'સાહેબ અમને દાળવડા મંગાવવાની મંજુરી આપો' રાજ્યવેરા કમિશનરને લખાયેલો પત્ર વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-08 18:09:54

અમદાવાદ શહેરના સરકારી કાર્યાલયથી વિચિત્ર પણ જબરદસ્ત પત્ર વાયરલ થવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને વર્ગ બે અને 3ના કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટે પત્ર લખી મંજૂરી માંગી છે. હાલ આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને વર્ગ બે અને વર્ગ 3ના કર્મચારીઓએ બહારથી દાળવડા મગાવવા માટે પત્ર લખીને રજૂઆત કરી છે કે અમને બહારથી દાળવડા નથી મગાવવા દેવામાં આવતા અમારે તો દાળવડા ખાવા છે. અમને પરવાનગી આપો. જોવા જેવી વાત તો એ છે કે નીચે 11 સરકારી કર્મચારીએ સહી પણ કરી છે. લેટર વિચિત્ર હોવાના કારણે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના લાલ દરવાજામાં વેરા વિભાગની કચેરી આવેલી છે. જ્યાંના કર્મચારીઓએ જ આવી અરજી કરી છે. તેમણે કહ્યું છે કે અમારા સાહેબ મનોજભાઈ બોરિયા, હર્ષદ ડી સોલંકી અને ધ્રુવ દેસાઈએ અમને ઓફિસમાં બહારથી નાસ્તો લઈ આવવાની મનાઈ કરી છે. હાલ તો આ પત્રને લઈ અનેક લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું લખ્યું છે આ પત્રમાં?


અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને ક્લાસ-2ના અધિકારીઓ અને ક્લાસ-3ના તમામ કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટે મંજૂરી લેવા માટે પરમિશન લેટર લખી મંજૂરી માંગી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે,આપે રાજ્યવેરા નિરીક્ષક (વહીવટ) મનોજભાઇ બોરીયા તથા સિનીયર કારકુન હર્ષદ ડી.સોલંકી તથા જુનિયર કારકુન ધ્રુવ દેસાઇને તેઓની ચેમ્બરમાં રુબરૂ બોલાવી એવું કહેલ કે, ઓફિસ માં કોઇ પણ નાસ્તો બહારથી મંગાવવો હશે તો મારી એટલે કે સહાયક રાજ્યવેરા કમિશનર એ.સી.ભટ્ટની પરમીશન લેવી પડશે,જો એમ કરવામાં નહિ આવે તો તમામ સ્ટાફ વિરુધ્ધ પગલાં લેવામાં આવશે. આપની ઉક્ત આપેલ મૌખિક સૂચના અનુસાર આવતીકાલે બપોરે 2 કલાકે ઓફિસમાં દાળવડા મંગાવવાના હોઇ પરમીશન આપવા વિનંતી છે.


પત્રમાં 11 કર્મચારીએ કરી છે સહી


અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને વર્ગ બે અને 3ના કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટે પત્ર લખી મંજૂરી માંગી છે. આ અરજીની નકલ સંયુક્ત રાજ્યવેરા કમિશનર વિભાગ – 1 અમદાવાદ અને નાયબ રાજ્યવેરા કમિશનર વર્તુળ – 1 અમદાવાદ ખાતે પણ મોકલવામાં આવી છે. તેમાં 11 જેટલા કર્મચારીઓએ તેમની સહી પણ કરી છે.  


અગાઉ પાટણ DEOનો પત્ર થયો હતો વાયરલ  


સરકારી કર્મચારીઓના વિચિત્ર પત્રો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થતા હોય છે. ગયા વર્ષે પાટણ શિક્ષણાધીકારીએ જિલ્લાની તમામ સ્કૂલને એક વિચિત્ર પત્ર લખ્યો હતો જે પણ વાયરલ થયો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર વિવિધ યોજનાથી વિદ્યાર્થીઓને સહાય આપતી હોય છે. તો ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને સહાય આપવા માટે આભાર કહેતો પત્ર લખો અને બંને સામે કૃતજ્ઞતા વ્યક્ત કરે. ઉલ્લેખનિય છે કે આ પત્ર પણ પાટણ જિલ્લાના શિક્ષણ વર્તુળમાં ખૂબ જ વાયરલ થયો હતો. બે ઘડી વિચાર કરો ભારતનું બંધારણ અનુચ્છેદ 21 એ મુજબ 6થી 14 વર્ષના છોકરાઓને ફરજિયાત ભણાવવામાં આવે એવો અધિકાર આપે છે. ધોરણ 9 પછીનાનો અહીં કોઈ ઉલ્લેખ નથી અને તેમ છતાં પણ ભણાવવામાં આવે તો એનો પત્ર થોડો લખવાનો હોય. એ તો કોઈ પણ જવાબદાર સરકારની પ્રાથમિક ફરજ હોય છે કે તેના લોકોને ફરજિયાત સરસ આરોગ્ય, શિક્ષણ વગેરે મળે, એમાં થેંક્યૂ કહેવાનો સવાલ જ નથી. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી