VIP દર્શનનો વિવાદ વધતા Dakor મંદિર કમિટીએ લીધો આ નિર્ણય, ભક્તોમાં વ્યાપી ઉમંગની લાગણી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-23 11:50:13

ભક્તો ભગવાનના નજીકથી દર્શન કરી શકે તે માટે થોડા સમય પહેલા યાત્રાધામ ડાકોરમાં વીઆઈપી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. પૂરૂષો માટે 500 રુપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો જ્યારે મહિલાઓ માટે 250 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો હતો. આ નિર્ણય સામે આવ્યા બાદ ભારે હોબાળો તેમજ વિવાદ છેડાયો હતો. વીઆઈપી દર્શન વાળો નિર્ણય પરત લેવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ડાકોરના મંદિર કમિટી દ્વારા વીઆઈપી દર્શનનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. મંદિરે વીઆઈપી દર્શનનો નિર્ણય પાછો ખેંચ્યો છે. આ નિર્ણય લેવાતા ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. 


પુરૂષ અને મહિલા દર્શનાર્થીઓ માટે આ હતા દર્શનના રેટ


મંદિર કમિટી દ્વારા નિર્ણય પરત તો લેવામાં આવ્યો છે પરંતુ નિર્ણયની વાત કરીએ તો ડાકોરના ઠાકોર રણછોડરાયજીના મંદિરમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો હશે તો તેમની અલગથી ટિકિટ લેવાની જરૂર પડશે નહીં. આ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જ્યારથી આ નિર્ણય મંદિર કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ભક્તોની લાગણી આ નિર્ણયને કારણે દુભાઈ હતી. આ નિર્ણયનો ભક્તોએ વિરોધ કર્યો હતો. ત્યારે વિવાદ વધતા ટેમ્પલ કમિટી દ્વારા આ વીઆઈપી દર્શન વાળા નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે. શુક્રવારે આ અંગેની જાણકારી સત્તાવાર રીતે મંદિર કમીટિ દ્વારા આપવામાં આવી હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.