ફ્રીની રેવડી AAP આપે છે તો પાટીલના પેટમાં શા માટે દુ:ખે છે: ઈસુદાન ગઢવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 16:10:46

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક પછી એક લોક કલ્યાણની જાહેરાતો કરી રહી છે. આપની આ ગેરન્ટી યોજનાઓથી ભાજપની સ્થિતી કફોડી બની છે. આપની જાહેરાતોને ભાજપ ફ્રી રેવડી કહીને મજાક ઉડાવે છે. સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આજે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આમ આદમી પાર્ટીની ફ્રી રેવડી નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા.  


ફ્રી રેવડી મુદ્દે પાટીલે શું કહ્યું?


આમ આદમી પાર્ટીની રેવડી નીતિ અંગે પાટીલે કહ્યું કે, વડાપ્રધાને વેક્સિન પણ ફ્રી, અનાજ પણ ફ્રી આપ્યું, કોઈએ તેને રેવડી ન કીધી. લોકોના જીવન બચાવવા જેની જરૂર હોય તે વસ્તુ તેમને પહોંચાડવી જોઈએ. આ રેવડીવાળા કેવાં કેવાં વચનો આપી જાય છે અને એ વચનો પૂરી કરી શકાશે કે નહીં તેની ચિંતા કરતા નથી. જેને કંઈ આપવું જ નથી એ તો કંઈ પણ કહીં શકે. પાટીલે આપની તમામ મફત લાઈટ, મહિલાઓને હજાર રુપિયા આપવાની, સરપંચને દર મહિને દશ હજાર આપવાની, બેરોજગારોને મહિને ત્રણ હજાર આપવા સહિતની જાહેરાતોનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ તમામનો સરવાળો કરીએ તો રાજ્યનું બજેટ ખોરવાઈ જાય અને વિકાસ કાર્યો માટે એક રુપિયો પણ ન બચે.


ઈસુદાનનો પાટીલને જવાબ


ફ્રી રેવડી અંગે પાટીલે આમ આદમી પાર્ટીની ટીકા કરતા આપના અગ્રણી નેતા ઈસુદાન ગઢવીએ પણ વળતો પ્રહાર કરતા પાટીલની માનસિક્તાને ગુજરાત વિરોધી ગણાવી હતી. પાટીલ રાજ્યના લોકોની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોને ફ્રીમાં વિજળી મળે તો પાટીલના પેટમાં કેમ દુ:ખે છે. પાટીલ પોતે સાંસદ તરીકે મફતમાં વીજળી સહિતના સરકારી લાભ મેળવે જ છે, પહેલા તે તમામ સુવિધા તેમણે બંધ કરવી જોઈએ. ગુજરાતની ભાજપ સરકાર પ્રજાને કાંઈ પણ ફ્રીમાં આપતી ન હોવા છતાં પણ રાજ્ય પર સાડા ત્રણ લાખ કરોડનું દેવું છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.