સુરતના લિંબાયતમાં બહેને લવ મેરેજ કરતા ભાઈએ ચપ્પુના ઘા ઝીંક્યા, હલ્દીની વિધિ દરમિયાન જ યુવતીનું મોત થયું


  • Published By :
  • Published Date : 2023-06-27 14:45:40

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્ચાત સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં અવારનવાર હત્યા, લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે. સુરતના લીંબાયતમાં એક ભાઈએ જ બહેનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને પગલે લિંબાયત પોલીસે સ્થળ પર પહોંચી ગુનો દાખલ કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે.


બહેને લવ મેરેજ કરતા થઈ હત્યા


સુરતના લિંબાયત વિસ્તારના આરડી ફાટક પાસે આવેલ રામેશ્વર સોસાયટી પાસે રહેતા ધાગાજી મહાજનના પુત્ર જીતેન્દ્ર મહાજનનો કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બંનેના સમાજ અલગ હોવાથી યુવતીનો પરિવાર આ સંબંધના વિરોધમાં હતો. જેથી જિતેન્દ્ર અને કલ્યાણીએ એક મહિના અગાઉ કોર્ટ મેરેજ કરી લીધા હતા. કલયાણી એક મહિનાથી જીતેન્દ્રના ઘરે રહ્યા બાદ જીતેન્દ્રના પરિવારએ બંનેના વિધિવત રીતે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. 27 જૂનના રોજ બંનેના લગ્ન હોય ગત 26 જૂનના રોજ સાંજના સમયે પીઠી ચોળવાની વિધી ચાલી રહી હતી ત્યારે જ અચાનક યુવતીનો પિતરાઈ ભાઈ મોનુ પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો અને લોકોની હાજરી વચ્ચે તેણે બહેન કલ્યાણી પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. 


લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો


પિતરાઈ ભાઈ મોનુ પાટીલે બહેન કલ્યાણી પર ચપ્પુના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા બાદ તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી જોકે તેને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હત્યા કરનાર યુવતીના પિતરાઈ ભાઈ મોનુ પાટીલની પોલીસે અટકાયત કરી લીધી છે. તેમજ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.