રાજસ્થાન બોર્ડર પરથી કરોડો રૂપિયા ઝડપાયા, બે ગુજરાતીઓની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-09-25 15:42:13

રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પાસે રાજસ્થાનથી ગુજરાત તરફ જઈ રહેલી કારની ડેકીમાંથી 3.15 કરોડ રૂપિયા નીકળ્યા. બહુચર્ચિત રહેતી બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવે રાજસ્થાન બૉર્ડર પાસેથી પુરઝડપે ગુજરાત પાર્સીંગની ગાડી પસાર થઇ રહી હતી દરમ્યાન પોલીસે બાતમીના આધારે આ કારને રોકી તેને ચેક કરતા ડેકીમાંથી કરોડો રૂપિયાના બંડલ મળી આવ્યા હતા જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે આ પૈસા કોના છે અને ક્યાં જઈ રહ્યા છે રાજસ્થાન પોલીસે કારમાં સવાર પાટણ જિલ્લાના બે ગુજરાતીઓની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે રોકડ રકમ કાર સહીત બંનેની અટકાયત કરી હતી 


રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ 

રાજસ્થાનમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને રાજસ્થાન પોલીસ એલર્ટ મોડમાં આવી છે રાજસ્થાનમાં ઠેર ઠેર પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહી છે જેને લઈને પોલીસને બાતમી મળતા પોલીસે આ કારને રોકી હતી. પોલીસે કલમ 102 હેઠળ 3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી અને બે આરોપીઓ, ગુજરાતના સાંતલપુરના રહેવાસી નરેશ કુમાર અને ગુજરાતના કંબોઈ જિલ્લાના રહેવાસી અજીત સિંહની ધરપકડ કરી


આ કરોડો રૂપિયા કોના ?

કરોડો રૂપિયા લઈને રાજસ્થાનથી ગુજરાત આવતી કારને પોલીસે રોકી હતી જેમાં બે વ્યક્તિઓ સવાર હતા પોલીસે તેમને પૂછ્યું કે આ પૈસા કોના છે અને ક્યાંથી લાવ્યા છો ? પંરતુ પોલીસને આ બંને વ્યક્તિઓ પાસેથી સરખો જવાબ ન મળતા પોલીસે બંને વ્યક્તિઓની અટકાયત કરી હતી અત્યારે રાજસ્થાન પોલીસ દ્વારા ઇન્કમ ટેક્ષ વિભાગને જાણ કરી આ કરોડોના બંડલ કોના છે અને ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.