બિપોરજોયના સામના માટે સુરક્ષાદળો સુસજ્જ, જાણો એરફોર્સ અને નેવીની શું છે તૈયારીઓ?


  • Published By :
  • Published Date : 2023-06-15 16:28:48

વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત આ જ રાત સુધી કચ્છના જખૌ બંદર પર ત્રાટકી શકે છે. હવામાન વિભાગે ભારે નુકાસાનની આશંકા વ્યક્ત કરી છે. આ જ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જ કારણે કોઈ પણ સ્થીતીને પહોંચી વળવા માટે  NDRFની અનેક ટીમે તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના વિંગ કમાન્ડર એન.મનીષનું કહેવું છે કે ગુજરાત ઉપરાંત અનેક જગ્યા પર રાહતકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.


ત્રણેય સેનાઓ સુસજ્જ


ભયાનક વાવાઝોડામાંથી લોકોને બચાવવામાં આર્મી, એરફોર્સ અને નેવી તથા કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડ પર છે. એરફોર્સે NDRFના જવાનો સાથે મળી સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તે જ પ્રકારે ઈન્ડિયન નેવીએ પણ 4 જહાજોને તૈનાત કર્યા છે. સુચના મળતા જ રાહત અને બચાવ કામગીરીમાં લાગી જશે. નેવીએ પોરબંદર અને ઓખામાં પાંચ રાહત દળ, વાલસુરામાં 15 રાહત દળ તૈનાત કર્યા છે. તે જ ઉપરાંત ગોવામાં આઈએનએસ  હંસા અને મુંબઈમાં આઈએનએસ શિકરામાં તૈનાત હેલિકોપ્ટર ગુજરાતમાં તાત્કાલિક લોકોને પરિવહન સેવા આપવાના કાર્યમાં લાગી જશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.