ભાજપના કાર્યકર્તાઓને સી.આર.પાટીલે કરી અપીલ! જાણો નવસારી મુલાકાત દરમિયાન શું કહ્યું ભાજપના પ્રદેશ અધ્યક્ષે


  • Published By :
  • Published Date : 2023-06-13 14:21:49

તંત્ર દ્વારા વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાન રાખવા એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, તે ઉપરાંત પરિસ્થિતને લઈ રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બિપોરજોયને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે આ વાવાઝોડાને કારણે ગુજરાતને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. ફૂડ પેકેટ સહિતના વસ્તુઓને લઈ કાર્યકરો સજ્જ રહે તેવી અપીલ કરવામાં આવી છે.


આવશ્ક વસ્તુઓ સાથે સજ્જ રહેવા કરાઈ અપીલ! 

જેમ જેમ ગુજરાત તરફ બિપોરજોય આગળ વધી રહ્યું છે તેમ તેમ લોકોમાં ચિંતા પણ વધી રહી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે અનેક નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને સી.આર.પાટીલે અપીલ કરી છે. અપીલ કરતા તેમણે કહ્યું કે ખાસ પ્રકારના ફૂડ પેકેટ સાથે કાર્યકર્તાઓ સજ્જ રહે.  તે સિવાય દરિયાકાંઠાના ગામડાઓમાં ફૂડ પેકેટ, પશુઓ માટે ઘાસચારા અને આવશ્યક સામગ્રી પહોંચાડવાની તૈયારી, વીજકાપના કિસ્સામાં ગામડાઓમાં પાણી પહોંચાડવાનું ભાજપનું આયોજન છે. આ ગંભીર પરિસ્થિતિ દરમિયાન કાર્યકર્તાઓનો સાથ સહકાર મળે તેવી અપીલ સી.આર.પાટીલે કરી છે.    


દરિયાઈ વિસ્તારની લીધી મુલાકાત!

નવસારીની મુલાકાત સી.આર.પાટીલે લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરિયાઈ પટ્ટીની મુલાકાત તેમણે લીધી હતી. વાવાઝોડાને ધ્યાનમાં રાખી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને દરિયા આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થળ મુલાકાત લઈ સી.આર.પાટીલે જાતે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ફૂડ પેકેટ તૈયાર રાખવા અપીલ કરી છે. મહત્વનું છે કે હર્ષ સંઘવી પણ ગઈકાલે દ્વારકા પહોંચ્યા હતા અને 16 જૂન સુધી દ્વારકા સાઈડ ના આવવા અપીલ કરી હતી.     



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?