સરકારે 500 કરોડ સહાય ન ચૂકવતા ડીસામાં ધરણાં ઉપર બેઠેલા 101 ગૌભક્તોએ મુંડન કરાવી નોંધાવ્યો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 13:02:29

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની ભાજપ સરકારને કર્મચારીઓની સાથે-સાથે સમાજના વિવિધ વર્ગોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે ગત બજેટમાં ગૌશાળામાં ગાયોના નિભાવ ખર્ચ માટે 500 કરોડની સહાય જાહેરાત કરી હતી. સરકારે જાહેરાત કર્યાના મહિનાઓ વીતી ગયા છતાં હજી સહાય ચૂકવામાં આવી નથી. સરકાર સહાય ચૂકવે તે માટે  રાજ્યભરમાં ગૌ શાળા સંચાલકો ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં બનાસકાંઠાના ગૌશાળાના સંચાલકોએ સરકારની નીતિનો વિરોધ કરતા મુંડન કરાવ્યું હતું. 


સરકારના વલણથી ગૌ શાળા સંચાલકો નિરાશ 


ગૌ શાળા સંચાલકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના માલધારી સમાજના ધારાસભ્યએ ટેકો આપ્યો હતો. આમ છતાં સરકારે સહાય રકમ બાબતે કોઈ હકારાત્મક જવાબ ન આપતા ગૌશાળા સંચાલકોએ બનાસકાંઠા અને પાટણમાં સરકારી કચેરીઓમાં ગાયો બાંધી દીધી હતી. આ ઉપરાંત ડીસા રાધનપુર હાઇવે બંધ કરી ચક્કાજામ કર્યું હતું. તે ઉપરાંત ગૌ શાળા સંચાલકોએ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની કારને રોકીને વિરોધ કર્યો હતો. કેટલાક ગૌશાળા સંચાલકોએ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી નમો કિસાન પંચાયતનો વિરોધ કરી ભાજપના કાર્યકર્તાને ધક્કે ચડાવ્યા હતા. આજે ગૌશાળા સંચાલકોએ મુંડન કરાવીને સરકારનો વિરોધ નોંધાવ્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.