AMC દ્વારા પકડવામાં આવેલી ગાયોને આવી પરિસ્થિતિમાં રખાય છે! આ દ્રશ્યો જોઈ તમે વિચલીત થઈ શકો છો!


  • Published By :
  • Published Date : 2023-11-17 14:41:34

રખડતા ઢોરના ત્રાસથી લોકોને મુક્તિ મળે તે માટે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. તંત્રની કામગીરી પર અનેક વખત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. કોર્ટની અનેક વખત ફટકાર બાદ તંત્ર રખડતા ઢોરને પકડવા માટે દોડતું થયું. રખડતા ઢોરને તો પકડવામાં આવે છે પરંતુ કેવી પરિસ્થિતિમાં ગાયોને રાખવામાં આવે છે કદાચ એનો વિચાર આપણે નહીં કરી શકીએ. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં ગાયોને જેવી પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તે દયનિય છે. હાઈકોર્ટની ફટકાર બાદ જ્યારે ટીમ ઢોરને પકડવા માટે જાય છે ત્યારે માલધારી અને ઢોરપાર્ટી વચ્ચે બબાલ થાય છે, મારપીટ થાય છે તેવી ઘટનાઓ, તેવા કિસ્સાઓ આપણે જોયા છે. રખડતા ઢોરને પકડવાની કામગીરીના વીડિયો અનેક વખત બતાવવામાં આવ્યા ત્યારે આજે એવા દ્રશ્યો બતાવવા છે કે કેવી પરિસ્થિતિમાં ગાયોને રાખવામાં આવે છે?

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા પકડવામાં આવ્યા હતા ઢોરને 

હાઈકોર્ટની ઝાટકણી બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક ગાયોને પકડવામાં આવી છે અને ઢોરવાસમાં રાખવામાં આવે છે. એક વખત તો સમાચાર સામે આવ્યા હતા કે ઢોરવાસ પેક થઈ ગયા છે. રખડતા ઢોરને પકડવા જ્યારે ટીમ જતી હતી તેના દ્રશ્યો તો અનેક વખત બતાવ્યા છે પરંતુ ગાયોને કેવી પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તેના દ્રશ્યો આજે તમને બતાવવા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલા ઢોરને વિવિધ સંસ્થાઓ દ્વારા અન્ય ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી છે.



પાંજરાપોળમાં નથી પાણીની વ્યવસ્થા અને અનેક ગાયો મૃત હાલતમાં મળી!

ત્યારે અમદાવાદના રાસ્કા ગામ નજીક આવેલી એક પાંજરાપોળનો વીડિયો માલધારી આગેવાન દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં માલધારી આગેવાને આક્ષેપ કર્યો છે કે, રાસ્કા ગામ ખાતે ચલાવવામાં આવતી સંસ્થા દ્વારા પાંજરાપોળમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પકડેલા ઢોર રાખવામાં આવ્યા છે. જ્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી અને ત્રણથી ચાર ઢોર મૃત્યુ પામ્યા છે. ઢોરને કાગડા કોતરી કોરી ખાઈ રહ્યા છે.આના પહેલા પણ એક વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાઇરલ તહ્યો હતો જેમાં અમદાવાદમાં ગાયો જ્યાં રાખવામાં આવી ત્યાં ગાયોની હાલત ખરાબ હતી. 

ગાંધીનગરના પાંજરાપોળની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત 

અમદાવાદની વાત કરી રહ્યા છીએ તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીએ પણ  ગાંધીનગરમાં આવેલા એક પાંજરાપોળની ઓચિંતી મુલાકાત લીધી હતી. ગાંધીનગર સેક્ટર 30 નજીક આવેલા પાંજરાપોળ તેઓ પહોંચ્યા હતા. પાંજરાપોળ પહોંચીને કેવી રીતે ગાયોને રાખવામાં આવે છે તેની માહિતી તેમણે મેળવી હતી. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી