લોકસભા ચૂંટણીને લઈ સી.આર.પાટીલે આપ્યું નિવેદન, કહ્યું ભાજપને મળશે આટલી સીટો


  • Published By :
  • Published Date : 2023-01-14 14:45:49

ગુજરાતમાં થોડા સમય પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. ભાજપે ઐતિહાસિક સીટો હાંસલ કરી હતી. ત્યારે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ભલે ચૂંટણીને ઘણો સમય બાકી હોય પરંતુ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકસભાને લઈ સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટો પર ભાજપનો વિજય થશે.  

C R Patil Gujarat president two year completed - સી.આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ  બે વર્ષ – News18 Gujarati


લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીઓએ શરૂ કરી તૈયારી 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રણનીતિ સાથે પાર્ટી આગળ વધી રહી છે. ગુજરાતમાં થોડા સમય પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો.  કોંગ્રેસને ઓછી સીટો મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં ખાતું ખોલ્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 


26 સીટો પર ભાજપનો વિજય થશે - સી.આર.પાટીલ 

ગુજરાતમાં ભવ્ય જીત બાદ સી.આર.પાટીલે લોકસભાની ચૂંટણીને લઈ નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાનો પ્રધાનમંત્રી મોદી પ્રત્યે જે વિશ્વાસ હતો તેને કારણે ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. ત્યારે હવે 2024માં પણ ભાજપને આવી જ રીતે લોકોનો વિશ્વાસ પ્રાપ્ત થશે અને ગુજરાતની તમામ 26 સીટો પર કમળ ખીલશે. તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા જીત હાંસલ થશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.