ફ્રીની રેવડી AAP આપે છે તો પાટીલના પેટમાં શા માટે દુ:ખે છે: ઈસુદાન ગઢવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 16:10:46

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક પછી એક લોક કલ્યાણની જાહેરાતો કરી રહી છે. આપની આ ગેરન્ટી યોજનાઓથી ભાજપની સ્થિતી કફોડી બની છે. આપની જાહેરાતોને ભાજપ ફ્રી રેવડી કહીને મજાક ઉડાવે છે. સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આજે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આમ આદમી પાર્ટીની ફ્રી રેવડી નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા.  


ફ્રી રેવડી મુદ્દે પાટીલે શું કહ્યું?


આમ આદમી પાર્ટીની રેવડી નીતિ અંગે પાટીલે કહ્યું કે, વડાપ્રધાને વેક્સિન પણ ફ્રી, અનાજ પણ ફ્રી આપ્યું, કોઈએ તેને રેવડી ન કીધી. લોકોના જીવન બચાવવા જેની જરૂર હોય તે વસ્તુ તેમને પહોંચાડવી જોઈએ. આ રેવડીવાળા કેવાં કેવાં વચનો આપી જાય છે અને એ વચનો પૂરી કરી શકાશે કે નહીં તેની ચિંતા કરતા નથી. જેને કંઈ આપવું જ નથી એ તો કંઈ પણ કહીં શકે. પાટીલે આપની તમામ મફત લાઈટ, મહિલાઓને હજાર રુપિયા આપવાની, સરપંચને દર મહિને દશ હજાર આપવાની, બેરોજગારોને મહિને ત્રણ હજાર આપવા સહિતની જાહેરાતોનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ તમામનો સરવાળો કરીએ તો રાજ્યનું બજેટ ખોરવાઈ જાય અને વિકાસ કાર્યો માટે એક રુપિયો પણ ન બચે.


ઈસુદાનનો પાટીલને જવાબ


ફ્રી રેવડી અંગે પાટીલે આમ આદમી પાર્ટીની ટીકા કરતા આપના અગ્રણી નેતા ઈસુદાન ગઢવીએ પણ વળતો પ્રહાર કરતા પાટીલની માનસિક્તાને ગુજરાત વિરોધી ગણાવી હતી. પાટીલ રાજ્યના લોકોની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોને ફ્રીમાં વિજળી મળે તો પાટીલના પેટમાં કેમ દુ:ખે છે. પાટીલ પોતે સાંસદ તરીકે મફતમાં વીજળી સહિતના સરકારી લાભ મેળવે જ છે, પહેલા તે તમામ સુવિધા તેમણે બંધ કરવી જોઈએ. ગુજરાતની ભાજપ સરકાર પ્રજાને કાંઈ પણ ફ્રીમાં આપતી ન હોવા છતાં પણ રાજ્ય પર સાડા ત્રણ લાખ કરોડનું દેવું છે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .