અમદાવાદમાં સંત સંમેલનમાં દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજનો હુંકાર, 'જ્ઞાનવાપી અને મથુરા માટે પણ લડીશું અને જીતીશું'


  • Published By :
  • Published Date : 2024-02-04 19:45:45

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર તથા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આજે દસ્ક્રોઇના પાલડી-કાંકજ નજીક આવેલા નકલંગ મહાદેવ મંદિર ખાતે સંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સંતો-મહંતો ધર્માચાર્ય મહામંડલેશ્વર સહિતના 200થી વધુ સંતો આ સંમેલનમાં હાજરી આપી હતી. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે સંત સંમેલનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, અમે સંતોએ નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં વર્ષો જૂના બંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી પૂજા ફરી શરૂ કરવામાં આવશે. જ્ઞાનવાપી અને મથુરા પર દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે નિવેદન આપતાં કહ્યું, અયોધ્યા તો હજુ શરૂઆત છે, રામલલા બિરાજમાન થતાં જ જ્ઞાનવાપીનું તાળું તૂટ્યુ. મથુરા મંદિરને લઈને પણ એટલો જ ઉત્સાહ છે, કાશી અને મથુરા માટે પણ લડીશુ અને જીતીશું.


દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે શું કહ્યું

દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, સિંગલ પ્રસ્તાવમાં અયોધ્યા, કાશી અને મથુરા એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અમે કોઈ કપટ કર્યું નથી. અમે ભારતીય સંવિધાનમાં આસ્થા વ્યક્ત કરીને આગળ વધી રહ્યા છીએ. કોર્ટ મારફત તો જવાબ એને દેવો પડશે. 1993માં જ્ઞાનવાપીમાં પૂજારીને ધમકી આપીને પૂજા બંધ કરાવી હતી. જે લોકોએ પૂજા બંધ કરાવી તેમાં જિલ્લા જજે એવું પૂછ્યું કે, પૂજા કેમ બંધ થઈ? જ્ઞાનવાપી મસ્જિદની ચારેય બાજુ બેરિકેટ છે એનો લેખિત ઓર્ડર કયાં છે? કોના આદેશથી બેરિકેટ કરવામાં આવી છે.  બેરિકેટ કે પૂજા બંધ કરવાનો ઓર્ડર તેમની પાસે નથી. આથી છળ તો તેઓએ કર્યું છે અને જવાબ પણ એ લોકોએ દેવો પડી રહ્યો છે. જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ મથુરા અમને મળશે જ મળશે. સાથોસાથ ગુજરાતમાં નિર્ણય એવો પણ કર્યો કે, લાંબા સમયથી અને જૂના મંદિરો બંધ છે તેનો જીર્ણોદ્ધાર થાય અને લોકો મંદિરમાં જાય. અમારે જ તેની રક્ષા કરવાની છે. એક દિવસ ગામના લોકો સાથે મંદિરને સ્વચ્છ કરી પૂજા કરાવવાની છે.


ગોપાલદાસજી મહારાજે ઔવેસી પર કર્યા પ્રહાર 

સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા ગોપાલદાસજી મહારાજે સંતોને સંબોધતા અસદુદ્દિન ઔવૈસીને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હૈદરાબાદનું કોઈ કૂતરું બોલે છે કે 'મારાં ગળા ઉપર કોઈ તલવાર મૂકે તો પણ ભારત માતાની જય નહી બોલું, સાંભળી લે હૈદરાબાદના કૂતરા, જે દિવસ સનાતન સાંસદમાં પહોંચશે તું શું તારો બાપ પણ વંદે માતરમ બોલશે.' તે ઉપરાંત તેમણે કહ્યું કે જે મંદિરો અપૂજ્ય પડ્યા છે, અમે નવા મંદિરો બનાવીએ છીએ એમાં કેટલાક પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો છે. પરંતુ આપણા હિન્દુઓની ઉદાસીનતાને કારણે એવા ઉપેક્ષિત મંદિરો પડ્યા છે એટલે સંતોની જવાબદારી છે કે બધા મંદિરોનો જર્ણોદ્ધાર, સ્વચ્છ કરવામાં આવે. લોકોને મંદિર તરફ વાળે. કારણ કે, મંદિરો આપણી સંસ્કૃતિનું કેન્દ્ર છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.