મહીસાગર જિલ્લામાં યુવતીની હત્યાનો મામલો ગરમાયો, ન્યાયની માગ સાથે દલિત સમાજના કલેક્ટર કચેરી બહાર ધરણા


  • Published By :
  • Published Date : 2023-03-26 18:56:53

મહીસાગર નદી કિનારેથી 21 માર્ચના રોજ એક યુવતીનો મૃતદેહ કોથળામાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ અંગે પોલીસે તપાસ હાથ ધરતા તે ઉર્સના મેળામાં ગુમ થયેલી યુવતી ચંદ્રિકા પરમાર હોવાનું સામે આવ્યું હતું. યુવતીનો મૃતદેહ મળ્યાના પાંચ દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ આરોપી પકડાયો નથી, આ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ બની છે. 


ખાનપુર સજ્જડ બંધ


મહીસાગર જિલ્લાના ખાનપુર ગામની યુવતી ચંદ્રિકા પરમારની કારંટા ઉર્સના મેળામાં યુવતી ગુમ થયા બાદ બાદ હત્યા થઈ હતી. તેનો મૃતહેદ નદીમાંથી મળતા ગામમાં અરેરાટી ફેલાઈ હતી, હત્યાના વિરોધમાં ખાનપુરના તમામ વેપારીઓએ ખાનપુરના તમામ બજારો સજ્જડ બંધ રાખી અનુસૂચિત જાતિને સમર્થન આપ્યું હતું. અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ખાનપુર ખાતે રેલી યોજવામાં આવી હતી.


જીલ્લા કલેકટર કચેરી સામે દેખાવો


ચંદ્રિકા પરમારની હત્યાને લઈ અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ખાનપુરથી જીલ્લા કલેકટર કચેરી રેલી યોજવામાં આવી હતી. અનુસૂચિત જાતિના આગેવાનો મહીસાગર અધિક કલેક્ટરની મંજૂરી બાદ ધરણા પર બેઠા છે. જીલ્લા કલેકટર કચેરી બહાર મૃતક યુવતીના પરિવારજનો સહિત અનુસૂચિત જાતિના આગેવાનો ધરણા કરી રહ્યા છે. પરિવાર જનોના  કહ્યા મુજબ જ્યાં સુધી આરોપી પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી કલેકટર કચેરી બહાર ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે. આ દરમિયાન આજે દલિત સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.