દેશમાં પગપેસારો કરતો કોરોના! જાણો 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-01 12:11:51

દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2994 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો આ આંકડો 16,354 પર પહોંચી ગયો છે. ગુરૂવારે અને શુક્રવારે કોરોના સંક્રમિતોનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો હતો. કોરોના સંક્રમણને કારણે દિલ્હી, કર્ણાટક અને પંજાબથી બે બે લોકોના મોતના સમાચાર મળ્યા હતા, ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે એક વ્યક્તિનું મોત થયું છે ઉપરાંત કેરળથી પણ બે લોકોના મોતના સમાચાર મળ્યા હતા.  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ?

કોરોના ફરી એક વખત દેશમાં પગ પેસારો કરી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુરૂવાર અને શુક્રવારના રોજ 3 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. પરંતુ શનિવારે કોરોના સંક્રમિતોનો આંકડો 2994 નોંધાયો છે. દેશમાં કુલ કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કુલ 4.47 કરોડને પાર પહોંચી ગયો છે. સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજારને પાર પહોંચી ગઈ છે. 16354 હાલ દેશમાં એક્ટિવ કેસ છે. કોરોનાથી રક્ષણ મેળવવા વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે. હજી સુધી 220.66 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી ગઈ છે. 


કેન્દ્ર સરકાર રાખી રહી છે કોરોના કેસ પર નજર 

દેશમાં વધતા કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો પણ કોરોના કેસ પર ધ્યાન રાખી રહી છે. ગુજરાત સરકારે પણ નવી ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. વધતા કોરોના કેસને કારણે ચિંતામાં વધારો થયો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.