દર્શન રાવલના આ સોન્ગે મચાવી દીધી ધમાલ, સ્પોટિફાય ડેલી ચાર્ટમાં આ ક્રમે આવ્યું આલ્બમ સોન્ગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-12 08:23:34

આપણું ગુજરાતી કલ્ચર અને તેના ગીતોને બોલિવુડમાં એક આગવું સ્થાન મળી રહ્યું છે. આજકાલ એવી અનેક બોલિવુડની ફિલ્મો આવી રહી છે જેમાં ગુજરાતીપણું અને ગુજરાતી કલ્ચર તેમજ ગુજરાતી ગીતોની જલક જોવા મળે છે. થોડા સમયથી બોલિવુડની એવી અનેક ફિલ્મો છે જેની આખી સ્ટોરી ગુજરાતી ફેમેલી પર આધારિત હોય અથવા તો ગુજરાતી સાહિત્યથી પ્રેરિત ગીતોને ફિલ્મોમાં સ્થાન આપવામાં આવે છે. બોલિવુડની ફિલ્મોમાં ગુજરાતી ગરબાનું રિમિક્સ કરેલા સોંગ્સ, છોગાળા તારા થી લઈને મોર બની થનગાટ કરે જેવા ગુજરાતી ગીતોને સ્થાન મળ્યું છે. ગુજરાતી સાહિત્યથી પ્રેરિત થયેલા ગીતો ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે પ્રખ્યાત થયા છે. આદિત્ય ગઢવી, પાર્થ ઓઝા સહિત એવા અનેક ગાયકો છે જેઓ ગુજરાતી ગીતોને અલગ મૂકામ પર લઈ ગયા છે. ત્યારે બોલિવુડમાં ગુજરાતી ભાષાને આગવું સ્થાન અપાવનાર એવા દર્શન રાવલની વાત કરવી છે.

  


189 ક્રમે આવ્યું દર્શન રાવલનું આ સોન્ગ 

દર્શન રાવલ આમ તો ગુજરાતી છે પરંતુ તેમનો અવાજ દુનિયાભરમાં ગુંજી રહ્યો છે. બોલિવુડના અનેક ગીતોમાં તેમણે અવાજ આપ્યો છે. ત્યારે થોડા સમય પહેલા મેરે માહિયા જીના સોના સોન્ગ રિલીઝ થયું હતું જે બાદ દર્શનનો અવાજ ન માત્ર ભારતમાં પરંતુ દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે. સ્પોટિફાય પર તેમના આ સોન્ગે પોતાનું સ્થાન બનાવ્યું છે. જે લિસ્ટમાં સોન્ગે સ્થાન મેળવ્યું છે તે 9-7-2023નું છે. સ્પોટિફાય ગ્લોબલ પ્લેલિસ્ટ રિલીઝ કરે છે. તેમાં દર્શન રાવલના આ સોન્ગે ગ્લોબલ રેન્કિંગમાં 189મું સ્થાન મેળવ્યું છે. સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ કરી છે જેમાં આ અંગેની માહિતી આપી હતી. આ સોન્ગ દર્દ આલ્બમ -2નું છે. અને હવે 18 જુલાઈએ આ આલ્બમનું બીજું સોન્ગ 'લો આઈ બરસાત' રિલીઝ થવાનું છે.    

MAHIYE JINNA SOHNA LYRICS - Darshan Raval | iLyricsHub

આ આલ્બમ તેના દિલથી ખૂબ નજીક છે - દર્શન રાવલ

આલ્બમ દર્દ-2નું આ સોન્ગ જ્યારે રિલીઝ થયું હતું ત્યારે દર્શન રાવલે કહ્યું કે આ આલ્બમ તેમના દિલના ખૂબ નજીક છે. તેમણે કહ્યું હતું કે હું આશા રાખું છું કે આ ગીત ફેન્સના દિલને સ્પર્શી જશે. જે બેનર હેઠળ આ આલ્બમ રિલીઝ થયું છે તેમણે કહ્યું કે દર્શનની પ્રતિભા અને સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. 


આંતરરાષ્ટ્રીય સ્તરે દર્શને અમદાવાદનું નામ કર્યું રોશન 

આમ, એક ગુજરાતી ગાયક વિશ્વસ્તરે આટલી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યાં છે, તેના કારણે એક ગુજરાતી તરીકે આપણે પણ ગર્વ કરવો જોઈએ. દર્શન રાવલ હવે માત્ર અમદાવાદ અને ગુજરાતના જ નહીં પરંતુ રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત અને અમદાવાદનું નામ રોશન કરી રહ્યાં છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.