બાળકને કિસ કરવા મુદ્દે દલાઈ લામાએ માફી માગી, નિવેદનમાં શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-10 14:41:13

તિબેટના 14માં આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને હવે દલાઈ લામા તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં તેમણે લોકોની લાગણી દુભાઈ હોવાથી માફી માગી છે.


VIDEO વાયરલ થતા વિવાદ વધ્યો


દલાઈ લામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. જેમાં એક બાળક ધર્મગુરૂ પાસે આશીર્વાદ લેવા આવ્યો ત્યારે, દલાઈ લામાએ વ્હાલથી તેના હોઠ પર કિસ કરી હતી.  આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો અને અને તેના કારણે જબરદસ્ત વિવાદ થયો હતો. 


દલાઈ લામાએ નિવેદનમાં શું કહ્યું


આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ સોમવારે માફી માંગી હતી. દલાઈ લામાના સત્તાવાર નિવેદન મુજબ દલાઈ લામાએ જો તેમના શબ્દોથી બાળક અથવા તેના પરિવારની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે. દલાઈ લામાએ કહ્યું કે તેઓ વિશ્વભરના તેમના તમામ સમર્થકોની માફી માંગે છે. દલાઈ લામાએ તેમના શબ્દોને લઈને પણ ક્ષમા યાચના કરી છે. નિવેદન અનુસાર દલાઈ લામા જાહેરમાં કેમેરા સામે પણ લોકોને ખુબ જ માસુમતાથી અને ચંચળ રીતે મળે છે, તેમણે આ ઘટનાને લઈ ખુબ જ ખેદ વ્યક્ત કર્યો છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.