ભગવાન દ્વારકાધીશ પર ડાયરાની જેમ ઉડાવવામાં આવી ચલણી નોટો! વીડિયો વાયરલ થતાં ભક્તોમાં જોવા મળી નારાજગી, જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-11 11:27:16

હજી સુધી આપણે ડાયરામાં કલાકારો પર પૈસા ઉડાવતા માણસોને  જોયા છે. ડાયરામાં પૈસા ઉડાવે ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને લાગશે કે માણસ પોતાની મર્યાદા ઓળંગી રહ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભગવાન પર રીતસરની નોટો ફેકવામાં આવી રહી છે. આ વીડિયો સામે આવતા ભક્તોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

    


દ્વારકા મંદિરથી આવો વીડિયો સામે આવતા દુભાઈ ભક્તોની લાગણી!  

જો કે બીજી બાજુ સવાલ એ પણ થાય છે કે દ્વારકાધીશના જગતમંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે તો મોબાઈલ ક્યાંથી આવ્યો? કોણે ભગવાનના મંદિરમાં મોબાઈલ લઈ જવા દેવાની પરવાનગી આપી? ચલો કોઈ માણસ ભૂલથી પણ મોબાઈલ લઈ ગયો હોય પણ તેને આ વીડિયો ઉતારવાની કોણે પરમિશન આપી એ મોટો સવાલ છે? ચોંકાવનારી બાબત તો એ છે કે મંદિરના પૂજારી પોતે પણ આ વીડિયોમાં ભગવાન પર પૈસા ફેંકતા દેખાઈ રહ્યા છે. પૂજારી પણ રુપિયા ઉડાવી રહ્યા છે. આ દ્રશ્યો જોતા અનેક ભક્તોની લાગણી દુભાઈ છે. આ મામલે જ્યારે દ્વારકાના કલેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે.  


ભક્તો દ્વારા કરાયું ભગવાનનું અપમાન! 

દ્વારકાના મંદિરમાં ભગવાનના આઠમા અવતાર કૃષ્ણ સામે વિષ્ણુજીના પત્ની લક્ષ્મીજીને ફેંકવામાં આવી રહ્યા છે તેનાથી ભગવાનનું અપમાન થયું છે.... માણસ ભગવાનની પણ મર્યાદા નથી જાળવતો તે દુખદ કહેવાય... આ લોકો કોણ છે તેની તપાસ પ્રશાસન દ્વારા કરવામાં આવે તેવી ભક્તોની માગ છે. શું તે ભગવાનથી પણ મોટા થઈ ગયા છે કે તેમનું અપમાન કરી રહ્યા છે??? હર્ષથી ભગવાન આગળ રૂપિયા ધરવાના હોય પણ આ લોકો જે કર્યું તે નિંદનીય છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.