ક્રિકેટર અક્ષર પટેલ બન્યો વરરાજા, વડોદરામાં ધુમધામથી નિકળી જાન, જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-01-26 21:17:25

ભારતીય ક્રિકેટમાં આજકાલ લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે, ત્રણ દિવસ પહેલા જ એટલે કે 23 જાન્યુઆરીના દિવસે કે એલ રાહુલ અને બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી બાદ આજે ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનથી બંધાવા જઈ રહ્યો છે. વડોદરામાં ક્રિકેટર અક્ષર પટેલના લગ્ન નડિયાદની મેહા પટેલ સાથે આજે ગુરુવારે થવાના છે. 


અક્ષર પટેલની જાન નીકળી


અક્ષર પટેલ અને મેહા પટેલ ગુજરાતી પરંપરા અને હિંદુ વિધિથી લગ્નગ્રંથીથી જોડાશે. આજે મોડી સાંજે ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ અક્ષર પટેલની વડોદરામાં જાન નીકળી હતી. અક્ષર પટેલની જાન નિકળી ત્યારે જાનૈયાઓએ સંગીતના તાલે ડાન્સ કર્યો હતો. તેના લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે.


વડોદરામાં યોજાશે લગ્ન

 

ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આમ તો અક્ષર પટેલ નડિયાદનો છે અને તેની મંગેતર મેહા પટેલ પણ નડિયાદની છે. જોકે લગ્ન માટે સ્થળ વડોદરા પસંદ કરવામાં આવ્યું, અને તમામ વિધિઓ પણ વડોદરા ખાતે યોજાઈ રહી છે. આજે લગ્ન સમારોહ પણ વડોદરા ખાતે યોજવાનો છે, લગ્નમાં નજીક અને ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. 


કોણ છે અક્ષર પટેલની મંગેતર?


અક્ષર પટેલ અને મેહા એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખે છે. ગયા વર્ષે જ તેમની સગાઈ થઈ હતી. મેહા પટેલ એક ન્યુટ્રિશિયનિસ્ટ અને ડાયટિશિયન છે, તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.  મેહા પટેલ સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન પણ શેઅર કરતી રહે છે. આ યુગલ રજાઓ વિતાવતા પણ જોવા મળે છે. તાજેતરમાં જ તે બંને અમેરિકા પણ ગયા હતા.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.