દેશમાં પગપેસારો કરતો કોરોના! જાણો 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-01 12:11:51

દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2994 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો આ આંકડો 16,354 પર પહોંચી ગયો છે. ગુરૂવારે અને શુક્રવારે કોરોના સંક્રમિતોનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો હતો. કોરોના સંક્રમણને કારણે દિલ્હી, કર્ણાટક અને પંજાબથી બે બે લોકોના મોતના સમાચાર મળ્યા હતા, ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે એક વ્યક્તિનું મોત થયું છે ઉપરાંત કેરળથી પણ બે લોકોના મોતના સમાચાર મળ્યા હતા.  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ?

કોરોના ફરી એક વખત દેશમાં પગ પેસારો કરી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુરૂવાર અને શુક્રવારના રોજ 3 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. પરંતુ શનિવારે કોરોના સંક્રમિતોનો આંકડો 2994 નોંધાયો છે. દેશમાં કુલ કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કુલ 4.47 કરોડને પાર પહોંચી ગયો છે. સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજારને પાર પહોંચી ગઈ છે. 16354 હાલ દેશમાં એક્ટિવ કેસ છે. કોરોનાથી રક્ષણ મેળવવા વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે. હજી સુધી 220.66 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી ગઈ છે. 


કેન્દ્ર સરકાર રાખી રહી છે કોરોના કેસ પર નજર 

દેશમાં વધતા કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો પણ કોરોના કેસ પર ધ્યાન રાખી રહી છે. ગુજરાત સરકારે પણ નવી ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. વધતા કોરોના કેસને કારણે ચિંતામાં વધારો થયો છે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.