બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં મચાવી તબાહી! જાણો બિપોરજોયને કારણે ક્યાં અને કેટલું થયું નુકસાન?


  • Published By :
  • Published Date : 2023-06-16 09:41:21

બિપોરજોય નામના વાવઝોડાનું સંકટ ગુજરાત પર તોળાતું હતું. ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ દરિયો ગાંડોતુર બન્યો હતો. ભારે પવન ફૂંકાવવાને કારણે અનેક સ્થળોથી વિનાશના દ્રશ્યો સામે  આવ્યા હતા. અનેક વૃક્ષો ધરાશાયી થયાં, અનેક વીજપોલો તૂટી પડ્યા હતા. અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લેન્ડફોલ થયાં બાદ દરિયાકાંઠાની પરિસ્થિતિ અત્યંત ભયાનક જોવા મળી હતી. પોરબંદર, દ્વારકા તેમજ જખૌમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે વાવાઝોડાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

         

કચ્છમાં વરસ્યો હતો ધોધમાર વરસાદ!

ગુજરાત પર બિપોરજોયનું સંકટ તોળાઈ રહ્યું હતું. ઘણા દિવસોથી સમાચાર લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા કે માત્ર આટલા કિલોમીટર જ બિપોરજોય દૂર છે. વાવાઝોડાને લઈ સતત અપડેટ આપવામાં આવતી હતી. લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલ રાત્રે બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. બિપોરજોય ટકરાયા બાદ પણ ગુજરાત માટે આગામી કલાકો ભારે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વાવાઝોડાને કારણે વરસ્યો હતો. કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર 2 કલાકની અંદર 78 મિમી વરસાદ વરસ્યો હતો. તે સિવાય અનેક જિલ્લાઓ એવા હતા જ્યાં માત્ર થોડા સમયમાં જ ઘણો વરસાદ વરસી ગયો હતો.      

આટલા વૃક્ષો તેમજ વીજપોલ થયા ધરાશાયી!

વાવાઝોડું પસાર થયું તે બાદ બિપોરજોયે કેટલો વિનાશ સર્જ્યો તે અંગેની માહિતી રાહત કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. નિવદેન આપતા તેમણે જણાવ્યું કે વાવાઝોડાને કારણે 940 ગામોમાં વીજપોલ ધરાશાયી થયા છે. જેને કારણે અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. વીજ પુરવઠો ફરી શરૂ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તે સિવાય વાવાઝોડાને કારણે 524 વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ઉપરાંત 23 પશુઓના મોત પણ નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર જામનગરમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. મુખ્યમંત્રી પણ વાવાઝોડાને લઈ સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે સમીક્ષા બેઠક કરવાના છે. મહત્વનું છે વાવાઝોડાને કારણે કેટલો વિનાશ થયો તે સર્વે કરાયા બાદ જ ખબર પડશે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.