CSDS-Lokniti survey: મુખ્યમંત્રીના પદ માટે કોંગ્રેસમાંથી જિજ્ઞેશ મેવાણી લોકોની પહેલી પસંદ


  • Published By :
  • Published Date : 2022-11-06 14:54:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે વિવિધ પ્રકારના પોલ અને સર્વેની મોસમ ખીલી છે.  જેમ કે તાજેતરમાં જ CSDS-Lokniti survey કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં લોકોને ગુજરાતની રાજનીતિ અંગેના અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં એક સવાલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદ કોણ છે તે અંગેનો હતો. જો કે આ એક સવાલમાં લોકોએ કોઈ પણ નેતા પર પ્રબળ વિશ્વાસ વ્યક્ત કર્યો ન હતો.


કોઈ પણ નેતાને ન મળ્યો બહોળો પ્રતિસાદ


ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે લોકો કોને જોવા માંગે છે તે સવાલના જવાબમાં લોકોએ 10 નેતા પર પસંદગી ઉતારી હતી. આ નેતાઓમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, વિજય રૂપાણી, જિજ્ઞેસ મેવાણી, નિતીન પટેલ, આનેદીબેન પટેલ, હાર્દિક પટેલ, અમિત શાહ, ભરત સિંહ સોલંકીનો સમાવેશ થતો હતો. જેમાં સૌથી વધુ 15 ટકા લોકોએ ભૂપેન્દ્ર પટેલને સીએમ પદ માટે પસંદ કર્યા હતા.


કોંગ્રેસના નેતાઓમાં જિજ્ઞેશ મેવાણી પહેલી પસંદ


રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને તો લોકો કયા નેતાને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે તેમાં જિજ્ઞેશ મેવાણી અને ભરતસિંહ સોલંકીમાંથી લોકોએ જિજ્ઞેસ મેવાણી પર વધુ ભરોસો વ્યક્ત કર્યો હતો. ચાર ટકા લોકોએ કહ્યું હતું કે તેમને જિજ્ઞેસ મેવાણીને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.