ગુજરાતમાં મહિલાઓ સામે સાયબર ગુના 25 ટકા વધ્યા, સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-03-27 16:20:44

રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. જો કે હવે તો મહિલાઓ સાથે પણ સાયબર ક્રાઈમના કેસ વધ્યા છે. લોકસભામાં આ અંગે સરકારે જાણકારી આપી હતી, સરકારના આંકડા પ્રમાણે વર્ષ 2019ની તુલનામાં હાલ ગુજરાતમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમ રેટ 25 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. 


રાજ્યમાં મહિલાઓ સામે ગુના વધ્યા


કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા આંકડા મુજબ 2019માં દેશમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમના કેસ 8415 નોંધાયા હતા. જે વર્ષ 2020માં 10405 અને વર્ષ 2021માં તે 10730 નોંધાયા છે. આ જ પ્રકારે ગુજરાતમાં પણ મહિલા સાથે સાયબર ગુના 25 ટકા ગુના વધ્યા છે. 


ગુજરાતમાં શું સ્થિતી છે?


સરકારે આપેલી જાણકારી મુજબ ગુજરાતમાં મહિલાઓ સામે વર્ષ 2019માં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમના 226 કેસ નોંધાયા હતા. વર્ષ 2020માં તે 277 કેસ હતા. જે 2021માં વધીને 349 કેસ થઈ ગયા છે.ત્રણ વર્ષમાં મહિલાઓ સામેના સાઈબર ક્રાઈમના કુલ 852 કેસ નોંધાયા છે. જેમાં 836ની વ્યક્તિઓની ધરપકડ થઈ છે. સાયબર ગુનાને લઈ માત્ર એક વ્યક્તિને વર્ષ 2021માં સજા મળી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.