અમદાવાદમાં સંત સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજનો હુંકાર, 'જ્ઞાનવાપી અને મથુરા માટે પણ લડીશું અને જીતીશું'


  • Published By :
  • Published Date : 2024-02-04 19:45:45

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર તથા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આજે દસ્ક્રોઇના પાલડી-કાંકજ નજીક આવેલા નકલંગ મહાદેવ મંદિર ખાતે સંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સંતો-મહંતો ધર્માચાર્ય મહામંડલેશ્વર સહિતના 200થી વધુ સંતો આ સંમેલનમાં હાજરી આપી હતી. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે સંત સંમેલનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, અમે સંતોએ નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં વર્ષો જૂના બંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી પૂજા ફરી શરૂ કરવામાં આવશે. જ્ઞાનવાપી અને મથુરા પર દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે નિવેદન આપતાં કહ્યું, અયોધ્યા તો હજુ શરૂઆત છે, રામલલા બિરાજમાન થતાં જ જ્ઞાનવાપીનું તાળું તૂટ્યુ. મથુરા મંદિરને લઈને પણ એટલો જ ઉત્સાહ છે, કાશી અને મથુરા માટે પણ લડીશુ અને જીતીશું.


દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે શું કહ્યું

દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, સિંગલ પ્રસ્તાવમાં અયોધ્યા, કાશી અને મથુરા એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અમે કોઈ કપટ કર્યું નથી. અમે ભારતીય સંવિધાનમાં આસ્થા વ્યક્ત કરીને આગળ વધી રહ્યા છીએ. કોર્ટ મારફત તો જવાબ એને દેવો પડશે. 1993માં જ્ઞાનવાપીમાં પૂજારીને ધમકી આપીને પૂજા બંધ કરાવી હતી. જે લોકોએ પૂજા બંધ કરાવી તેમાં જિલ્લા જજે એવું પૂછ્યું કે, પૂજા કેમ બંધ થઈ? જ્ઞાનવાપી મસ્જિદની ચારેય બાજુ બેરિકેટ છે એનો લેખિત ઓર્ડર કયાં છે? કોના આદેશથી બેરિકેટ કરવામાં આવી છે.  બેરિકેટ કે પૂજા બંધ કરવાનો ઓર્ડર તેમની પાસે નથી. આથી છળ તો તેઓએ કર્યું છે અને જવાબ પણ એ લોકોએ દેવો પડી રહ્યો છે. જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ મથુરા અમને મળશે જ મળશે. સાથોસાથ ગુજરાતમાં નિર્ણય એવો પણ કર્યો કે, લાંબા સમયથી અને જૂના મંદિરો બંધ છે તેનો જીર્ણોદ્ધાર થાય અને લોકો મંદિરમાં જાય. અમારે જ તેની રક્ષા કરવાની છે. એક દિવસ ગામના લોકો સાથે મંદિરને સ્વચ્છ કરી પૂજા કરાવવાની છે.


ગોપાલદાસજી મહારાજે ઔવેસી પર કર્યા પ્રહાર 

સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા ગોપાલદાસજી મહારાજે સંતોને સંબોધતા અસદુદ્દિન ઔવૈસીને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હૈદરાબાદનું કોઈ કૂતરું બોલે છે કે 'મારાં ગળા ઉપર કોઈ તલવાર મૂકે તો પણ ભારત માતાની જય નહી બોલું, સાંભળી લે હૈદરાબાદના કૂતરા, જે દિવસ સનાતન સાંસદમાં પહોંચશે તું શું તારો બાપ પણ વંદે માતરમ બોલશે.' તે ઉપરાંત તેમણે કહ્યું કે જે મંદિરો અપૂજ્ય પડ્યા છે, અમે નવા મંદિરો બનાવીએ છીએ એમાં કેટલાક પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો છે. પરંતુ આપણા હિન્દુઓની ઉદાસીનતાને કારણે એવા ઉપેક્ષિત મંદિરો પડ્યા છે એટલે સંતોની જવાબદારી છે કે બધા મંદિરોનો જર્ણોદ્ધાર, સ્વચ્છ કરવામાં આવે. લોકોને મંદિર તરફ વાળે. કારણ કે, મંદિરો આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે