ગુજરાતમાં કોરોનાના નવા 316 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ, 10 દર્દીઓ વેન્ટિલેટર પર


  • Published By :
  • Published Date : 2023-03-28 20:05:48

ગુજરાતમાં કોરોના વધતા કોરોના સંક્રમણે સરકારથી લઈને સામાન્ય માણસની ચિંતા ફરી વધારી છે. વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 316 કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ 111 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે છે. આજે 189 દર્દીઓ સાજા થયા છે અને 10 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર ઉપર છે.


કોરોનાના કુલ 1,976 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 1,976 દર્દીઓ છે. જેમાંથી 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1966 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,053 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.99 ટકા છે.


111 કેસ સાથે અમદાવાદ મોખરે 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ નોંધાયા છે. તે ઉપરાંત સુરત કોપોરેશન-26, રાજકોટ કોપોરેશન-25, મોરબી-23, અમરેલી-19, વડોદરા કોપોરેશન-17, મહેસાણા-12, સાબરકાંઠા-12, વડોદરા-12  સુરત-8, વલસાડ-8, કચ્છ-7, ભાવનગર કોપોરેશન-5, ગાંધીનગર કોપોરેશન-5, રાજકોટ-5, ભરૂચ-4, જામનગર કોપોરેશન-4,આણંદ-2, ખેડા-2, નવસારી-2, પાટણ-2, સુરેન્દ્રનગર-2, બનાસકાંઠા-1, જામનગર-1 અને મહીસાગરમાં એક કેસ નોંધાયો છે. 



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.