VIP દર્શનનો વિવાદ વધતા Dakor મંદિર કમિટીએ લીધો આ નિર્ણય, ભક્તોમાં વ્યાપી ઉમંગની લાગણી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-23 11:50:13

ભક્તો ભગવાનના નજીકથી દર્શન કરી શકે તે માટે થોડા સમય પહેલા યાત્રાધામ ડાકોરમાં વીઆઈપી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. પૂરૂષો માટે 500 રુપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો જ્યારે મહિલાઓ માટે 250 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો હતો. આ નિર્ણય સામે આવ્યા બાદ ભારે હોબાળો તેમજ વિવાદ છેડાયો હતો. વીઆઈપી દર્શન વાળો નિર્ણય પરત લેવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ડાકોરના મંદિર કમિટી દ્વારા વીઆઈપી દર્શનનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. મંદિરે વીઆઈપી દર્શનનો નિર્ણય પાછો ખેંચ્યો છે. આ નિર્ણય લેવાતા ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. 


પુરૂષ અને મહિલા દર્શનાર્થીઓ માટે આ હતા દર્શનના રેટ


મંદિર કમિટી દ્વારા નિર્ણય પરત તો લેવામાં આવ્યો છે પરંતુ નિર્ણયની વાત કરીએ તો ડાકોરના ઠાકોર રણછોડરાયજીના મંદિરમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો હશે તો તેમની અલગથી ટિકિટ લેવાની જરૂર પડશે નહીં. આ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જ્યારથી આ નિર્ણય મંદિર કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ભક્તોની લાગણી આ નિર્ણયને કારણે દુભાઈ હતી. આ નિર્ણયનો ભક્તોએ વિરોધ કર્યો હતો. ત્યારે વિવાદ વધતા ટેમ્પલ કમિટી દ્વારા આ વીઆઈપી દર્શન વાળા નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે. શુક્રવારે આ અંગેની જાણકારી સત્તાવાર રીતે મંદિર કમીટિ દ્વારા આપવામાં આવી હતી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.