AMC દ્વારા પકડવામાં આવેલી ગાયોને આવી પરિસ્થિતિમાં રખાય છે! આ દ્રશ્યો જોઈ તમે વિચલીત થઈ શકો છો!


  • Published By :
  • Published Date : 2023-11-17 14:41:34

રખડતા ઢોરના ત્રાસથી લોકોને મુક્તિ મળે તે માટે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. તંત્રની કામગીરી પર અનેક વખત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. કોર્ટની અનેક વખત ફટકાર બાદ તંત્ર રખડતા ઢોરને પકડવા માટે દોડતું થયું. રખડતા ઢોરને તો પકડવામાં આવે છે પરંતુ કેવી પરિસ્થિતિમાં ગાયોને રાખવામાં આવે છે કદાચ એનો વિચાર આપણે નહીં કરી શકીએ. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં ગાયોને જેવી પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તે દયનિય છે. હાઈકોર્ટની ફટકાર બાદ જ્યારે ટીમ ઢોરને પકડવા માટે જાય છે ત્યારે માલધારી અને ઢોરપાર્ટી વચ્ચે બબાલ થાય છે, મારપીટ થાય છે તેવી ઘટનાઓ, તેવા કિસ્સાઓ આપણે જોયા છે. રખડતા ઢોરને પકડવાની કામગીરીના વીડિયો અનેક વખત બતાવવામાં આવ્યા ત્યારે આજે એવા દ્રશ્યો બતાવવા છે કે કેવી પરિસ્થિતિમાં ગાયોને રાખવામાં આવે છે?

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા પકડવામાં આવ્યા હતા ઢોરને 

હાઈકોર્ટની ઝાટકણી બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક ગાયોને પકડવામાં આવી છે અને ઢોરવાસમાં રાખવામાં આવે છે. એક વખત તો સમાચાર સામે આવ્યા હતા કે ઢોરવાસ પેક થઈ ગયા છે. રખડતા ઢોરને પકડવા જ્યારે ટીમ જતી હતી તેના દ્રશ્યો તો અનેક વખત બતાવ્યા છે પરંતુ ગાયોને કેવી પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તેના દ્રશ્યો આજે તમને બતાવવા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલા ઢોરને વિવિધ સંસ્થાઓ દ્વારા અન્ય ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી છે.



પાંજરાપોળમાં નથી પાણીની વ્યવસ્થા અને અનેક ગાયો મૃત હાલતમાં મળી!

ત્યારે અમદાવાદના રાસ્કા ગામ નજીક આવેલી એક પાંજરાપોળનો વીડિયો માલધારી આગેવાન દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં માલધારી આગેવાને આક્ષેપ કર્યો છે કે, રાસ્કા ગામ ખાતે ચલાવવામાં આવતી સંસ્થા દ્વારા પાંજરાપોળમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પકડેલા ઢોર રાખવામાં આવ્યા છે. જ્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી અને ત્રણથી ચાર ઢોર મૃત્યુ પામ્યા છે. ઢોરને કાગડા કોતરી કોરી ખાઈ રહ્યા છે.આના પહેલા પણ એક વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાઇરલ તહ્યો હતો જેમાં અમદાવાદમાં ગાયો જ્યાં રાખવામાં આવી ત્યાં ગાયોની હાલત ખરાબ હતી. 

ગાંધીનગરના પાંજરાપોળની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત 

અમદાવાદની વાત કરી રહ્યા છીએ તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીએ પણ  ગાંધીનગરમાં આવેલા એક પાંજરાપોળની ઓચિંતી મુલાકાત લીધી હતી. ગાંધીનગર સેક્ટર 30 નજીક આવેલા પાંજરાપોળ તેઓ પહોંચ્યા હતા. પાંજરાપોળ પહોંચીને કેવી રીતે ગાયોને રાખવામાં આવે છે તેની માહિતી તેમણે મેળવી હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.