ગુજરાતમાં મહિલાઓ સામે સાયબર ગુના 25 ટકા વધ્યા, સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-03-27 16:20:44

રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. જો કે હવે તો મહિલાઓ સાથે પણ સાયબર ક્રાઈમના કેસ વધ્યા છે. લોકસભામાં આ અંગે સરકારે જાણકારી આપી હતી, સરકારના આંકડા પ્રમાણે વર્ષ 2019ની તુલનામાં હાલ ગુજરાતમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમ રેટ 25 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. 


રાજ્યમાં મહિલાઓ સામે ગુના વધ્યા


કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા આંકડા મુજબ 2019માં દેશમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમના કેસ 8415 નોંધાયા હતા. જે વર્ષ 2020માં 10405 અને વર્ષ 2021માં તે 10730 નોંધાયા છે. આ જ પ્રકારે ગુજરાતમાં પણ મહિલા સાથે સાયબર ગુના 25 ટકા ગુના વધ્યા છે. 


ગુજરાતમાં શું સ્થિતી છે?


સરકારે આપેલી જાણકારી મુજબ ગુજરાતમાં મહિલાઓ સામે વર્ષ 2019માં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમના 226 કેસ નોંધાયા હતા. વર્ષ 2020માં તે 277 કેસ હતા. જે 2021માં વધીને 349 કેસ થઈ ગયા છે.ત્રણ વર્ષમાં મહિલાઓ સામેના સાઈબર ક્રાઈમના કુલ 852 કેસ નોંધાયા છે. જેમાં 836ની વ્યક્તિઓની ધરપકડ થઈ છે. સાયબર ગુનાને લઈ માત્ર એક વ્યક્તિને વર્ષ 2021માં સજા મળી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે