બિપોરજોય વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં મરીન કમાન્ડોની ટીમ તૈનાત, કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે


  • Published By :
  • Published Date : 2023-06-12 14:21:52

બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને પગલે રાજ્ય સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકાર બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. દરિયા વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈને તમામ ગતિવિધિઓ ઉપર રાજ્ય સરકાર બાજ નજર રાખી રહી છે. વાવાઝોડાની ભયાનક્તા જોતા વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં મરીન કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે.


28 ગામો પર વાવાઝોડાનો ખતરો


વલસાડ જિલ્લાના 28 ગામો પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. સમુદ્ર કિનારાના  28 ગામોમાં  મરીન કમાન્ડોની ટીમ સતત પેટ્રોલિંગ કરશે. વલસાડના તિથલ બિચ પર પણ મરિન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.


મંત્રી કનુભાઈ દેસાઈ રાખી રહ્યા છે નજર


વલસાડ જિલ્લા બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરને લઈ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે આજ રોજ વલસાડના તિથલ દરિયા કિનારે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મુલાકાત લીધી હતી. ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના સુપ્રસિધ્ધ તિથલ બીચની મુલાકાત લીધી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.