શું દેશમાં Covid-19ના બુસ્ટર ડોઝની જરૂર છે? કોરોનાની વધતી ચિંતાને લઈ સરકારે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-03 12:32:50

ચીનમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ બાદ ભારતમાં પણ ભયનો માહોલ છે. દેશમાં લોકો હવે કોરોનાના બુસ્ટર ડોઝની માગ કરી રહ્યા છે. જો  કે કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયના કર્મચારીઓને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કોરોનાના નવા વેરિયેન્ટનો સામનો કરવા માટે અન્ય કોઈ પણ પ્રકારના બુસ્ટર ડોઝની જરૂરીયાત ન  હોવાનું જણાવ્યું હતું. 


 220.11 કરોડ લોકોને રસીના ડોઝ 


સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા દેશમાં આપણે બુસ્ટર ડ્રાઈવને પૂરી કરવી પડશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 134 નવા કેસ નોંધાયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વર્તમાનમાં 2,582 છે. મંત્રાલયના  આંકડા પ્રમાણે રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 220.11 કરોડ લોકોને રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે.


કોરોનાથી થતા મોતમાં આવ્યો રેકોર્ડ ઘટાડો


આ દરમિયાન માર્ચ 2020 બાદ પહેલી વખત છેલ્લા સપ્તાહમાં એટલે કે 26 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી દરમિયાન  કોવિડથી થનારા મોતની સંખ્યા ઘટી છે. કોવિડ ડેટા બેઝ પ્રમાણે 19-25 ડિસેમ્બરમાં 16 લોકોના મોત નિપજ્યા છે.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.