અમદાવાદમાં સંત સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજનો હુંકાર, 'જ્ઞાનવાપી અને મથુરા માટે પણ લડીશું અને જીતીશું'


  • Published By :
  • Published Date : 2024-02-04 19:45:45

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર તથા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આજે દસ્ક્રોઇના પાલડી-કાંકજ નજીક આવેલા નકલંગ મહાદેવ મંદિર ખાતે સંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સંતો-મહંતો ધર્માચાર્ય મહામંડલેશ્વર સહિતના 200થી વધુ સંતો આ સંમેલનમાં હાજરી આપી હતી. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે સંત સંમેલનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, અમે સંતોએ નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં વર્ષો જૂના બંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી પૂજા ફરી શરૂ કરવામાં આવશે. જ્ઞાનવાપી અને મથુરા પર દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે નિવેદન આપતાં કહ્યું, અયોધ્યા તો હજુ શરૂઆત છે, રામલલા બિરાજમાન થતાં જ જ્ઞાનવાપીનું તાળું તૂટ્યુ. મથુરા મંદિરને લઈને પણ એટલો જ ઉત્સાહ છે, કાશી અને મથુરા માટે પણ લડીશુ અને જીતીશું.


દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે શું કહ્યું

દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, સિંગલ પ્રસ્તાવમાં અયોધ્યા, કાશી અને મથુરા એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અમે કોઈ કપટ કર્યું નથી. અમે ભારતીય સંવિધાનમાં આસ્થા વ્યક્ત કરીને આગળ વધી રહ્યા છીએ. કોર્ટ મારફત તો જવાબ એને દેવો પડશે. 1993માં જ્ઞાનવાપીમાં પૂજારીને ધમકી આપીને પૂજા બંધ કરાવી હતી. જે લોકોએ પૂજા બંધ કરાવી તેમાં જિલ્લા જજે એવું પૂછ્યું કે, પૂજા કેમ બંધ થઈ? જ્ઞાનવાપી મસ્જિદની ચારેય બાજુ બેરિકેટ છે એનો લેખિત ઓર્ડર કયાં છે? કોના આદેશથી બેરિકેટ કરવામાં આવી છે.  બેરિકેટ કે પૂજા બંધ કરવાનો ઓર્ડર તેમની પાસે નથી. આથી છળ તો તેઓએ કર્યું છે અને જવાબ પણ એ લોકોએ દેવો પડી રહ્યો છે. જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ મથુરા અમને મળશે જ મળશે. સાથોસાથ ગુજરાતમાં નિર્ણય એવો પણ કર્યો કે, લાંબા સમયથી અને જૂના મંદિરો બંધ છે તેનો જીર્ણોદ્ધાર થાય અને લોકો મંદિરમાં જાય. અમારે જ તેની રક્ષા કરવાની છે. એક દિવસ ગામના લોકો સાથે મંદિરને સ્વચ્છ કરી પૂજા કરાવવાની છે.


ગોપાલદાસજી મહારાજે ઔવેસી પર કર્યા પ્રહાર 

સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા ગોપાલદાસજી મહારાજે સંતોને સંબોધતા અસદુદ્દિન ઔવૈસીને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હૈદરાબાદનું કોઈ કૂતરું બોલે છે કે 'મારાં ગળા ઉપર કોઈ તલવાર મૂકે તો પણ ભારત માતાની જય નહી બોલું, સાંભળી લે હૈદરાબાદના કૂતરા, જે દિવસ સનાતન સાંસદમાં પહોંચશે તું શું તારો બાપ પણ વંદે માતરમ બોલશે.' તે ઉપરાંત તેમણે કહ્યું કે જે મંદિરો અપૂજ્ય પડ્યા છે, અમે નવા મંદિરો બનાવીએ છીએ એમાં કેટલાક પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો છે. પરંતુ આપણા હિન્દુઓની ઉદાસીનતાને કારણે એવા ઉપેક્ષિત મંદિરો પડ્યા છે એટલે સંતોની જવાબદારી છે કે બધા મંદિરોનો જર્ણોદ્ધાર, સ્વચ્છ કરવામાં આવે. લોકોને મંદિર તરફ વાળે. કારણ કે, મંદિરો આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.