AMC બજેટ સત્રમાં કોર્પોરેટરો ઊંઘતા ઝડપાયા, ચર્ચામાં ભાગ લેવાને બદલે લીધી ઊંઘની મજા!


  • Published By :
  • Published Date : 2023-02-20 09:40:28

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બે દિવસીય બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. બજેટના પ્રથમ દિવસે વી.એસ.હોસ્પિટલ, એમ જે લાઈબ્રેરીના બજેટ ઉપર ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન અનેક કોર્પોરેટરો ઊંઘતા દેખાયા હતા. બપોરે 2.30ની આસપાસ બજેટનું બપોરનું સેશન શરૂ થયું હતું. આના વીડિયો સામે આવ્યા છે જે બાદ ખૂબ વાયરલ થઈ રહ્યા છે..   


મહિલા કોર્પોરેટરોએ લઈ લીધી ઉંઘની ઝબકી 

મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાંધીહોલ ખાતે બજેટ ઉપરની ચર્ચાના બીજા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર બપોરે લંચ બ્રેક બાદ 2.30 વાગ્યાની આસપાસ સેશનમાં વી.એસ.હોસ્પિટલના બજેટ અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ચર્ચા દરમિયાન અનેક એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં કોર્પોરેટરો ઊંઘતા દેખાયા હતા. આ ચર્ચા દરમિયાન કોર્પોરેટરે ઝપકી મારી લીધી હતી. અસારવા વોર્ડના કોર્પોરેટર, સરસપુર રખિયાલ વોર્ડના કોર્પોરેટર, નારણપુરા વોર્ડના કોર્પોરેટર સહિત અનેક બીજા કોર્પોરેટર ચર્ચા દરમિયાન નિંદર માણી રહ્યા હતા.  


સૂચના બાદ પણ ઊંઘતા દેખાયા કોર્પોરેટરો  

ચર્ચા શરૂ થાય તે પહેલા જ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે બપોરે લંચ બ્રેક બાદ બજેટ સેશન દરમિયાન કોઈપણ કોર્પોરેટર સુઈ જશે નહીં ઉપરાંત કોઈપણ કોર્પોરેટરોએ પોતાના મોબાઈલ પણ લઈ અને તેમાં વ્યસ્ત ન રહેવાની સૂચના આપવામાં આવી હતી. કોર્પોરેશનની બોર્ડ મીટિંગ પહેલા ભાજપના તમામ કોર્પોરેટરની એજન્ડા મીટિંગ યોજાઈ હતી જેમાં આ અંગે જણાવામાં આવ્યું હતું. પરંતુ ચર્ચા દરમિયાન અનેક કોર્પોરેટર ખાસ કરીને મહિલા કોર્પોરેટરો ઉંઘતી ઝડપાઈ હતી.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.