પણ ભરૂચના ઝઘડિયાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે 10 માર્ચના રોજ સુરતમાં એક દર્દીના મોત થયું હતું. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી લોકોએ કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તે અંગે કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.


આજે કેટલા કેસ વધ્યા?


રાજ્યમાં કોરોના કેસના તાજા આકડાઓ પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 124, અમરેલીમાં 19, મોરબી અને સુરત કોર્પોરેશનમાં 17-17, રાજકોટ કોર્પોરેશનમાં 16, મહેસાણામાં 12, વડોદરા કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 8, સુરતમાં 6, ગાંધીનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 3-3, આણંદ અને સાબરકાંઠામાં 2-2 તથા ભાવનગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે. 


કોરોના એક્ટિવ કેસે ચિંતા વધારી


રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે, જેમાંથી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 1058 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 1267144 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11,049 લોકોના કોરોનાથી મોત થયા છે.



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.