વેલેન્ટાઈન ડેના દિવસે ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કર્યા લગ્ન, માતા પિતાના મેરેજમાં તેમનો બાળક પણ થયો સામેલ


  • Published By :
  • Published Date : 2023-02-15 10:53:02

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ફરી એક વખત લગ્ન કર્યા છે. ઉદયપુર ખાતે આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે હિંદુ વિધી અનુસાર સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાશે પરંતુ હાર્દિક અને નતાશાએ કિશ્ચિયન રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેમનો બે વર્ષનો બાળક પણ ઉપસ્થિત હતો. ત્યારે આજે હિંદુ રીતિ રિવાજ અનુસાર લગ્ન કરવાના છે. 


ઉદયપુર ખાતે કરાયું લગ્નનું આયોજન 

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. આ દિવસે અનેક લોકો પોતાના પ્રેમનો ઈઝહાર કરતા હોય છે. ત્યારે વેલેન્ટાઈન ડેના દિવસે ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા નતાશા સાથે ફરી એક વખત લગ્નના બંધનમાં બંધાયા છે. વર્ષ 2020માં હાર્દિકે નતાશા સાથે કોર્ટ મેરેજ કરી સાદાઈથી મેરેજ કર્યા હતા. જે બાદ વેલેન્ટાઈન ડેના દિવસે ધામધૂમથી મેરેજનું આયોજન કરવામાં આવ્યું હતું.  


સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો 

સોશિયલ મીડિયા પર તેમના લગ્નના અનેક ફોટો શેર કરવામાં આવ્યા છે જેમાં હાર્દિક પંડ્યાએ કાળા રંગનો ટેક્સૂડો પહેર્યો છે જ્યારે નતાશાએ સફેદ ગાઉન પહેર્યું છે. તસવીરો શેર કરતા હાર્દિક પંડ્યાએ લખ્યું કે અમે 3 વર્ષ પહેલા લીધેલી પ્રતિજ્ઞાને ફરી દોહરાવી પ્રેમના આ દ્વિપ પર વેલેન્ટાઈન ડે ઉજવ્યો. અમે અમારા પ્રેમની ઉજવણી દરમિયાન અમારા પરિવાર અને મિત્રોને જોઈ ધન્યતા અનુભવીએ છીએ. 

शादी में दोनों का 2 साल का बेटा अगस्तय भी शामिल हुआ।

માતા પિતાના લગ્નમાં પુત્રએ લીધો ભાગ  

2019માં આવેલી કોરોના મહામારીને કારણે હાર્દિક પંડ્યા અને નતાશાએ સાદાઈથી લગ્ન કર્યા હતા. 31 માર્ચ 2020ના રોજ હાર્દિક અને નતાશાએ કોર્ટ મેરેજ કરી લગ્નના બંધનમાં બંધાયા હતા પરંતુ ગઈ કાલે ઉદયપુર ખાતે ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર લગ્નની અનેક તસવીરો શેર કરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે માતા પિતાના લગ્નમાં તેમનો બે વર્ષનો દિકરો પણ સામેલ હતો. 14 તારીખે ક્રિશ્ચિયન રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા જ્યારે 15 તારીખે હિંદુ રીતિ રિવાજ સાથે લગ્ન કરવાના છે. 


   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.