સરકારે 500 કરોડ સહાય ન ચૂકવતા ડીસામાં ધરણાં ઉપર બેઠેલા 101 ગૌભક્તોએ મુંડન કરાવી નોંધાવ્યો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 13:02:29

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની ભાજપ સરકારને કર્મચારીઓની સાથે-સાથે સમાજના વિવિધ વર્ગોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે ગત બજેટમાં ગૌશાળામાં ગાયોના નિભાવ ખર્ચ માટે 500 કરોડની સહાય જાહેરાત કરી હતી. સરકારે જાહેરાત કર્યાના મહિનાઓ વીતી ગયા છતાં હજી સહાય ચૂકવામાં આવી નથી. સરકાર સહાય ચૂકવે તે માટે  રાજ્યભરમાં ગૌ શાળા સંચાલકો ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં બનાસકાંઠાના ગૌશાળાના સંચાલકોએ સરકારની નીતિનો વિરોધ કરતા મુંડન કરાવ્યું હતું. 


સરકારના વલણથી ગૌ શાળા સંચાલકો નિરાશ 


ગૌ શાળા સંચાલકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના માલધારી સમાજના ધારાસભ્યએ ટેકો આપ્યો હતો. આમ છતાં સરકારે સહાય રકમ બાબતે કોઈ હકારાત્મક જવાબ ન આપતા ગૌશાળા સંચાલકોએ બનાસકાંઠા અને પાટણમાં સરકારી કચેરીઓમાં ગાયો બાંધી દીધી હતી. આ ઉપરાંત ડીસા રાધનપુર હાઇવે બંધ કરી ચક્કાજામ કર્યું હતું. તે ઉપરાંત ગૌ શાળા સંચાલકોએ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની કારને રોકીને વિરોધ કર્યો હતો. કેટલાક ગૌશાળા સંચાલકોએ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી નમો કિસાન પંચાયતનો વિરોધ કરી ભાજપના કાર્યકર્તાને ધક્કે ચડાવ્યા હતા. આજે ગૌશાળા સંચાલકોએ મુંડન કરાવીને સરકારનો વિરોધ નોંધાવ્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.