CSDS-Lokniti survey: મુખ્યમંત્રીના પદ માટે કોંગ્રેસમાંથી જિજ્ઞેશ મેવાણી લોકોની પહેલી પસંદ


  • Published By :
  • Published Date : 2022-11-06 14:54:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે વિવિધ પ્રકારના પોલ અને સર્વેની મોસમ ખીલી છે.  જેમ કે તાજેતરમાં જ CSDS-Lokniti survey કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં લોકોને ગુજરાતની રાજનીતિ અંગેના અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં એક સવાલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદ કોણ છે તે અંગેનો હતો. જો કે આ એક સવાલમાં લોકોએ કોઈ પણ નેતા પર પ્રબળ વિશ્વાસ વ્યક્ત કર્યો ન હતો.


કોઈ પણ નેતાને ન મળ્યો બહોળો પ્રતિસાદ


ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે લોકો કોને જોવા માંગે છે તે સવાલના જવાબમાં લોકોએ 10 નેતા પર પસંદગી ઉતારી હતી. આ નેતાઓમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, વિજય રૂપાણી, જિજ્ઞેસ મેવાણી, નિતીન પટેલ, આનેદીબેન પટેલ, હાર્દિક પટેલ, અમિત શાહ, ભરત સિંહ સોલંકીનો સમાવેશ થતો હતો. જેમાં સૌથી વધુ 15 ટકા લોકોએ ભૂપેન્દ્ર પટેલને સીએમ પદ માટે પસંદ કર્યા હતા.


કોંગ્રેસના નેતાઓમાં જિજ્ઞેશ મેવાણી પહેલી પસંદ


રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને તો લોકો કયા નેતાને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે તેમાં જિજ્ઞેશ મેવાણી અને ભરતસિંહ સોલંકીમાંથી લોકોએ જિજ્ઞેસ મેવાણી પર વધુ ભરોસો વ્યક્ત કર્યો હતો. ચાર ટકા લોકોએ કહ્યું હતું કે તેમને જિજ્ઞેસ મેવાણીને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.