અનંત પટેલ પર થયેલા હુમલા મુદ્દે સી.આર.પાટીલનું નિવેદન - વિપક્ષ હિંસા ફેલાવી મુદ્દો બનાવે છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 13:45:53

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ દરરોજ નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર મોડી રાત્રે હુમલો થયો હતો. જે બાદ તેમના સમર્થનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે સી.આર.પાટીલે અનંત પટેલ પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. પાટીલે કહ્યું છે કે વાંસદામાં કોંગ્રેસ હારી રહી છે, જેથી હિંસા ફેલાવી મુદ્દો બનાવી રહી છે. 

गुजरात के BJP प्रदेश अध्यक्ष सीआर पाटिल ने पर्दे के पीछे से की शिंदे गुट की  मददः रिपोर्ट - gujarat bjp state president cr patil did help of rebel  eknath shinde team

વાંસદામાં કોંગ્રેસની હારને હુમલા સાથે જોડ્યો    

ગમે ત્યારે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. પોતાનો પ્રચાર કરવા રાજકીય પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે. કોંગ્રેસ પણ પ્રચાર કરવા મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા જ્યાં તેમના પર હુમલો થયો હતો.જે બાદ તેમના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો. હુમલા પર પ્રતિક્રિયા આપતા સી. આર. પાટીલે કહ્યું કે વાંસદામાં કોંગ્રેસ હારી રહી છે.

  

ક્યાં સુધી આરોપ-પ્રતિઆરોપની થતી રહેશે રાજનીતિ

સી.આર.પાટીલના આવા નિવેદનથી ફરી એક વખત રાજકારણ ગરમાશે. ફરી એક વખત આરોપ પ્રતિઆરોપો લગાવવામાં આવશે. ત્યારે એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે શું દરેક હુમલાને રાજનીતિની સાથે જોડીને જ જોવામાં આવશે? કોંગ્રેસના ધારાસભ્ય કે નેતા પર હુમલો થાય તો ભાજપ જવાબદાર અને જો કોઈ ભાજપના ધારાસભ્ય કે નેતા પર હુમલો થાય તો કોંગ્રેસ જવાબદાર? શું આરોપ પ્રતિઆરોપમાં જ રાજનીતિ સીમિત થઈને રહી જશે?     



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .