રાજસ્થાન બોર્ડર પરથી કરોડો રૂપિયા ઝડપાયા, બે ગુજરાતીઓની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-09-25 15:42:13

રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પાસે રાજસ્થાનથી ગુજરાત તરફ જઈ રહેલી કારની ડેકીમાંથી 3.15 કરોડ રૂપિયા નીકળ્યા. બહુચર્ચિત રહેતી બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવે રાજસ્થાન બૉર્ડર પાસેથી પુરઝડપે ગુજરાત પાર્સીંગની ગાડી પસાર થઇ રહી હતી દરમ્યાન પોલીસે બાતમીના આધારે આ કારને રોકી તેને ચેક કરતા ડેકીમાંથી કરોડો રૂપિયાના બંડલ મળી આવ્યા હતા જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે આ પૈસા કોના છે અને ક્યાં જઈ રહ્યા છે રાજસ્થાન પોલીસે કારમાં સવાર પાટણ જિલ્લાના બે ગુજરાતીઓની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે રોકડ રકમ કાર સહીત બંનેની અટકાયત કરી હતી 


રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ 

રાજસ્થાનમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને રાજસ્થાન પોલીસ એલર્ટ મોડમાં આવી છે રાજસ્થાનમાં ઠેર ઠેર પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહી છે જેને લઈને પોલીસને બાતમી મળતા પોલીસે આ કારને રોકી હતી. પોલીસે કલમ 102 હેઠળ 3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી અને બે આરોપીઓ, ગુજરાતના સાંતલપુરના રહેવાસી નરેશ કુમાર અને ગુજરાતના કંબોઈ જિલ્લાના રહેવાસી અજીત સિંહની ધરપકડ કરી


આ કરોડો રૂપિયા કોના ?

કરોડો રૂપિયા લઈને રાજસ્થાનથી ગુજરાત આવતી કારને પોલીસે રોકી હતી જેમાં બે વ્યક્તિઓ સવાર હતા પોલીસે તેમને પૂછ્યું કે આ પૈસા કોના છે અને ક્યાંથી લાવ્યા છો ? પંરતુ પોલીસને આ બંને વ્યક્તિઓ પાસેથી સરખો જવાબ ન મળતા પોલીસે બંને વ્યક્તિઓની અટકાયત કરી હતી અત્યારે રાજસ્થાન પોલીસ દ્વારા ઇન્કમ ટેક્ષ વિભાગને જાણ કરી આ કરોડોના બંડલ કોના છે અને ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.