ક્રિકેટર અક્ષર પટેલ બન્યો વરરાજા, વડોદરામાં ધુમધામથી નિકળી જાન, જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-01-26 21:17:25

ભારતીય ક્રિકેટમાં આજકાલ લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે, ત્રણ દિવસ પહેલા જ એટલે કે 23 જાન્યુઆરીના દિવસે કે એલ રાહુલ અને બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી બાદ આજે ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનથી બંધાવા જઈ રહ્યો છે. વડોદરામાં ક્રિકેટર અક્ષર પટેલના લગ્ન નડિયાદની મેહા પટેલ સાથે આજે ગુરુવારે થવાના છે. 


અક્ષર પટેલની જાન નીકળી


અક્ષર પટેલ અને મેહા પટેલ ગુજરાતી પરંપરા અને હિંદુ વિધિથી લગ્નગ્રંથીથી જોડાશે. આજે મોડી સાંજે ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ અક્ષર પટેલની વડોદરામાં જાન નીકળી હતી. અક્ષર પટેલની જાન નિકળી ત્યારે જાનૈયાઓએ સંગીતના તાલે ડાન્સ કર્યો હતો. તેના લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે.


વડોદરામાં યોજાશે લગ્ન

 

ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આમ તો અક્ષર પટેલ નડિયાદનો છે અને તેની મંગેતર મેહા પટેલ પણ નડિયાદની છે. જોકે લગ્ન માટે સ્થળ વડોદરા પસંદ કરવામાં આવ્યું, અને તમામ વિધિઓ પણ વડોદરા ખાતે યોજાઈ રહી છે. આજે લગ્ન સમારોહ પણ વડોદરા ખાતે યોજવાનો છે, લગ્નમાં નજીક અને ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. 


કોણ છે અક્ષર પટેલની મંગેતર?


અક્ષર પટેલ અને મેહા એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખે છે. ગયા વર્ષે જ તેમની સગાઈ થઈ હતી. મેહા પટેલ એક ન્યુટ્રિશિયનિસ્ટ અને ડાયટિશિયન છે, તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.  મેહા પટેલ સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન પણ શેઅર કરતી રહે છે. આ યુગલ રજાઓ વિતાવતા પણ જોવા મળે છે. તાજેતરમાં જ તે બંને અમેરિકા પણ ગયા હતા.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.