સી આર પાટીલનો ટોણો 'કોંગ્રેસના લલ્લુઓને કહી દેજો કે 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જાય'


  • Published By :
  • Published Date : 2023-06-05 21:34:29

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફરી એક વખત કોંગ્રેસને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. કચ્છના ભુજના મિરજાપર માર્ગ પર કચ્છ જિલ્લા ભાજપના નવા કમલમ કાર્યલયનું સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગે સી.આર.પાટીલે પોતાના ભાષણ  કોંગ્રેસ પર વિવિધ મુદ્દે માર્મિક પ્રહારો કર્યા હતા.


કોંગ્રેસ પર આકરા પ્રહાર


કચ્છ જિલ્લા નૂતન કાર્યાલય ઓપનિંગ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ એવું કહેતા હતા કે ભાજપીઓ તો એમ કહે છે કે રામ મંદિર તો વહી બનાએગે લેકીન તારીખ નહીં બતાએગે તો એ કોંગ્રેસના લલ્લુઓને કહી દેજો કે 2024માં રામ મંદિરના દર્શન કરવા અયોધ્યા આવી જાય. ભાજપે આપેલું વચન નરેન્દ્ર મોદી પૂર્ણ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે કલમ 370 હટાવવા મુદ્દે કોંગ્રેસના નેતાએ PM મોદીને ધમકી આપી હતી. પરંતુ આ નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે, કોઇની ધમકીથી ડરતા નથી. તેમણે કોંગ્રેસને લલ્લુઓની પાર્ટી ગણાવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.