ફ્રીની રેવડી AAP આપે છે તો પાટીલના પેટમાં શા માટે દુ:ખે છે: ઈસુદાન ગઢવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 16:10:46

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક પછી એક લોક કલ્યાણની જાહેરાતો કરી રહી છે. આપની આ ગેરન્ટી યોજનાઓથી ભાજપની સ્થિતી કફોડી બની છે. આપની જાહેરાતોને ભાજપ ફ્રી રેવડી કહીને મજાક ઉડાવે છે. સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આજે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આમ આદમી પાર્ટીની ફ્રી રેવડી નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા.  


ફ્રી રેવડી મુદ્દે પાટીલે શું કહ્યું?


આમ આદમી પાર્ટીની રેવડી નીતિ અંગે પાટીલે કહ્યું કે, વડાપ્રધાને વેક્સિન પણ ફ્રી, અનાજ પણ ફ્રી આપ્યું, કોઈએ તેને રેવડી ન કીધી. લોકોના જીવન બચાવવા જેની જરૂર હોય તે વસ્તુ તેમને પહોંચાડવી જોઈએ. આ રેવડીવાળા કેવાં કેવાં વચનો આપી જાય છે અને એ વચનો પૂરી કરી શકાશે કે નહીં તેની ચિંતા કરતા નથી. જેને કંઈ આપવું જ નથી એ તો કંઈ પણ કહીં શકે. પાટીલે આપની તમામ મફત લાઈટ, મહિલાઓને હજાર રુપિયા આપવાની, સરપંચને દર મહિને દશ હજાર આપવાની, બેરોજગારોને મહિને ત્રણ હજાર આપવા સહિતની જાહેરાતોનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ તમામનો સરવાળો કરીએ તો રાજ્યનું બજેટ ખોરવાઈ જાય અને વિકાસ કાર્યો માટે એક રુપિયો પણ ન બચે.


ઈસુદાનનો પાટીલને જવાબ


ફ્રી રેવડી અંગે પાટીલે આમ આદમી પાર્ટીની ટીકા કરતા આપના અગ્રણી નેતા ઈસુદાન ગઢવીએ પણ વળતો પ્રહાર કરતા પાટીલની માનસિક્તાને ગુજરાત વિરોધી ગણાવી હતી. પાટીલ રાજ્યના લોકોની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોને ફ્રીમાં વિજળી મળે તો પાટીલના પેટમાં કેમ દુ:ખે છે. પાટીલ પોતે સાંસદ તરીકે મફતમાં વીજળી સહિતના સરકારી લાભ મેળવે જ છે, પહેલા તે તમામ સુવિધા તેમણે બંધ કરવી જોઈએ. ગુજરાતની ભાજપ સરકાર પ્રજાને કાંઈ પણ ફ્રીમાં આપતી ન હોવા છતાં પણ રાજ્ય પર સાડા ત્રણ લાખ કરોડનું દેવું છે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી