ભગવાન દ્વારકાધીશ પર ડાયરાની જેમ ઉડાવવામાં આવી ચલણી નોટો! વીડિયો વાયરલ થતાં ભક્તોમાં જોવા મળી નારાજગી, જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-11 11:27:16

હજી સુધી આપણે ડાયરામાં કલાકારો પર પૈસા ઉડાવતા માણસોને  જોયા છે. ડાયરામાં પૈસા ઉડાવે ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને લાગશે કે માણસ પોતાની મર્યાદા ઓળંગી રહ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભગવાન પર રીતસરની નોટો ફેકવામાં આવી રહી છે. આ વીડિયો સામે આવતા ભક્તોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

    


દ્વારકા મંદિરથી આવો વીડિયો સામે આવતા દુભાઈ ભક્તોની લાગણી!  

જો કે બીજી બાજુ સવાલ એ પણ થાય છે કે દ્વારકાધીશના જગતમંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે તો મોબાઈલ ક્યાંથી આવ્યો? કોણે ભગવાનના મંદિરમાં મોબાઈલ લઈ જવા દેવાની પરવાનગી આપી? ચલો કોઈ માણસ ભૂલથી પણ મોબાઈલ લઈ ગયો હોય પણ તેને આ વીડિયો ઉતારવાની કોણે પરમિશન આપી એ મોટો સવાલ છે? ચોંકાવનારી બાબત તો એ છે કે મંદિરના પૂજારી પોતે પણ આ વીડિયોમાં ભગવાન પર પૈસા ફેંકતા દેખાઈ રહ્યા છે. પૂજારી પણ રુપિયા ઉડાવી રહ્યા છે. આ દ્રશ્યો જોતા અનેક ભક્તોની લાગણી દુભાઈ છે. આ મામલે જ્યારે દ્વારકાના કલેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે.  


ભક્તો દ્વારા કરાયું ભગવાનનું અપમાન! 

દ્વારકાના મંદિરમાં ભગવાનના આઠમા અવતાર કૃષ્ણ સામે વિષ્ણુજીના પત્ની લક્ષ્મીજીને ફેંકવામાં આવી રહ્યા છે તેનાથી ભગવાનનું અપમાન થયું છે.... માણસ ભગવાનની પણ મર્યાદા નથી જાળવતો તે દુખદ કહેવાય... આ લોકો કોણ છે તેની તપાસ પ્રશાસન દ્વારા કરવામાં આવે તેવી ભક્તોની માગ છે. શું તે ભગવાનથી પણ મોટા થઈ ગયા છે કે તેમનું અપમાન કરી રહ્યા છે??? હર્ષથી ભગવાન આગળ રૂપિયા ધરવાના હોય પણ આ લોકો જે કર્યું તે નિંદનીય છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.