સરકારે 500 કરોડ સહાય ન ચૂકવતા ડીસામાં ધરણાં ઉપર બેઠેલા 101 ગૌભક્તોએ મુંડન કરાવી નોંધાવ્યો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 13:02:29

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની ભાજપ સરકારને કર્મચારીઓની સાથે-સાથે સમાજના વિવિધ વર્ગોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે ગત બજેટમાં ગૌશાળામાં ગાયોના નિભાવ ખર્ચ માટે 500 કરોડની સહાય જાહેરાત કરી હતી. સરકારે જાહેરાત કર્યાના મહિનાઓ વીતી ગયા છતાં હજી સહાય ચૂકવામાં આવી નથી. સરકાર સહાય ચૂકવે તે માટે  રાજ્યભરમાં ગૌ શાળા સંચાલકો ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં બનાસકાંઠાના ગૌશાળાના સંચાલકોએ સરકારની નીતિનો વિરોધ કરતા મુંડન કરાવ્યું હતું. 


સરકારના વલણથી ગૌ શાળા સંચાલકો નિરાશ 


ગૌ શાળા સંચાલકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના માલધારી સમાજના ધારાસભ્યએ ટેકો આપ્યો હતો. આમ છતાં સરકારે સહાય રકમ બાબતે કોઈ હકારાત્મક જવાબ ન આપતા ગૌશાળા સંચાલકોએ બનાસકાંઠા અને પાટણમાં સરકારી કચેરીઓમાં ગાયો બાંધી દીધી હતી. આ ઉપરાંત ડીસા રાધનપુર હાઇવે બંધ કરી ચક્કાજામ કર્યું હતું. તે ઉપરાંત ગૌ શાળા સંચાલકોએ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની કારને રોકીને વિરોધ કર્યો હતો. કેટલાક ગૌશાળા સંચાલકોએ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી નમો કિસાન પંચાયતનો વિરોધ કરી ભાજપના કાર્યકર્તાને ધક્કે ચડાવ્યા હતા. આજે ગૌશાળા સંચાલકોએ મુંડન કરાવીને સરકારનો વિરોધ નોંધાવ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.