કોરોનાના નવા 304 કેસ, છ દર્દીઓ વેન્ટિલેટર પર; અમદાવાદ સહિત આ જિલ્લામાં સૌથી વધુ કેસ


  • Published By :
  • Published Date : 2023-04-18 22:27:33

કોરોનાના કેસમાં ગઈ કાલની રાહત બાદ આજે ફરી સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસ  304 કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ  370 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર  98.97  ટકા નોંધાયો છે. 


કુલ 2149 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 2149 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2143  દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,74,577 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?  


રાજ્યના વિવિધ જિલ્લા અને કોર્પોરેશનોમાં નોંધાયેલા નવા કેસ પર એક નજર કરીએ તો કોરોનાના સૌથી વધુ  91  કેસ તો એકલા અમદાવાદ જિલ્લામાંથી નોંધાયા છે. આ ઉપરાંત સૌથી વધુ 91 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 42 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 34 કેસ નોંધાયા છે. મહેસાણામાં 19 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 14 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 19 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 12 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 10 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 10 કેસ નોંધાયા છે. પાટણમાં પણ 9 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 9 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 5 કેસ સામે આવ્યા છે. મોરબીમાં પણ 5 કેસ નોંધાયા છે. આણંદમાં 4 કેસ, બોટાદમાં 3 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, નવસારીમાં 3 કેસ, કચ્છમાં 2 કેસ, નર્મદામાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, તાપીમાં 1 કેસ, ભાવનગરમાં 1 કેસ અને જામનગરમાં પણ 1 કેસ નોંધાયો છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.