કર્ણાટકમાં મલ્લિકાર્જુન ખડગેએ આપેલા નિવેદન પર સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, ખડગેએ પીએમને લઈ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન!


  • Published By :
  • Published Date : 2023-04-28 10:27:15

આગામી સમયમાં કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે પીએમ મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા હતા. આ નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતાઓ આ વાતને લઈ કોંગ્રસ પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે આ નિવેદનને લઈ સી.આર.પાટીલે નિવેદન આપ્યું છે. 


સી.આર.પાટીલે ખડગેના નિવેદન પર આપી પ્રતિક્રિયા!  

કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે કર્ણાટકમાં નેતાઓ દ્વારા આપેલા નિવેદનની ચર્ચા ગુજરાતમાં પણ થઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા અપાયેલા નિવેદનને અભદ્ર ગણાવ્યો હતો. સી.આર.પાટીલે કહ્યું કે આ કોંગ્રેસની પરંપરા રહી છે. સત્તા ગુમાન્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર અભદ્ર ભાષા કે અભદ્ર ટીપ્પણી કરવામાંથી ક્યારેય બાજ નહીં આવે. કોંગ્રેસના નેતાઓ વારંવાર અભદ્ર ટિપ્પણી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પીએમ સામે અત્યાર સુધીમાં 91 વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  


શું કહ્યું હતું મલ્લિકાર્જન ખડગેએ?            

ગુરુવારે કર્ણાટકના કલબુર્ગીમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પીએમ મોદી ઝેરીલા સાપ જેવા છે. તમે વિચારી શકો છો કે આ ઝેર છે કે નહીં પરંતુ તમે એને ચાખશો તો તમારૂં મોત થઈ જશે. આ નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ હતી. જે બાદ વિવાદ વધતા ખડગેએ નિવેદનને લઈ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે મેં તેમના (પીએમ મોદી) વિશે આવું નથી કહ્યું. હું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે તેમની વિચારધારા સાપ જેવી છે, તેને ચાખવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે