ભગવાન દ્વારકાધીશ પર ડાયરાની જેમ ઉડાવવામાં આવી ચલણી નોટો! વીડિયો વાયરલ થતાં ભક્તોમાં જોવા મળી નારાજગી, જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-11 11:27:16

હજી સુધી આપણે ડાયરામાં કલાકારો પર પૈસા ઉડાવતા માણસોને  જોયા છે. ડાયરામાં પૈસા ઉડાવે ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને લાગશે કે માણસ પોતાની મર્યાદા ઓળંગી રહ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભગવાન પર રીતસરની નોટો ફેકવામાં આવી રહી છે. આ વીડિયો સામે આવતા ભક્તોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

    


દ્વારકા મંદિરથી આવો વીડિયો સામે આવતા દુભાઈ ભક્તોની લાગણી!  

જો કે બીજી બાજુ સવાલ એ પણ થાય છે કે દ્વારકાધીશના જગતમંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે તો મોબાઈલ ક્યાંથી આવ્યો? કોણે ભગવાનના મંદિરમાં મોબાઈલ લઈ જવા દેવાની પરવાનગી આપી? ચલો કોઈ માણસ ભૂલથી પણ મોબાઈલ લઈ ગયો હોય પણ તેને આ વીડિયો ઉતારવાની કોણે પરમિશન આપી એ મોટો સવાલ છે? ચોંકાવનારી બાબત તો એ છે કે મંદિરના પૂજારી પોતે પણ આ વીડિયોમાં ભગવાન પર પૈસા ફેંકતા દેખાઈ રહ્યા છે. પૂજારી પણ રુપિયા ઉડાવી રહ્યા છે. આ દ્રશ્યો જોતા અનેક ભક્તોની લાગણી દુભાઈ છે. આ મામલે જ્યારે દ્વારકાના કલેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે.  


ભક્તો દ્વારા કરાયું ભગવાનનું અપમાન! 

દ્વારકાના મંદિરમાં ભગવાનના આઠમા અવતાર કૃષ્ણ સામે વિષ્ણુજીના પત્ની લક્ષ્મીજીને ફેંકવામાં આવી રહ્યા છે તેનાથી ભગવાનનું અપમાન થયું છે.... માણસ ભગવાનની પણ મર્યાદા નથી જાળવતો તે દુખદ કહેવાય... આ લોકો કોણ છે તેની તપાસ પ્રશાસન દ્વારા કરવામાં આવે તેવી ભક્તોની માગ છે. શું તે ભગવાનથી પણ મોટા થઈ ગયા છે કે તેમનું અપમાન કરી રહ્યા છે??? હર્ષથી ભગવાન આગળ રૂપિયા ધરવાના હોય પણ આ લોકો જે કર્યું તે નિંદનીય છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે