ક્રિકેટર અક્ષર પટેલ બન્યો વરરાજા, વડોદરામાં ધુમધામથી નિકળી જાન, જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-01-26 21:17:25

ભારતીય ક્રિકેટમાં આજકાલ લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે, ત્રણ દિવસ પહેલા જ એટલે કે 23 જાન્યુઆરીના દિવસે કે એલ રાહુલ અને બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી બાદ આજે ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનથી બંધાવા જઈ રહ્યો છે. વડોદરામાં ક્રિકેટર અક્ષર પટેલના લગ્ન નડિયાદની મેહા પટેલ સાથે આજે ગુરુવારે થવાના છે. 


અક્ષર પટેલની જાન નીકળી


અક્ષર પટેલ અને મેહા પટેલ ગુજરાતી પરંપરા અને હિંદુ વિધિથી લગ્નગ્રંથીથી જોડાશે. આજે મોડી સાંજે ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ અક્ષર પટેલની વડોદરામાં જાન નીકળી હતી. અક્ષર પટેલની જાન નિકળી ત્યારે જાનૈયાઓએ સંગીતના તાલે ડાન્સ કર્યો હતો. તેના લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે.


વડોદરામાં યોજાશે લગ્ન

 

ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આમ તો અક્ષર પટેલ નડિયાદનો છે અને તેની મંગેતર મેહા પટેલ પણ નડિયાદની છે. જોકે લગ્ન માટે સ્થળ વડોદરા પસંદ કરવામાં આવ્યું, અને તમામ વિધિઓ પણ વડોદરા ખાતે યોજાઈ રહી છે. આજે લગ્ન સમારોહ પણ વડોદરા ખાતે યોજવાનો છે, લગ્નમાં નજીક અને ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. 


કોણ છે અક્ષર પટેલની મંગેતર?


અક્ષર પટેલ અને મેહા એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખે છે. ગયા વર્ષે જ તેમની સગાઈ થઈ હતી. મેહા પટેલ એક ન્યુટ્રિશિયનિસ્ટ અને ડાયટિશિયન છે, તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.  મેહા પટેલ સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન પણ શેઅર કરતી રહે છે. આ યુગલ રજાઓ વિતાવતા પણ જોવા મળે છે. તાજેતરમાં જ તે બંને અમેરિકા પણ ગયા હતા.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.