મહીસાગર જિલ્લામાં યુવતીની હત્યાનો મામલો ગરમાયો, ન્યાયની માગ સાથે દલિત સમાજના કલેક્ટર કચેરી બહાર ધરણા


  • Published By :
  • Published Date : 2023-03-26 18:56:53

મહીસાગર નદી કિનારેથી 21 માર્ચના રોજ એક યુવતીનો મૃતદેહ કોથળામાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ અંગે પોલીસે તપાસ હાથ ધરતા તે ઉર્સના મેળામાં ગુમ થયેલી યુવતી ચંદ્રિકા પરમાર હોવાનું સામે આવ્યું હતું. યુવતીનો મૃતદેહ મળ્યાના પાંચ દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ આરોપી પકડાયો નથી, આ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ બની છે. 


ખાનપુર સજ્જડ બંધ


મહીસાગર જિલ્લાના ખાનપુર ગામની યુવતી ચંદ્રિકા પરમારની કારંટા ઉર્સના મેળામાં યુવતી ગુમ થયા બાદ બાદ હત્યા થઈ હતી. તેનો મૃતહેદ નદીમાંથી મળતા ગામમાં અરેરાટી ફેલાઈ હતી, હત્યાના વિરોધમાં ખાનપુરના તમામ વેપારીઓએ ખાનપુરના તમામ બજારો સજ્જડ બંધ રાખી અનુસૂચિત જાતિને સમર્થન આપ્યું હતું. અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ખાનપુર ખાતે રેલી યોજવામાં આવી હતી.


જીલ્લા કલેકટર કચેરી સામે દેખાવો


ચંદ્રિકા પરમારની હત્યાને લઈ અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ખાનપુરથી જીલ્લા કલેકટર કચેરી રેલી યોજવામાં આવી હતી. અનુસૂચિત જાતિના આગેવાનો મહીસાગર અધિક કલેક્ટરની મંજૂરી બાદ ધરણા પર બેઠા છે. જીલ્લા કલેકટર કચેરી બહાર મૃતક યુવતીના પરિવારજનો સહિત અનુસૂચિત જાતિના આગેવાનો ધરણા કરી રહ્યા છે. પરિવાર જનોના  કહ્યા મુજબ જ્યાં સુધી આરોપી પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી કલેકટર કચેરી બહાર ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે. આ દરમિયાન આજે દલિત સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.