શું દેશમાં Covid-19ના બુસ્ટર ડોઝની જરૂર છે? કોરોનાની વધતી ચિંતાને લઈ સરકારે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-03 12:32:50

ચીનમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ બાદ ભારતમાં પણ ભયનો માહોલ છે. દેશમાં લોકો હવે કોરોનાના બુસ્ટર ડોઝની માગ કરી રહ્યા છે. જો  કે કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયના કર્મચારીઓને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કોરોનાના નવા વેરિયેન્ટનો સામનો કરવા માટે અન્ય કોઈ પણ પ્રકારના બુસ્ટર ડોઝની જરૂરીયાત ન  હોવાનું જણાવ્યું હતું. 


 220.11 કરોડ લોકોને રસીના ડોઝ 


સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા દેશમાં આપણે બુસ્ટર ડ્રાઈવને પૂરી કરવી પડશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 134 નવા કેસ નોંધાયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વર્તમાનમાં 2,582 છે. મંત્રાલયના  આંકડા પ્રમાણે રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 220.11 કરોડ લોકોને રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે.


કોરોનાથી થતા મોતમાં આવ્યો રેકોર્ડ ઘટાડો


આ દરમિયાન માર્ચ 2020 બાદ પહેલી વખત છેલ્લા સપ્તાહમાં એટલે કે 26 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી દરમિયાન  કોવિડથી થનારા મોતની સંખ્યા ઘટી છે. કોવિડ ડેટા બેઝ પ્રમાણે 19-25 ડિસેમ્બરમાં 16 લોકોના મોત નિપજ્યા છે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.