મહીસાગર નદીમાંથી કોથળામાં ભરેલ યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર, પરિવારનો રેપ વિથ મર્ડરનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-22 14:57:44

મહીસાગર નદીમાંથી કોથળામાં ભરેલ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે સાંજે મહીસાગર નદીમાંથી મળેલો આ મૃતદેહ કોઈ યુવતીનો હોવાનું  જાણવા મળ્યું છે. ઘટનાના સમાચાર મળતા જ બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતા. 


મેળામાંથી ગુમ થઈ હતી યુવતી 


પરિવારજનો પાસેથી મળેલી જાણકારી મુજબ આ 19 યુવતી 4 દિવસ અગાઉ કારંટા ગામે ઉરસના મેળામાંથી યુવતી ગુમ થઈ હતી. ખાનપુરના નાનાખાનપુર ગામની આ યુવતીની લાશ મળતા જ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ યુવતીની ઓળખ કરી લીધી છે. બાકોર પોલીસ ઉપરાંત ખાનપુર પોલીસ સહિત નાયબ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે બાકોર સી એચ સી ખાતે મોકલવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે બાકોર પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. 


પરિવારજનોનો રેપ વિથ મર્ડરનો આરોપ


મૃતક યુવતીના અકાળ મોતને લઈને પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ છે. સમગ્ર પંથકમાં પણ રોષનો માહોલ છે. પરિવારજનોએ યુવતીના મોત અંગે ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા યુવતી પર પહેલા દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.