લોકસભા ચૂંટણીને લઈ સી.આર.પાટીલે આપ્યું નિવેદન, કહ્યું ભાજપને મળશે આટલી સીટો


  • Published By :
  • Published Date : 2023-01-14 14:45:49

ગુજરાતમાં થોડા સમય પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. ભાજપે ઐતિહાસિક સીટો હાંસલ કરી હતી. ત્યારે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ભલે ચૂંટણીને ઘણો સમય બાકી હોય પરંતુ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકસભાને લઈ સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટો પર ભાજપનો વિજય થશે.  

C R Patil Gujarat president two year completed - સી.આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ  બે વર્ષ – News18 Gujarati


લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીઓએ શરૂ કરી તૈયારી 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રણનીતિ સાથે પાર્ટી આગળ વધી રહી છે. ગુજરાતમાં થોડા સમય પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો.  કોંગ્રેસને ઓછી સીટો મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં ખાતું ખોલ્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 


26 સીટો પર ભાજપનો વિજય થશે - સી.આર.પાટીલ 

ગુજરાતમાં ભવ્ય જીત બાદ સી.આર.પાટીલે લોકસભાની ચૂંટણીને લઈ નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાનો પ્રધાનમંત્રી મોદી પ્રત્યે જે વિશ્વાસ હતો તેને કારણે ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. ત્યારે હવે 2024માં પણ ભાજપને આવી જ રીતે લોકોનો વિશ્વાસ પ્રાપ્ત થશે અને ગુજરાતની તમામ 26 સીટો પર કમળ ખીલશે. તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા જીત હાંસલ થશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.