ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ડીજેના તાલે દાંડિયા રાસ રમતો યુવક હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 18:33:02

આજકાલ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. એક સમયે માત્ર આધેડ વયના લોકોને જ હ્રદય રોગના હુમલાથી મોત થતા હતા. જો કે હવે તો યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. ગમે ત્યારે હાર્ટ એટેક આવતા એક હર્યો ભર્યો પરિવાર વિખેરાઈ જાય છે. જેમ કે દાહોદના દેવગઢ બારિયામાં દાંડિયા રાસ રમતાં યુવકનું હાર્ટ એટેક આવતાં મોત નિપજતાં ખુશીનો પ્રસંગ માતમમાં છવાઈ ગયો હતો. 


યુવાનને કઈ રીતે હાર્ટ એટેક આવ્યો?


દાહોદના દેવગઢ બારિયાના રમેશ વણઝારા ઈંટો-રેતી તેમજ જમીન લે-વેચનાવ વ્યવસાય સાથે સંકળાયેલાં હતા. રમેશભાઈના ઘરે પારિવારિક પ્રસંગ ચાલી રહ્યો હતો. તે દરમિયાન રાત્રીના સમયે ઘરમાં પારિવારિક પ્રસંગ હોવાથી ડીજેના તાલે રમેશભાઈ ઘરના એક સભ્ય સાથે દાંડિયા રાસ રમી રહ્યા હતા. તે દરમિયાન એકાએક રમેશભાઈ થાકી જતાં જમીન પર ઢીંચણના ટેકે બેસી ગયા હતા અને બાદમાં તેમનું મોત નિપજતાં પરિવારમાં આઘાત છવાઈ ગયો હતો. યુવકના મોતનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.



હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પણ તબીબોએ મૃત જાહેર કર્યા


રમેશભાઈ એકાએક જમીન પર ઢળી પડતા ઘરના અન્ય સભ્યો તરત જ દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે રમેશભાઈનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.