ગુજરાતમાં કોરોનાના નવા 316 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ, 10 દર્દીઓ વેન્ટિલેટર પર


  • Published By :
  • Published Date : 2023-03-28 20:05:48

ગુજરાતમાં કોરોના વધતા કોરોના સંક્રમણે સરકારથી લઈને સામાન્ય માણસની ચિંતા ફરી વધારી છે. વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 316 કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ 111 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે છે. આજે 189 દર્દીઓ સાજા થયા છે અને 10 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર ઉપર છે.


કોરોનાના કુલ 1,976 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 1,976 દર્દીઓ છે. જેમાંથી 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1966 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,053 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.99 ટકા છે.


111 કેસ સાથે અમદાવાદ મોખરે 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ નોંધાયા છે. તે ઉપરાંત સુરત કોપોરેશન-26, રાજકોટ કોપોરેશન-25, મોરબી-23, અમરેલી-19, વડોદરા કોપોરેશન-17, મહેસાણા-12, સાબરકાંઠા-12, વડોદરા-12  સુરત-8, વલસાડ-8, કચ્છ-7, ભાવનગર કોપોરેશન-5, ગાંધીનગર કોપોરેશન-5, રાજકોટ-5, ભરૂચ-4, જામનગર કોપોરેશન-4,આણંદ-2, ખેડા-2, નવસારી-2, પાટણ-2, સુરેન્દ્રનગર-2, બનાસકાંઠા-1, જામનગર-1 અને મહીસાગરમાં એક કેસ નોંધાયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.