વેલેન્ટાઈન ડેના દિવસે ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કર્યા લગ્ન, માતા પિતાના મેરેજમાં તેમનો બાળક પણ થયો સામેલ


  • Published By :
  • Published Date : 2023-02-15 10:53:02

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ફરી એક વખત લગ્ન કર્યા છે. ઉદયપુર ખાતે આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે હિંદુ વિધી અનુસાર સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાશે પરંતુ હાર્દિક અને નતાશાએ કિશ્ચિયન રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેમનો બે વર્ષનો બાળક પણ ઉપસ્થિત હતો. ત્યારે આજે હિંદુ રીતિ રિવાજ અનુસાર લગ્ન કરવાના છે. 


ઉદયપુર ખાતે કરાયું લગ્નનું આયોજન 

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. આ દિવસે અનેક લોકો પોતાના પ્રેમનો ઈઝહાર કરતા હોય છે. ત્યારે વેલેન્ટાઈન ડેના દિવસે ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા નતાશા સાથે ફરી એક વખત લગ્નના બંધનમાં બંધાયા છે. વર્ષ 2020માં હાર્દિકે નતાશા સાથે કોર્ટ મેરેજ કરી સાદાઈથી મેરેજ કર્યા હતા. જે બાદ વેલેન્ટાઈન ડેના દિવસે ધામધૂમથી મેરેજનું આયોજન કરવામાં આવ્યું હતું.  


સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો 

સોશિયલ મીડિયા પર તેમના લગ્નના અનેક ફોટો શેર કરવામાં આવ્યા છે જેમાં હાર્દિક પંડ્યાએ કાળા રંગનો ટેક્સૂડો પહેર્યો છે જ્યારે નતાશાએ સફેદ ગાઉન પહેર્યું છે. તસવીરો શેર કરતા હાર્દિક પંડ્યાએ લખ્યું કે અમે 3 વર્ષ પહેલા લીધેલી પ્રતિજ્ઞાને ફરી દોહરાવી પ્રેમના આ દ્વિપ પર વેલેન્ટાઈન ડે ઉજવ્યો. અમે અમારા પ્રેમની ઉજવણી દરમિયાન અમારા પરિવાર અને મિત્રોને જોઈ ધન્યતા અનુભવીએ છીએ. 

शादी में दोनों का 2 साल का बेटा अगस्तय भी शामिल हुआ।

માતા પિતાના લગ્નમાં પુત્રએ લીધો ભાગ  

2019માં આવેલી કોરોના મહામારીને કારણે હાર્દિક પંડ્યા અને નતાશાએ સાદાઈથી લગ્ન કર્યા હતા. 31 માર્ચ 2020ના રોજ હાર્દિક અને નતાશાએ કોર્ટ મેરેજ કરી લગ્નના બંધનમાં બંધાયા હતા પરંતુ ગઈ કાલે ઉદયપુર ખાતે ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર લગ્નની અનેક તસવીરો શેર કરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે માતા પિતાના લગ્નમાં તેમનો બે વર્ષનો દિકરો પણ સામેલ હતો. 14 તારીખે ક્રિશ્ચિયન રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા જ્યારે 15 તારીખે હિંદુ રીતિ રિવાજ સાથે લગ્ન કરવાના છે. 


   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .