દર્શન રાવલના આ સોન્ગે મચાવી દીધી ધમાલ, સ્પોટિફાય ડેલી ચાર્ટમાં આ ક્રમે આવ્યું આલ્બમ સોન્ગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-12 08:23:34

આપણું ગુજરાતી કલ્ચર અને તેના ગીતોને બોલિવુડમાં એક આગવું સ્થાન મળી રહ્યું છે. આજકાલ એવી અનેક બોલિવુડની ફિલ્મો આવી રહી છે જેમાં ગુજરાતીપણું અને ગુજરાતી કલ્ચર તેમજ ગુજરાતી ગીતોની જલક જોવા મળે છે. થોડા સમયથી બોલિવુડની એવી અનેક ફિલ્મો છે જેની આખી સ્ટોરી ગુજરાતી ફેમેલી પર આધારિત હોય અથવા તો ગુજરાતી સાહિત્યથી પ્રેરિત ગીતોને ફિલ્મોમાં સ્થાન આપવામાં આવે છે. બોલિવુડની ફિલ્મોમાં ગુજરાતી ગરબાનું રિમિક્સ કરેલા સોંગ્સ, છોગાળા તારા થી લઈને મોર બની થનગાટ કરે જેવા ગુજરાતી ગીતોને સ્થાન મળ્યું છે. ગુજરાતી સાહિત્યથી પ્રેરિત થયેલા ગીતો ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે પ્રખ્યાત થયા છે. આદિત્ય ગઢવી, પાર્થ ઓઝા સહિત એવા અનેક ગાયકો છે જેઓ ગુજરાતી ગીતોને અલગ મૂકામ પર લઈ ગયા છે. ત્યારે બોલિવુડમાં ગુજરાતી ભાષાને આગવું સ્થાન અપાવનાર એવા દર્શન રાવલની વાત કરવી છે.

  


189 ક્રમે આવ્યું દર્શન રાવલનું આ સોન્ગ 

દર્શન રાવલ આમ તો ગુજરાતી છે પરંતુ તેમનો અવાજ દુનિયાભરમાં ગુંજી રહ્યો છે. બોલિવુડના અનેક ગીતોમાં તેમણે અવાજ આપ્યો છે. ત્યારે થોડા સમય પહેલા મેરે માહિયા જીના સોના સોન્ગ રિલીઝ થયું હતું જે બાદ દર્શનનો અવાજ ન માત્ર ભારતમાં પરંતુ દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે. સ્પોટિફાય પર તેમના આ સોન્ગે પોતાનું સ્થાન બનાવ્યું છે. જે લિસ્ટમાં સોન્ગે સ્થાન મેળવ્યું છે તે 9-7-2023નું છે. સ્પોટિફાય ગ્લોબલ પ્લેલિસ્ટ રિલીઝ કરે છે. તેમાં દર્શન રાવલના આ સોન્ગે ગ્લોબલ રેન્કિંગમાં 189મું સ્થાન મેળવ્યું છે. સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ કરી છે જેમાં આ અંગેની માહિતી આપી હતી. આ સોન્ગ દર્દ આલ્બમ -2નું છે. અને હવે 18 જુલાઈએ આ આલ્બમનું બીજું સોન્ગ 'લો આઈ બરસાત' રિલીઝ થવાનું છે.    

MAHIYE JINNA SOHNA LYRICS - Darshan Raval | iLyricsHub

આ આલ્બમ તેના દિલથી ખૂબ નજીક છે - દર્શન રાવલ

આલ્બમ દર્દ-2નું આ સોન્ગ જ્યારે રિલીઝ થયું હતું ત્યારે દર્શન રાવલે કહ્યું કે આ આલ્બમ તેમના દિલના ખૂબ નજીક છે. તેમણે કહ્યું હતું કે હું આશા રાખું છું કે આ ગીત ફેન્સના દિલને સ્પર્શી જશે. જે બેનર હેઠળ આ આલ્બમ રિલીઝ થયું છે તેમણે કહ્યું કે દર્શનની પ્રતિભા અને સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. 


આંતરરાષ્ટ્રીય સ્તરે દર્શને અમદાવાદનું નામ કર્યું રોશન 

આમ, એક ગુજરાતી ગાયક વિશ્વસ્તરે આટલી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યાં છે, તેના કારણે એક ગુજરાતી તરીકે આપણે પણ ગર્વ કરવો જોઈએ. દર્શન રાવલ હવે માત્ર અમદાવાદ અને ગુજરાતના જ નહીં પરંતુ રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત અને અમદાવાદનું નામ રોશન કરી રહ્યાં છે. 



મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.