બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં મચાવી તબાહી! જાણો બિપોરજોયને કારણે ક્યાં અને કેટલું થયું નુકસાન?


  • Published By :
  • Published Date : 2023-06-16 09:41:21

બિપોરજોય નામના વાવઝોડાનું સંકટ ગુજરાત પર તોળાતું હતું. ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ દરિયો ગાંડોતુર બન્યો હતો. ભારે પવન ફૂંકાવવાને કારણે અનેક સ્થળોથી વિનાશના દ્રશ્યો સામે  આવ્યા હતા. અનેક વૃક્ષો ધરાશાયી થયાં, અનેક વીજપોલો તૂટી પડ્યા હતા. અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લેન્ડફોલ થયાં બાદ દરિયાકાંઠાની પરિસ્થિતિ અત્યંત ભયાનક જોવા મળી હતી. પોરબંદર, દ્વારકા તેમજ જખૌમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે વાવાઝોડાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

         

કચ્છમાં વરસ્યો હતો ધોધમાર વરસાદ!

ગુજરાત પર બિપોરજોયનું સંકટ તોળાઈ રહ્યું હતું. ઘણા દિવસોથી સમાચાર લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા કે માત્ર આટલા કિલોમીટર જ બિપોરજોય દૂર છે. વાવાઝોડાને લઈ સતત અપડેટ આપવામાં આવતી હતી. લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલ રાત્રે બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. બિપોરજોય ટકરાયા બાદ પણ ગુજરાત માટે આગામી કલાકો ભારે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વાવાઝોડાને કારણે વરસ્યો હતો. કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર 2 કલાકની અંદર 78 મિમી વરસાદ વરસ્યો હતો. તે સિવાય અનેક જિલ્લાઓ એવા હતા જ્યાં માત્ર થોડા સમયમાં જ ઘણો વરસાદ વરસી ગયો હતો.      

આટલા વૃક્ષો તેમજ વીજપોલ થયા ધરાશાયી!

વાવાઝોડું પસાર થયું તે બાદ બિપોરજોયે કેટલો વિનાશ સર્જ્યો તે અંગેની માહિતી રાહત કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. નિવદેન આપતા તેમણે જણાવ્યું કે વાવાઝોડાને કારણે 940 ગામોમાં વીજપોલ ધરાશાયી થયા છે. જેને કારણે અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. વીજ પુરવઠો ફરી શરૂ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તે સિવાય વાવાઝોડાને કારણે 524 વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ઉપરાંત 23 પશુઓના મોત પણ નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર જામનગરમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. મુખ્યમંત્રી પણ વાવાઝોડાને લઈ સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે સમીક્ષા બેઠક કરવાના છે. મહત્વનું છે વાવાઝોડાને કારણે કેટલો વિનાશ થયો તે સર્વે કરાયા બાદ જ ખબર પડશે.       




થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?