પતંગબજારમાં જોવા મળ્યો માનવમહેરામણ, પતંગ અને દોરીની ખરીદી કરવા લોકોની જોવા મળી ભીડ


  • Published By :
  • Published Date : 2023-01-14 09:52:45

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી લોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી ગયા છે. લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં માનવા લાગ્યા છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ ગઈ કાલ રાત્રે જોવા મળ્યું હતું. પતંગો લેવા લોકોએ પડાપડી કરી હતી. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પતંગ લેવા ભારે ભીડ ઉમટી પડી હતી. 



ધામધૂમથી થાય છે ઉત્તરાયણ પર્વની ઉજવણી 

આજે લોકો ધામધૂમથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે. પતંગ લેવા લોકો એકાએક જાગ્યા હોય તેવા દ્રશ્યો ગઈ કાલ રાત્રે સર્જાયા હતા. મોટી સંખ્યામાં લોકો પતંગ લેવા બજારોમાં ઉમટી પડ્યા હતા. એક સમય એવો હતો કે જ્યારે અઠવાડિયા પહેલેથી જ લોકો પતંગ ઘરે લાવી પતંગમાં કિનીયા બાંધતા હતા. પરંતુ હવે ઈન્સ્ટન્ટનો જમાનો છે. 



પતંગ લેવા જોવા મળી લોકોની પડાપડી

ઉત્તરાયણની એક રાત્ર પૂર્વે અમદાવાદના પતંગ બજારમાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. પતંગ અને દોરીની ખરીદી કરવા અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રાયપુર, અરવિંદ મીલ, ભુલાભાઈ પાર્ક સહિતના પતંગબજારોમાં લોકો પતંગ લેવા આવી પહોચ્યા હતા. એટલી બધી ભીડ થઈ હતી કે પગ મૂકવાની જગ્યા પણ ન હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.