પતંગબજારમાં જોવા મળ્યો માનવમહેરામણ, પતંગ અને દોરીની ખરીદી કરવા લોકોની જોવા મળી ભીડ


  • Published By :
  • Published Date : 2023-01-14 09:52:45

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી લોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી ગયા છે. લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં માનવા લાગ્યા છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ ગઈ કાલ રાત્રે જોવા મળ્યું હતું. પતંગો લેવા લોકોએ પડાપડી કરી હતી. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પતંગ લેવા ભારે ભીડ ઉમટી પડી હતી. 



ધામધૂમથી થાય છે ઉત્તરાયણ પર્વની ઉજવણી 

આજે લોકો ધામધૂમથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે. પતંગ લેવા લોકો એકાએક જાગ્યા હોય તેવા દ્રશ્યો ગઈ કાલ રાત્રે સર્જાયા હતા. મોટી સંખ્યામાં લોકો પતંગ લેવા બજારોમાં ઉમટી પડ્યા હતા. એક સમય એવો હતો કે જ્યારે અઠવાડિયા પહેલેથી જ લોકો પતંગ ઘરે લાવી પતંગમાં કિનીયા બાંધતા હતા. પરંતુ હવે ઈન્સ્ટન્ટનો જમાનો છે. 



પતંગ લેવા જોવા મળી લોકોની પડાપડી

ઉત્તરાયણની એક રાત્ર પૂર્વે અમદાવાદના પતંગ બજારમાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. પતંગ અને દોરીની ખરીદી કરવા અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રાયપુર, અરવિંદ મીલ, ભુલાભાઈ પાર્ક સહિતના પતંગબજારોમાં લોકો પતંગ લેવા આવી પહોચ્યા હતા. એટલી બધી ભીડ થઈ હતી કે પગ મૂકવાની જગ્યા પણ ન હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.