ભાજપના કાર્યકર્તાઓને સી.આર.પાટીલે કરી અપીલ! જાણો નવસારી મુલાકાત દરમિયાન શું કહ્યું ભાજપના પ્રદેશ અધ્યક્ષે


  • Published By :
  • Published Date : 2023-06-13 14:21:49

તંત્ર દ્વારા વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાન રાખવા એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, તે ઉપરાંત પરિસ્થિતને લઈ રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બિપોરજોયને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે આ વાવાઝોડાને કારણે ગુજરાતને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. ફૂડ પેકેટ સહિતના વસ્તુઓને લઈ કાર્યકરો સજ્જ રહે તેવી અપીલ કરવામાં આવી છે.


આવશ્ક વસ્તુઓ સાથે સજ્જ રહેવા કરાઈ અપીલ! 

જેમ જેમ ગુજરાત તરફ બિપોરજોય આગળ વધી રહ્યું છે તેમ તેમ લોકોમાં ચિંતા પણ વધી રહી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે અનેક નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને સી.આર.પાટીલે અપીલ કરી છે. અપીલ કરતા તેમણે કહ્યું કે ખાસ પ્રકારના ફૂડ પેકેટ સાથે કાર્યકર્તાઓ સજ્જ રહે.  તે સિવાય દરિયાકાંઠાના ગામડાઓમાં ફૂડ પેકેટ, પશુઓ માટે ઘાસચારા અને આવશ્યક સામગ્રી પહોંચાડવાની તૈયારી, વીજકાપના કિસ્સામાં ગામડાઓમાં પાણી પહોંચાડવાનું ભાજપનું આયોજન છે. આ ગંભીર પરિસ્થિતિ દરમિયાન કાર્યકર્તાઓનો સાથ સહકાર મળે તેવી અપીલ સી.આર.પાટીલે કરી છે.    


દરિયાઈ વિસ્તારની લીધી મુલાકાત!

નવસારીની મુલાકાત સી.આર.પાટીલે લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરિયાઈ પટ્ટીની મુલાકાત તેમણે લીધી હતી. વાવાઝોડાને ધ્યાનમાં રાખી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને દરિયા આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થળ મુલાકાત લઈ સી.આર.પાટીલે જાતે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ફૂડ પેકેટ તૈયાર રાખવા અપીલ કરી છે. મહત્વનું છે કે હર્ષ સંઘવી પણ ગઈકાલે દ્વારકા પહોંચ્યા હતા અને 16 જૂન સુધી દ્વારકા સાઈડ ના આવવા અપીલ કરી હતી.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.