મહીસાગર જિલ્લામાં યુવતીની હત્યાનો મામલો ગરમાયો, ન્યાયની માગ સાથે દલિત સમાજના કલેક્ટર કચેરી બહાર ધરણા


  • Published By :
  • Published Date : 2023-03-26 18:56:53

મહીસાગર નદી કિનારેથી 21 માર્ચના રોજ એક યુવતીનો મૃતદેહ કોથળામાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ અંગે પોલીસે તપાસ હાથ ધરતા તે ઉર્સના મેળામાં ગુમ થયેલી યુવતી ચંદ્રિકા પરમાર હોવાનું સામે આવ્યું હતું. યુવતીનો મૃતદેહ મળ્યાના પાંચ દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ આરોપી પકડાયો નથી, આ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ બની છે. 


ખાનપુર સજ્જડ બંધ


મહીસાગર જિલ્લાના ખાનપુર ગામની યુવતી ચંદ્રિકા પરમારની કારંટા ઉર્સના મેળામાં યુવતી ગુમ થયા બાદ બાદ હત્યા થઈ હતી. તેનો મૃતહેદ નદીમાંથી મળતા ગામમાં અરેરાટી ફેલાઈ હતી, હત્યાના વિરોધમાં ખાનપુરના તમામ વેપારીઓએ ખાનપુરના તમામ બજારો સજ્જડ બંધ રાખી અનુસૂચિત જાતિને સમર્થન આપ્યું હતું. અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ખાનપુર ખાતે રેલી યોજવામાં આવી હતી.


જીલ્લા કલેકટર કચેરી સામે દેખાવો


ચંદ્રિકા પરમારની હત્યાને લઈ અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ખાનપુરથી જીલ્લા કલેકટર કચેરી રેલી યોજવામાં આવી હતી. અનુસૂચિત જાતિના આગેવાનો મહીસાગર અધિક કલેક્ટરની મંજૂરી બાદ ધરણા પર બેઠા છે. જીલ્લા કલેકટર કચેરી બહાર મૃતક યુવતીના પરિવારજનો સહિત અનુસૂચિત જાતિના આગેવાનો ધરણા કરી રહ્યા છે. પરિવાર જનોના  કહ્યા મુજબ જ્યાં સુધી આરોપી પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી કલેકટર કચેરી બહાર ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે. આ દરમિયાન આજે દલિત સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે