અનંત પટેલ પર થયેલા હુમલા મુદ્દે સી.આર.પાટીલનું નિવેદન - વિપક્ષ હિંસા ફેલાવી મુદ્દો બનાવે છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 13:45:53

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ દરરોજ નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર મોડી રાત્રે હુમલો થયો હતો. જે બાદ તેમના સમર્થનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે સી.આર.પાટીલે અનંત પટેલ પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. પાટીલે કહ્યું છે કે વાંસદામાં કોંગ્રેસ હારી રહી છે, જેથી હિંસા ફેલાવી મુદ્દો બનાવી રહી છે. 

गुजरात के BJP प्रदेश अध्यक्ष सीआर पाटिल ने पर्दे के पीछे से की शिंदे गुट की  मददः रिपोर्ट - gujarat bjp state president cr patil did help of rebel  eknath shinde team

વાંસદામાં કોંગ્રેસની હારને હુમલા સાથે જોડ્યો    

ગમે ત્યારે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. પોતાનો પ્રચાર કરવા રાજકીય પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે. કોંગ્રેસ પણ પ્રચાર કરવા મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા જ્યાં તેમના પર હુમલો થયો હતો.જે બાદ તેમના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો. હુમલા પર પ્રતિક્રિયા આપતા સી. આર. પાટીલે કહ્યું કે વાંસદામાં કોંગ્રેસ હારી રહી છે.

  

ક્યાં સુધી આરોપ-પ્રતિઆરોપની થતી રહેશે રાજનીતિ

સી.આર.પાટીલના આવા નિવેદનથી ફરી એક વખત રાજકારણ ગરમાશે. ફરી એક વખત આરોપ પ્રતિઆરોપો લગાવવામાં આવશે. ત્યારે એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે શું દરેક હુમલાને રાજનીતિની સાથે જોડીને જ જોવામાં આવશે? કોંગ્રેસના ધારાસભ્ય કે નેતા પર હુમલો થાય તો ભાજપ જવાબદાર અને જો કોઈ ભાજપના ધારાસભ્ય કે નેતા પર હુમલો થાય તો કોંગ્રેસ જવાબદાર? શું આરોપ પ્રતિઆરોપમાં જ રાજનીતિ સીમિત થઈને રહી જશે?     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે