કોરોનાના નવા 304 કેસ, છ દર્દીઓ વેન્ટિલેટર પર; અમદાવાદ સહિત આ જિલ્લામાં સૌથી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-04-18 22:27:33

કોરોનાના કેસમાં ગઈ કાલની રાહત બાદ આજે ફરી સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસ  304 કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ  370 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર  98.97  ટકા નોંધાયો છે. 


કુલ 2149 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 2149 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2143  દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,74,577 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?  


રાજ્યના વિવિધ જિલ્લા અને કોર્પોરેશનોમાં નોંધાયેલા નવા કેસ પર એક નજર કરીએ તો કોરોનાના સૌથી વધુ  91  કેસ તો એકલા અમદાવાદ જિલ્લામાંથી નોંધાયા છે. આ ઉપરાંત સૌથી વધુ 91 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 42 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 34 કેસ નોંધાયા છે. મહેસાણામાં 19 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 14 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 19 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 12 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 10 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 10 કેસ નોંધાયા છે. પાટણમાં પણ 9 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 9 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 5 કેસ સામે આવ્યા છે. મોરબીમાં પણ 5 કેસ નોંધાયા છે. આણંદમાં 4 કેસ, બોટાદમાં 3 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, નવસારીમાં 3 કેસ, કચ્છમાં 2 કેસ, નર્મદામાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, તાપીમાં 1 કેસ, ભાવનગરમાં 1 કેસ અને જામનગરમાં પણ 1 કેસ નોંધાયો છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."