મા-બાપ મર્યાદા ભૂલ્યા, પુત્ર-પુત્રવધૂની અંગત પળોનો વીડિયો કર્યો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-14 15:09:30

સમાજમાં ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે કોઈ પણ સંવેદનશીલ માણસને હચમચાવી નાખે છે. રાજકોટમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં સાસુ-સસરાએ પોતાના જ પુત્ર અને પુત્રવધુના અંગતપળોના વીડિયો સોશિયલ મીડિયા પર મુકી દીધા હતા. સાસુ-સસરા તેના પતિ સાથેની અંગત પળોનો વીડિયો વેબસાઇટ પર મૂકી કમાણી કરતા હોવાનું જાણવા મળ્યું છે. પીડિતા પુત્રવધુએ જ આ આક્ષેપ તેના સાસુ-સસરા પર લગાવ્યા છે. પરિણીતાની આ પોલીસ ફરિયાદ બાદ પોલીસે સાસુ સસરા સામે કાર્યવાહી આરંભી છે. રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતારી વેબસાઈટ પર મુકતા ખળભળાટ મચી ગયો છે. 


કમાણી કરવા સાસુ-સસરાએ તમામ હદ વટાવી


આ ઘટના અંગે મળતી માહિતી મુજબ,  યુવતીની ઉંમર માત્ર 21 વર્ષની છે. યુવતીના સાસુ-સસરા તેને પતિ સાથે અંગત પળો માણવા મજબૂર કરતા હતા. તેઓ તેને કહેતા કે તું અંગત પળો માણ, તેઓ તેના પતિ સાથેની અંગત પળોનો વીડિયો વેબસાઈટ પર મુકીને રૂપિયા કમાતા હતા. યુવતીએ ઘણીવાર તેમની સામે વિરોધ કર્યો હતો, પરંતુ તેઓ તેના પર દબાણ કરતા રહ્યા હતા. પણ યુવતીએ જ્યારે હકીકત જાણી ત્યારે તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. યુવતીએ જાણ્યું કે તેના સાસુ-સસરાએ આ અંગત પળોનો વીડિયો બન્યો છે અને તે હવે સરે આમ લોકો જોઈ શકે છે. યુવતીને આ વાતની ખબર પડતાં તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


વહેલી ડિલિવરી માટે પુત્રવધૂ પર દબાણ


રાજકોટના ધનિક પરિવારની 21 વર્ષીય પુત્રવધૂએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે, લગ્નના બે વર્ષમાં જ લાલચુ સાસરિયાએ તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે. સાસુ-સાસરિયાએ જ પુત્ર અને પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતાર્યા હતા. એટલું નહીં આ વીડિયોને વેબસાઇટ પર પણ મૂક્યા હતા. તો વેબ કેમેરાથી 10 વખત તેમની અંગત પળોને લાઈવ કરી હતી. અંધશ્રદ્ધાળુ સસરાએ અનેક વખત દોરા-ધાગા પહેરાવી તેની વિધિ કરાવી હતી. તો સાસુ-સસરા દ્વારા વહેલી ડિલિવરી કરવા માટે પુત્રવધૂ પર દબાણ કરવામાં આવતું હતું. તેમજ વહેલી ડિલિવરી નહીં કરે તો પતિનું મૃત્યુ થશે તેવું કહીને તેને ડરાવતા હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.