ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ડીજેના તાલે દાંડિયા રાસ રમતો યુવક હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 18:33:02

આજકાલ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. એક સમયે માત્ર આધેડ વયના લોકોને જ હ્રદય રોગના હુમલાથી મોત થતા હતા. જો કે હવે તો યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. ગમે ત્યારે હાર્ટ એટેક આવતા એક હર્યો ભર્યો પરિવાર વિખેરાઈ જાય છે. જેમ કે દાહોદના દેવગઢ બારિયામાં દાંડિયા રાસ રમતાં યુવકનું હાર્ટ એટેક આવતાં મોત નિપજતાં ખુશીનો પ્રસંગ માતમમાં છવાઈ ગયો હતો. 


યુવાનને કઈ રીતે હાર્ટ એટેક આવ્યો?


દાહોદના દેવગઢ બારિયાના રમેશ વણઝારા ઈંટો-રેતી તેમજ જમીન લે-વેચનાવ વ્યવસાય સાથે સંકળાયેલાં હતા. રમેશભાઈના ઘરે પારિવારિક પ્રસંગ ચાલી રહ્યો હતો. તે દરમિયાન રાત્રીના સમયે ઘરમાં પારિવારિક પ્રસંગ હોવાથી ડીજેના તાલે રમેશભાઈ ઘરના એક સભ્ય સાથે દાંડિયા રાસ રમી રહ્યા હતા. તે દરમિયાન એકાએક રમેશભાઈ થાકી જતાં જમીન પર ઢીંચણના ટેકે બેસી ગયા હતા અને બાદમાં તેમનું મોત નિપજતાં પરિવારમાં આઘાત છવાઈ ગયો હતો. યુવકના મોતનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.



હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પણ તબીબોએ મૃત જાહેર કર્યા


રમેશભાઈ એકાએક જમીન પર ઢળી પડતા ઘરના અન્ય સભ્યો તરત જ દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે રમેશભાઈનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.