AMC બજેટ સત્રમાં કોર્પોરેટરો ઊંઘતા ઝડપાયા, ચર્ચામાં ભાગ લેવાને બદલે લીધી ઊંઘની મજા!


  • Published By :
  • Published Date : 2023-02-20 09:40:28

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બે દિવસીય બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. બજેટના પ્રથમ દિવસે વી.એસ.હોસ્પિટલ, એમ જે લાઈબ્રેરીના બજેટ ઉપર ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન અનેક કોર્પોરેટરો ઊંઘતા દેખાયા હતા. બપોરે 2.30ની આસપાસ બજેટનું બપોરનું સેશન શરૂ થયું હતું. આના વીડિયો સામે આવ્યા છે જે બાદ ખૂબ વાયરલ થઈ રહ્યા છે..   


મહિલા કોર્પોરેટરોએ લઈ લીધી ઉંઘની ઝબકી 

મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાંધીહોલ ખાતે બજેટ ઉપરની ચર્ચાના બીજા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર બપોરે લંચ બ્રેક બાદ 2.30 વાગ્યાની આસપાસ સેશનમાં વી.એસ.હોસ્પિટલના બજેટ અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ચર્ચા દરમિયાન અનેક એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં કોર્પોરેટરો ઊંઘતા દેખાયા હતા. આ ચર્ચા દરમિયાન કોર્પોરેટરે ઝપકી મારી લીધી હતી. અસારવા વોર્ડના કોર્પોરેટર, સરસપુર રખિયાલ વોર્ડના કોર્પોરેટર, નારણપુરા વોર્ડના કોર્પોરેટર સહિત અનેક બીજા કોર્પોરેટર ચર્ચા દરમિયાન નિંદર માણી રહ્યા હતા.  


સૂચના બાદ પણ ઊંઘતા દેખાયા કોર્પોરેટરો  

ચર્ચા શરૂ થાય તે પહેલા જ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે બપોરે લંચ બ્રેક બાદ બજેટ સેશન દરમિયાન કોઈપણ કોર્પોરેટર સુઈ જશે નહીં ઉપરાંત કોઈપણ કોર્પોરેટરોએ પોતાના મોબાઈલ પણ લઈ અને તેમાં વ્યસ્ત ન રહેવાની સૂચના આપવામાં આવી હતી. કોર્પોરેશનની બોર્ડ મીટિંગ પહેલા ભાજપના તમામ કોર્પોરેટરની એજન્ડા મીટિંગ યોજાઈ હતી જેમાં આ અંગે જણાવામાં આવ્યું હતું. પરંતુ ચર્ચા દરમિયાન અનેક કોર્પોરેટર ખાસ કરીને મહિલા કોર્પોરેટરો ઉંઘતી ઝડપાઈ હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.