પતંગબજારમાં જોવા મળ્યો માનવમહેરામણ, પતંગ અને દોરીની ખરીદી કરવા લોકોની જોવા મળી ભીડ


  • Published By :
  • Published Date : 2023-01-14 09:52:45

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી લોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી ગયા છે. લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં માનવા લાગ્યા છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ ગઈ કાલ રાત્રે જોવા મળ્યું હતું. પતંગો લેવા લોકોએ પડાપડી કરી હતી. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પતંગ લેવા ભારે ભીડ ઉમટી પડી હતી. 



ધામધૂમથી થાય છે ઉત્તરાયણ પર્વની ઉજવણી 

આજે લોકો ધામધૂમથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે. પતંગ લેવા લોકો એકાએક જાગ્યા હોય તેવા દ્રશ્યો ગઈ કાલ રાત્રે સર્જાયા હતા. મોટી સંખ્યામાં લોકો પતંગ લેવા બજારોમાં ઉમટી પડ્યા હતા. એક સમય એવો હતો કે જ્યારે અઠવાડિયા પહેલેથી જ લોકો પતંગ ઘરે લાવી પતંગમાં કિનીયા બાંધતા હતા. પરંતુ હવે ઈન્સ્ટન્ટનો જમાનો છે. 



પતંગ લેવા જોવા મળી લોકોની પડાપડી

ઉત્તરાયણની એક રાત્ર પૂર્વે અમદાવાદના પતંગ બજારમાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. પતંગ અને દોરીની ખરીદી કરવા અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રાયપુર, અરવિંદ મીલ, ભુલાભાઈ પાર્ક સહિતના પતંગબજારોમાં લોકો પતંગ લેવા આવી પહોચ્યા હતા. એટલી બધી ભીડ થઈ હતી કે પગ મૂકવાની જગ્યા પણ ન હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.