સુરતના લિંબાયતમાં બહેને લવ મેરેજ કરતા ભાઈએ ચપ્પુના ઘા ઝીંક્યા, હલ્દીની વિધિ દરમિયાન જ યુવતીનું મોત થયું


  • Published By :
  • Published Date : 2023-06-27 14:45:40

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્ચાત સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં અવારનવાર હત્યા, લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે. સુરતના લીંબાયતમાં એક ભાઈએ જ બહેનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને પગલે લિંબાયત પોલીસે સ્થળ પર પહોંચી ગુનો દાખલ કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે.


બહેને લવ મેરેજ કરતા થઈ હત્યા


સુરતના લિંબાયત વિસ્તારના આરડી ફાટક પાસે આવેલ રામેશ્વર સોસાયટી પાસે રહેતા ધાગાજી મહાજનના પુત્ર જીતેન્દ્ર મહાજનનો કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બંનેના સમાજ અલગ હોવાથી યુવતીનો પરિવાર આ સંબંધના વિરોધમાં હતો. જેથી જિતેન્દ્ર અને કલ્યાણીએ એક મહિના અગાઉ કોર્ટ મેરેજ કરી લીધા હતા. કલયાણી એક મહિનાથી જીતેન્દ્રના ઘરે રહ્યા બાદ જીતેન્દ્રના પરિવારએ બંનેના વિધિવત રીતે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. 27 જૂનના રોજ બંનેના લગ્ન હોય ગત 26 જૂનના રોજ સાંજના સમયે પીઠી ચોળવાની વિધી ચાલી રહી હતી ત્યારે જ અચાનક યુવતીનો પિતરાઈ ભાઈ મોનુ પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો અને લોકોની હાજરી વચ્ચે તેણે બહેન કલ્યાણી પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. 


લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો


પિતરાઈ ભાઈ મોનુ પાટીલે બહેન કલ્યાણી પર ચપ્પુના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા બાદ તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી જોકે તેને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હત્યા કરનાર યુવતીના પિતરાઈ ભાઈ મોનુ પાટીલની પોલીસે અટકાયત કરી લીધી છે. તેમજ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.