સી આર પાટીલનો ટોણો 'કોંગ્રેસના લલ્લુઓને કહી દેજો કે 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જાય'


  • Published By :
  • Published Date : 2023-06-05 21:34:29

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફરી એક વખત કોંગ્રેસને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. કચ્છના ભુજના મિરજાપર માર્ગ પર કચ્છ જિલ્લા ભાજપના નવા કમલમ કાર્યલયનું સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગે સી.આર.પાટીલે પોતાના ભાષણ  કોંગ્રેસ પર વિવિધ મુદ્દે માર્મિક પ્રહારો કર્યા હતા.


કોંગ્રેસ પર આકરા પ્રહાર


કચ્છ જિલ્લા નૂતન કાર્યાલય ઓપનિંગ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ એવું કહેતા હતા કે ભાજપીઓ તો એમ કહે છે કે રામ મંદિર તો વહી બનાએગે લેકીન તારીખ નહીં બતાએગે તો એ કોંગ્રેસના લલ્લુઓને કહી દેજો કે 2024માં રામ મંદિરના દર્શન કરવા અયોધ્યા આવી જાય. ભાજપે આપેલું વચન નરેન્દ્ર મોદી પૂર્ણ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે કલમ 370 હટાવવા મુદ્દે કોંગ્રેસના નેતાએ PM મોદીને ધમકી આપી હતી. પરંતુ આ નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે, કોઇની ધમકીથી ડરતા નથી. તેમણે કોંગ્રેસને લલ્લુઓની પાર્ટી ગણાવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.