બાળકને કિસ કરવા મુદ્દે દલાઈ લામાએ માફી માગી, નિવેદનમાં શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-10 14:41:13

તિબેટના 14માં આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને હવે દલાઈ લામા તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં તેમણે લોકોની લાગણી દુભાઈ હોવાથી માફી માગી છે.


VIDEO વાયરલ થતા વિવાદ વધ્યો


દલાઈ લામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. જેમાં એક બાળક ધર્મગુરૂ પાસે આશીર્વાદ લેવા આવ્યો ત્યારે, દલાઈ લામાએ વ્હાલથી તેના હોઠ પર કિસ કરી હતી.  આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો અને અને તેના કારણે જબરદસ્ત વિવાદ થયો હતો. 


દલાઈ લામાએ નિવેદનમાં શું કહ્યું


આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ સોમવારે માફી માંગી હતી. દલાઈ લામાના સત્તાવાર નિવેદન મુજબ દલાઈ લામાએ જો તેમના શબ્દોથી બાળક અથવા તેના પરિવારની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે. દલાઈ લામાએ કહ્યું કે તેઓ વિશ્વભરના તેમના તમામ સમર્થકોની માફી માંગે છે. દલાઈ લામાએ તેમના શબ્દોને લઈને પણ ક્ષમા યાચના કરી છે. નિવેદન અનુસાર દલાઈ લામા જાહેરમાં કેમેરા સામે પણ લોકોને ખુબ જ માસુમતાથી અને ચંચળ રીતે મળે છે, તેમણે આ ઘટનાને લઈ ખુબ જ ખેદ વ્યક્ત કર્યો છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.