કમોસમી વરસાદથી પાક નુકસાની અંગે રાઘવજી પટેલે કરી આ જાહેરાત, જાણો કોને વળતર મળશે?


  • Published By :
  • Published Date : 2023-04-29 19:49:18

રાજ્યમાં સતત થઈ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની ભોગવવી પડી છે. રાજ્ય સરકારે આ નુકસાનીના સર્વે માટે ખાસ ટીમની રચના કરી હતી. હવે જ્યારે આ આ સર્વેનો રિપોર્ટ આવી ગયો છે ત્યારે રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે પર્યાવરણમાં ફેરફારના કારણે ઋતુચક્રમાં બદલાવ જોવા મળી રહ્યું છે અને કહ્યું કુદરતી પડકારોને પહોંચી વળવા ખેડૂતોએ સજજ રહેવું જોઈએ. રાજ્ય સરકાર આવી આફતો સમયે ઉદાર હાથે સહાય કરે છે જેમાં છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોને નુક્સાનીમાં 10 હજાર કરોડથી વધુ સહાય કરી છે.


13 જિલ્લાના 60 તાલુકામાં નુકસાન


કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા પ્રમાણે માવઠાથી થયેલા નુકસાનની સહાય અંગે વાત કરી હતી. જેમાં બેથી ત્રણ દિવસમાં સહાય અંગે જાહેરાત થઇ જશે તેમ જણાવ્યુ હતું. તેમણે કહ્યું મુખ્યપ્રધાન કક્ષાએથી આ સહાયની જાહેરાત થશે. સર્વેની કામગીરી માટેની પ્રક્રિયા ખુબ લાંબી હોવાના કારણથી સહાયમાં થોડો વિલંબ થઇ રહ્યો છે. એટલું જ નહિં તેમણે એ વાત પણ સ્વીકારી કે, 13 જિલ્લાના 60 તાલુકામાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. જો કે, જે પણ ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન થયું હશે એમને જ આ સહાયનો લાભ મળશે. તેવી વાત પણ રાઘવજી પટેલે કરી છે. આ ઉપરાંત હાલ પડી રહેલા માવઠાથી ખેડૂતોને કોઇપણ પ્રકારનું નુકસાન ન થયું હોવાની વાત પણ કૃષિ પ્રધાને કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.