ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ડીજેના તાલે દાંડિયા રાસ રમતો યુવક હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 18:33:02

આજકાલ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. એક સમયે માત્ર આધેડ વયના લોકોને જ હ્રદય રોગના હુમલાથી મોત થતા હતા. જો કે હવે તો યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. ગમે ત્યારે હાર્ટ એટેક આવતા એક હર્યો ભર્યો પરિવાર વિખેરાઈ જાય છે. જેમ કે દાહોદના દેવગઢ બારિયામાં દાંડિયા રાસ રમતાં યુવકનું હાર્ટ એટેક આવતાં મોત નિપજતાં ખુશીનો પ્રસંગ માતમમાં છવાઈ ગયો હતો. 


યુવાનને કઈ રીતે હાર્ટ એટેક આવ્યો?


દાહોદના દેવગઢ બારિયાના રમેશ વણઝારા ઈંટો-રેતી તેમજ જમીન લે-વેચનાવ વ્યવસાય સાથે સંકળાયેલાં હતા. રમેશભાઈના ઘરે પારિવારિક પ્રસંગ ચાલી રહ્યો હતો. તે દરમિયાન રાત્રીના સમયે ઘરમાં પારિવારિક પ્રસંગ હોવાથી ડીજેના તાલે રમેશભાઈ ઘરના એક સભ્ય સાથે દાંડિયા રાસ રમી રહ્યા હતા. તે દરમિયાન એકાએક રમેશભાઈ થાકી જતાં જમીન પર ઢીંચણના ટેકે બેસી ગયા હતા અને બાદમાં તેમનું મોત નિપજતાં પરિવારમાં આઘાત છવાઈ ગયો હતો. યુવકના મોતનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.



હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પણ તબીબોએ મૃત જાહેર કર્યા


રમેશભાઈ એકાએક જમીન પર ઢળી પડતા ઘરના અન્ય સભ્યો તરત જ દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે રમેશભાઈનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે