VIP દર્શનનો વિવાદ વધતા Dakor મંદિર કમિટીએ લીધો આ નિર્ણય, ભક્તોમાં વ્યાપી ઉમંગની લાગણી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-23 11:50:13

ભક્તો ભગવાનના નજીકથી દર્શન કરી શકે તે માટે થોડા સમય પહેલા યાત્રાધામ ડાકોરમાં વીઆઈપી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. પૂરૂષો માટે 500 રુપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો જ્યારે મહિલાઓ માટે 250 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો હતો. આ નિર્ણય સામે આવ્યા બાદ ભારે હોબાળો તેમજ વિવાદ છેડાયો હતો. વીઆઈપી દર્શન વાળો નિર્ણય પરત લેવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ડાકોરના મંદિર કમિટી દ્વારા વીઆઈપી દર્શનનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. મંદિરે વીઆઈપી દર્શનનો નિર્ણય પાછો ખેંચ્યો છે. આ નિર્ણય લેવાતા ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. 


પુરૂષ અને મહિલા દર્શનાર્થીઓ માટે આ હતા દર્શનના રેટ


મંદિર કમિટી દ્વારા નિર્ણય પરત તો લેવામાં આવ્યો છે પરંતુ નિર્ણયની વાત કરીએ તો ડાકોરના ઠાકોર રણછોડરાયજીના મંદિરમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો હશે તો તેમની અલગથી ટિકિટ લેવાની જરૂર પડશે નહીં. આ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જ્યારથી આ નિર્ણય મંદિર કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ભક્તોની લાગણી આ નિર્ણયને કારણે દુભાઈ હતી. આ નિર્ણયનો ભક્તોએ વિરોધ કર્યો હતો. ત્યારે વિવાદ વધતા ટેમ્પલ કમિટી દ્વારા આ વીઆઈપી દર્શન વાળા નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે. શુક્રવારે આ અંગેની જાણકારી સત્તાવાર રીતે મંદિર કમીટિ દ્વારા આપવામાં આવી હતી. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી