દેશમાં પગપેસારો કરતો કોરોના! જાણો 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-04-01 12:11:51

દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2994 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો આ આંકડો 16,354 પર પહોંચી ગયો છે. ગુરૂવારે અને શુક્રવારે કોરોના સંક્રમિતોનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો હતો. કોરોના સંક્રમણને કારણે દિલ્હી, કર્ણાટક અને પંજાબથી બે બે લોકોના મોતના સમાચાર મળ્યા હતા, ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે એક વ્યક્તિનું મોત થયું છે ઉપરાંત કેરળથી પણ બે લોકોના મોતના સમાચાર મળ્યા હતા.  


છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ?

કોરોના ફરી એક વખત દેશમાં પગ પેસારો કરી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુરૂવાર અને શુક્રવારના રોજ 3 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. પરંતુ શનિવારે કોરોના સંક્રમિતોનો આંકડો 2994 નોંધાયો છે. દેશમાં કુલ કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કુલ 4.47 કરોડને પાર પહોંચી ગયો છે. સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજારને પાર પહોંચી ગઈ છે. 16354 હાલ દેશમાં એક્ટિવ કેસ છે. કોરોનાથી રક્ષણ મેળવવા વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે. હજી સુધી 220.66 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી ગઈ છે. 


કેન્દ્ર સરકાર રાખી રહી છે કોરોના કેસ પર નજર 

દેશમાં વધતા કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો પણ કોરોના કેસ પર ધ્યાન રાખી રહી છે. ગુજરાત સરકારે પણ નવી ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. વધતા કોરોના કેસને કારણે ચિંતામાં વધારો થયો છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.