સુરતના લિંબાયતમાં બહેને લવ મેરેજ કરતા ભાઈએ ચપ્પુના ઘા ઝીંક્યા, હલ્દીની વિધિ દરમિયાન જ યુવતીનું મોત થયું


  • Published By :
  • Published Date : 2023-06-27 14:45:40

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્ચાત સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં અવારનવાર હત્યા, લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે. સુરતના લીંબાયતમાં એક ભાઈએ જ બહેનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને પગલે લિંબાયત પોલીસે સ્થળ પર પહોંચી ગુનો દાખલ કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે.


બહેને લવ મેરેજ કરતા થઈ હત્યા


સુરતના લિંબાયત વિસ્તારના આરડી ફાટક પાસે આવેલ રામેશ્વર સોસાયટી પાસે રહેતા ધાગાજી મહાજનના પુત્ર જીતેન્દ્ર મહાજનનો કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બંનેના સમાજ અલગ હોવાથી યુવતીનો પરિવાર આ સંબંધના વિરોધમાં હતો. જેથી જિતેન્દ્ર અને કલ્યાણીએ એક મહિના અગાઉ કોર્ટ મેરેજ કરી લીધા હતા. કલયાણી એક મહિનાથી જીતેન્દ્રના ઘરે રહ્યા બાદ જીતેન્દ્રના પરિવારએ બંનેના વિધિવત રીતે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. 27 જૂનના રોજ બંનેના લગ્ન હોય ગત 26 જૂનના રોજ સાંજના સમયે પીઠી ચોળવાની વિધી ચાલી રહી હતી ત્યારે જ અચાનક યુવતીનો પિતરાઈ ભાઈ મોનુ પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો અને લોકોની હાજરી વચ્ચે તેણે બહેન કલ્યાણી પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. 


લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો


પિતરાઈ ભાઈ મોનુ પાટીલે બહેન કલ્યાણી પર ચપ્પુના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા બાદ તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી જોકે તેને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હત્યા કરનાર યુવતીના પિતરાઈ ભાઈ મોનુ પાટીલની પોલીસે અટકાયત કરી લીધી છે. તેમજ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .