અનંત પટેલ પર થયેલા હુમલા મુદ્દે સી.આર.પાટીલનું નિવેદન - વિપક્ષ હિંસા ફેલાવી મુદ્દો બનાવે છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 13:45:53

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ દરરોજ નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર મોડી રાત્રે હુમલો થયો હતો. જે બાદ તેમના સમર્થનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે સી.આર.પાટીલે અનંત પટેલ પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. પાટીલે કહ્યું છે કે વાંસદામાં કોંગ્રેસ હારી રહી છે, જેથી હિંસા ફેલાવી મુદ્દો બનાવી રહી છે. 

गुजरात के BJP प्रदेश अध्यक्ष सीआर पाटिल ने पर्दे के पीछे से की शिंदे गुट की  मददः रिपोर्ट - gujarat bjp state president cr patil did help of rebel  eknath shinde team

વાંસદામાં કોંગ્રેસની હારને હુમલા સાથે જોડ્યો    

ગમે ત્યારે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. પોતાનો પ્રચાર કરવા રાજકીય પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે. કોંગ્રેસ પણ પ્રચાર કરવા મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા જ્યાં તેમના પર હુમલો થયો હતો.જે બાદ તેમના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો. હુમલા પર પ્રતિક્રિયા આપતા સી. આર. પાટીલે કહ્યું કે વાંસદામાં કોંગ્રેસ હારી રહી છે.

  

ક્યાં સુધી આરોપ-પ્રતિઆરોપની થતી રહેશે રાજનીતિ

સી.આર.પાટીલના આવા નિવેદનથી ફરી એક વખત રાજકારણ ગરમાશે. ફરી એક વખત આરોપ પ્રતિઆરોપો લગાવવામાં આવશે. ત્યારે એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે શું દરેક હુમલાને રાજનીતિની સાથે જોડીને જ જોવામાં આવશે? કોંગ્રેસના ધારાસભ્ય કે નેતા પર હુમલો થાય તો ભાજપ જવાબદાર અને જો કોઈ ભાજપના ધારાસભ્ય કે નેતા પર હુમલો થાય તો કોંગ્રેસ જવાબદાર? શું આરોપ પ્રતિઆરોપમાં જ રાજનીતિ સીમિત થઈને રહી જશે?     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.