ગુજરાતમાં મહિલાઓ સામે સાયબર ગુના 25 ટકા વધ્યા, સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-03-27 16:20:44

રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. જો કે હવે તો મહિલાઓ સાથે પણ સાયબર ક્રાઈમના કેસ વધ્યા છે. લોકસભામાં આ અંગે સરકારે જાણકારી આપી હતી, સરકારના આંકડા પ્રમાણે વર્ષ 2019ની તુલનામાં હાલ ગુજરાતમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમ રેટ 25 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. 


રાજ્યમાં મહિલાઓ સામે ગુના વધ્યા


કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા આંકડા મુજબ 2019માં દેશમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમના કેસ 8415 નોંધાયા હતા. જે વર્ષ 2020માં 10405 અને વર્ષ 2021માં તે 10730 નોંધાયા છે. આ જ પ્રકારે ગુજરાતમાં પણ મહિલા સાથે સાયબર ગુના 25 ટકા ગુના વધ્યા છે. 


ગુજરાતમાં શું સ્થિતી છે?


સરકારે આપેલી જાણકારી મુજબ ગુજરાતમાં મહિલાઓ સામે વર્ષ 2019માં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમના 226 કેસ નોંધાયા હતા. વર્ષ 2020માં તે 277 કેસ હતા. જે 2021માં વધીને 349 કેસ થઈ ગયા છે.ત્રણ વર્ષમાં મહિલાઓ સામેના સાઈબર ક્રાઈમના કુલ 852 કેસ નોંધાયા છે. જેમાં 836ની વ્યક્તિઓની ધરપકડ થઈ છે. સાયબર ગુનાને લઈ માત્ર એક વ્યક્તિને વર્ષ 2021માં સજા મળી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.