સુરતના લિંબાયતમાં બહેને લવ મેરેજ કરતા ભાઈએ ચપ્પુના ઘા ઝીંક્યા, હલ્દીની વિધિ દરમિયાન જ યુવતીનું મોત થયું


  • Published By :
  • Published Date : 2023-06-27 14:45:40

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્ચાત સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં અવારનવાર હત્યા, લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે. સુરતના લીંબાયતમાં એક ભાઈએ જ બહેનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને પગલે લિંબાયત પોલીસે સ્થળ પર પહોંચી ગુનો દાખલ કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે.


બહેને લવ મેરેજ કરતા થઈ હત્યા


સુરતના લિંબાયત વિસ્તારના આરડી ફાટક પાસે આવેલ રામેશ્વર સોસાયટી પાસે રહેતા ધાગાજી મહાજનના પુત્ર જીતેન્દ્ર મહાજનનો કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બંનેના સમાજ અલગ હોવાથી યુવતીનો પરિવાર આ સંબંધના વિરોધમાં હતો. જેથી જિતેન્દ્ર અને કલ્યાણીએ એક મહિના અગાઉ કોર્ટ મેરેજ કરી લીધા હતા. કલયાણી એક મહિનાથી જીતેન્દ્રના ઘરે રહ્યા બાદ જીતેન્દ્રના પરિવારએ બંનેના વિધિવત રીતે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. 27 જૂનના રોજ બંનેના લગ્ન હોય ગત 26 જૂનના રોજ સાંજના સમયે પીઠી ચોળવાની વિધી ચાલી રહી હતી ત્યારે જ અચાનક યુવતીનો પિતરાઈ ભાઈ મોનુ પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો અને લોકોની હાજરી વચ્ચે તેણે બહેન કલ્યાણી પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. 


લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો


પિતરાઈ ભાઈ મોનુ પાટીલે બહેન કલ્યાણી પર ચપ્પુના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા બાદ તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી જોકે તેને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હત્યા કરનાર યુવતીના પિતરાઈ ભાઈ મોનુ પાટીલની પોલીસે અટકાયત કરી લીધી છે. તેમજ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.