બાળકને કિસ કરવા મુદ્દે દલાઈ લામાએ માફી માગી, નિવેદનમાં શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-10 14:41:13

તિબેટના 14માં આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને હવે દલાઈ લામા તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં તેમણે લોકોની લાગણી દુભાઈ હોવાથી માફી માગી છે.


VIDEO વાયરલ થતા વિવાદ વધ્યો


દલાઈ લામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. જેમાં એક બાળક ધર્મગુરૂ પાસે આશીર્વાદ લેવા આવ્યો ત્યારે, દલાઈ લામાએ વ્હાલથી તેના હોઠ પર કિસ કરી હતી.  આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો અને અને તેના કારણે જબરદસ્ત વિવાદ થયો હતો. 


દલાઈ લામાએ નિવેદનમાં શું કહ્યું


આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ સોમવારે માફી માંગી હતી. દલાઈ લામાના સત્તાવાર નિવેદન મુજબ દલાઈ લામાએ જો તેમના શબ્દોથી બાળક અથવા તેના પરિવારની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે. દલાઈ લામાએ કહ્યું કે તેઓ વિશ્વભરના તેમના તમામ સમર્થકોની માફી માંગે છે. દલાઈ લામાએ તેમના શબ્દોને લઈને પણ ક્ષમા યાચના કરી છે. નિવેદન અનુસાર દલાઈ લામા જાહેરમાં કેમેરા સામે પણ લોકોને ખુબ જ માસુમતાથી અને ચંચળ રીતે મળે છે, તેમણે આ ઘટનાને લઈ ખુબ જ ખેદ વ્યક્ત કર્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.