બિપોરજોયના સામના માટે સુરક્ષાદળો સુસજ્જ, જાણો એરફોર્સ અને નેવીની શું છે તૈયારીઓ?


  • Published By :
  • Published Date : 2023-06-15 16:28:48

વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત આ જ રાત સુધી કચ્છના જખૌ બંદર પર ત્રાટકી શકે છે. હવામાન વિભાગે ભારે નુકાસાનની આશંકા વ્યક્ત કરી છે. આ જ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જ કારણે કોઈ પણ સ્થીતીને પહોંચી વળવા માટે  NDRFની અનેક ટીમે તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના વિંગ કમાન્ડર એન.મનીષનું કહેવું છે કે ગુજરાત ઉપરાંત અનેક જગ્યા પર રાહતકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.


ત્રણેય સેનાઓ સુસજ્જ


ભયાનક વાવાઝોડામાંથી લોકોને બચાવવામાં આર્મી, એરફોર્સ અને નેવી તથા કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડ પર છે. એરફોર્સે NDRFના જવાનો સાથે મળી સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તે જ પ્રકારે ઈન્ડિયન નેવીએ પણ 4 જહાજોને તૈનાત કર્યા છે. સુચના મળતા જ રાહત અને બચાવ કામગીરીમાં લાગી જશે. નેવીએ પોરબંદર અને ઓખામાં પાંચ રાહત દળ, વાલસુરામાં 15 રાહત દળ તૈનાત કર્યા છે. તે જ ઉપરાંત ગોવામાં આઈએનએસ  હંસા અને મુંબઈમાં આઈએનએસ શિકરામાં તૈનાત હેલિકોપ્ટર ગુજરાતમાં તાત્કાલિક લોકોને પરિવહન સેવા આપવાના કાર્યમાં લાગી જશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.