ભાજપના કાર્યકર્તાઓને સી.આર.પાટીલે કરી અપીલ! જાણો નવસારી મુલાકાત દરમિયાન શું કહ્યું ભાજપના પ્રદેશ અધ્યક્ષે


  • Published By :
  • Published Date : 2023-06-13 14:21:49

તંત્ર દ્વારા વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાન રાખવા એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, તે ઉપરાંત પરિસ્થિતને લઈ રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બિપોરજોયને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે આ વાવાઝોડાને કારણે ગુજરાતને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. ફૂડ પેકેટ સહિતના વસ્તુઓને લઈ કાર્યકરો સજ્જ રહે તેવી અપીલ કરવામાં આવી છે.


આવશ્ક વસ્તુઓ સાથે સજ્જ રહેવા કરાઈ અપીલ! 

જેમ જેમ ગુજરાત તરફ બિપોરજોય આગળ વધી રહ્યું છે તેમ તેમ લોકોમાં ચિંતા પણ વધી રહી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે અનેક નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને સી.આર.પાટીલે અપીલ કરી છે. અપીલ કરતા તેમણે કહ્યું કે ખાસ પ્રકારના ફૂડ પેકેટ સાથે કાર્યકર્તાઓ સજ્જ રહે.  તે સિવાય દરિયાકાંઠાના ગામડાઓમાં ફૂડ પેકેટ, પશુઓ માટે ઘાસચારા અને આવશ્યક સામગ્રી પહોંચાડવાની તૈયારી, વીજકાપના કિસ્સામાં ગામડાઓમાં પાણી પહોંચાડવાનું ભાજપનું આયોજન છે. આ ગંભીર પરિસ્થિતિ દરમિયાન કાર્યકર્તાઓનો સાથ સહકાર મળે તેવી અપીલ સી.આર.પાટીલે કરી છે.    


દરિયાઈ વિસ્તારની લીધી મુલાકાત!

નવસારીની મુલાકાત સી.આર.પાટીલે લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરિયાઈ પટ્ટીની મુલાકાત તેમણે લીધી હતી. વાવાઝોડાને ધ્યાનમાં રાખી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને દરિયા આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થળ મુલાકાત લઈ સી.આર.પાટીલે જાતે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ફૂડ પેકેટ તૈયાર રાખવા અપીલ કરી છે. મહત્વનું છે કે હર્ષ સંઘવી પણ ગઈકાલે દ્વારકા પહોંચ્યા હતા અને 16 જૂન સુધી દ્વારકા સાઈડ ના આવવા અપીલ કરી હતી.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.