બિપોરજોય વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં મરીન કમાન્ડોની ટીમ તૈનાત, કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે


  • Published By :
  • Published Date : 2023-06-12 14:21:52

બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને પગલે રાજ્ય સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકાર બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. દરિયા વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈને તમામ ગતિવિધિઓ ઉપર રાજ્ય સરકાર બાજ નજર રાખી રહી છે. વાવાઝોડાની ભયાનક્તા જોતા વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં મરીન કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે.


28 ગામો પર વાવાઝોડાનો ખતરો


વલસાડ જિલ્લાના 28 ગામો પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. સમુદ્ર કિનારાના  28 ગામોમાં  મરીન કમાન્ડોની ટીમ સતત પેટ્રોલિંગ કરશે. વલસાડના તિથલ બિચ પર પણ મરિન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.


મંત્રી કનુભાઈ દેસાઈ રાખી રહ્યા છે નજર


વલસાડ જિલ્લા બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરને લઈ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે આજ રોજ વલસાડના તિથલ દરિયા કિનારે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મુલાકાત લીધી હતી. ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના સુપ્રસિધ્ધ તિથલ બીચની મુલાકાત લીધી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.