યુવરાજ સિંહને સી.આર.પાટીલનો ટોણો, 'ગુનેગારો ગમે તેટલો બકવાસ કરે તે નિરર્થક'


  • Published By :
  • Published Date : 2023-05-02 22:15:08

સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દેનારા ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર પોલીસે ગાળિયો કસ્યો છે. તોડકાંડમાં યુવરાજસિંહ સહિત 6 આરોપીઓને રિમાન્ડ પછી જેલ હવાલે કર્યા છે. જો કે આ મામલે ફરી એક વખત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાવનગરમાં જ મોટું નિવેદન આપ્યું છે.


યુવરાજસિંહનો મામલો હવે ઘસાઇ ચુક્યો છે: પાટીલ


ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજાના નિવેદન આ માત્ર અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી. અંગે સી.આર પાટીલને પુછવામાં આવતા તેમણે ટોણો મારતા કહ્યું કે 'ગુનેગારો ગમે તેટલો બકવાસ કરે તેનો કોઇ જ અર્થ નથી. યુવરાજસિંહનો તોડકાંડનો મામલો હવે ઘસાઇ ચુક્યો છે. ઘસાઇ ગયેલા ઇશ્યુને હવે શું કરવાનું? પોલીસ પોલીસનું કામ કરી રહી છે. આ અંગે હું વધારે કોઇ ટિપ્પણી કરવા માંગતો નથી'. પાટીલના આ નિવેદનના બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.


યુવરાજસિંહના સસરાનું નામ પણ સામે આવ્યું


ભાવનગર તોડકાંડ મામલે ગઇકાલે રિમાન્ડ પૂર્ણ થતા જ યુવરાજસિંહને જેલ હવાલે કરી દેવાયા છે. આજે અન્ય આરોપીઓના પણ રિમાન્ડ પુર્ણ થતા તેમને જેલ મોકલી અપાયા છે. જો કે આ મામલે હવે યુવરાજસિંહના સસરાનું નામ પણ સામે આવી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા સીસીટીવીમાં  તેઓ પૈસાનું આંગડીયુ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. અત્યાર સુધીમાં તોડકાંડના યુવરાજ સિંહ અને તેમના બે સાળા સહિતે કુલ 6 આરોપીઓ જેલમાં છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.