મહીસાગર જિલ્લામાં યુવતીની હત્યાનો મામલો ગરમાયો, ન્યાયની માગ સાથે દલિત સમાજના કલેક્ટર કચેરી બહાર ધરણા


  • Published By :
  • Published Date : 2023-03-26 18:56:53

મહીસાગર નદી કિનારેથી 21 માર્ચના રોજ એક યુવતીનો મૃતદેહ કોથળામાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ અંગે પોલીસે તપાસ હાથ ધરતા તે ઉર્સના મેળામાં ગુમ થયેલી યુવતી ચંદ્રિકા પરમાર હોવાનું સામે આવ્યું હતું. યુવતીનો મૃતદેહ મળ્યાના પાંચ દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ આરોપી પકડાયો નથી, આ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ બની છે. 


ખાનપુર સજ્જડ બંધ


મહીસાગર જિલ્લાના ખાનપુર ગામની યુવતી ચંદ્રિકા પરમારની કારંટા ઉર્સના મેળામાં યુવતી ગુમ થયા બાદ બાદ હત્યા થઈ હતી. તેનો મૃતહેદ નદીમાંથી મળતા ગામમાં અરેરાટી ફેલાઈ હતી, હત્યાના વિરોધમાં ખાનપુરના તમામ વેપારીઓએ ખાનપુરના તમામ બજારો સજ્જડ બંધ રાખી અનુસૂચિત જાતિને સમર્થન આપ્યું હતું. અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ખાનપુર ખાતે રેલી યોજવામાં આવી હતી.


જીલ્લા કલેકટર કચેરી સામે દેખાવો


ચંદ્રિકા પરમારની હત્યાને લઈ અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ખાનપુરથી જીલ્લા કલેકટર કચેરી રેલી યોજવામાં આવી હતી. અનુસૂચિત જાતિના આગેવાનો મહીસાગર અધિક કલેક્ટરની મંજૂરી બાદ ધરણા પર બેઠા છે. જીલ્લા કલેકટર કચેરી બહાર મૃતક યુવતીના પરિવારજનો સહિત અનુસૂચિત જાતિના આગેવાનો ધરણા કરી રહ્યા છે. પરિવાર જનોના  કહ્યા મુજબ જ્યાં સુધી આરોપી પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી કલેકટર કચેરી બહાર ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે. આ દરમિયાન આજે દલિત સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.