કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદન પર સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, ખડગેએ પીએમને લઈ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન!


  • Published By :
  • Published Date : 2023-04-28 10:27:15

આગામી સમયમાં કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે પીએમ મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા હતા. આ નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતાઓ આ વાતને લઈ કોંગ્રસ પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે આ નિવેદનને લઈ સી.આર.પાટીલે નિવેદન આપ્યું છે. 


સી.આર.પાટીલે ખડગેના નિવેદન પર આપી પ્રતિક્રિયા!  

કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે કર્ણાટકમાં નેતાઓ દ્વારા આપેલા નિવેદનની ચર્ચા ગુજરાતમાં પણ થઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા અપાયેલા નિવેદનને અભદ્ર ગણાવ્યો હતો. સી.આર.પાટીલે કહ્યું કે આ કોંગ્રેસની પરંપરા રહી છે. સત્તા ગુમાન્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર અભદ્ર ભાષા કે અભદ્ર ટીપ્પણી કરવામાંથી ક્યારેય બાજ નહીં આવે. કોંગ્રેસના નેતાઓ વારંવાર અભદ્ર ટિપ્પણી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પીએમ સામે અત્યાર સુધીમાં 91 વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  


શું કહ્યું હતું મલ્લિકાર્જન ખડગેએ?            

ગુરુવારે કર્ણાટકના કલબુર્ગીમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પીએમ મોદી ઝેરીલા સાપ જેવા છે. તમે વિચારી શકો છો કે આ ઝેર છે કે નહીં પરંતુ તમે એને ચાખશો તો તમારૂં મોત થઈ જશે. આ નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ હતી. જે બાદ વિવાદ વધતા ખડગેએ નિવેદનને લઈ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે મેં તેમના (પીએમ મોદી) વિશે આવું નથી કહ્યું. હું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે તેમની વિચારધારા સાપ જેવી છે, તેને ચાખવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.