સીઆર પાટીલની મહત્વની જાહેરાત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 'નો રિપીટ થિયરી'નો થશે અમલ


  • Published By :
  • Published Date : 2023-09-05 18:06:54

ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સતત ફેરફારો થતા રહે છે. પાર્ટીના કાર્યકરો તથા યુવા નેતાઓને વહીવટમાં સ્થાન મળી શકે તે માટે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિયુક્તિને લઈ નો રિપિટ થીયરી અપનાવવામાં આવશે. ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદો માટે હવે નો રિપિટ થીયરીનો અમલ કરવામાં આવશે.


નવા લોકોને તક મળે તે માટે નિર્ણય 


ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર,જિલ્લા પંચાયત સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન જિલ્લાના અને તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આગામી સમયમાં મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ આ નામોની જાહેરાત કરવામાં આવશે. આ અંગે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પદો માટે નો રિપિટેશન થિયરીનો અમલ કરવામાં આવશે. નવા લોકોને તક મળે તે માટે આ પાર્ટી દ્વારા આ નિર્ણય કરાયો છે. નો રીપિટની થિયરી મુજબ જનરલ બેઠક પર જનરલ કેટેગરીના લોકોની જ નિમણૂક થશે. ગુજરાતમાં લોકોને સારો વહીવટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અગાઉ હોદ્દા પર રહી ચૂક્યા હોય તેમને ફરી હોદ્દો આપવાની શક્યતા ઓછી છે.


1500 જેટલા પદો માટે હોદ્દેદારોની પ્રક્રિયા શરૂ 


ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી આ બધાની લગભગ 1500 જેટલા સભ્યો જેમણે આ જવાબદારી સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક જિલ્લામાં 3 નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા. સંગઠન અને ચૂંટાયેલા લોકોને સંભાળ્યા બાદ નામો નક્કી કર્યા હતા. ભાજપની પરંપરાની પરંપરા રહેલી છે તે મુજબ પ્રક્રિયા થઈ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.