મહીસાગર નદીમાંથી કોથળામાં ભરેલ યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર, પરિવારનો રેપ વિથ મર્ડરનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-22 14:57:44

મહીસાગર નદીમાંથી કોથળામાં ભરેલ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે સાંજે મહીસાગર નદીમાંથી મળેલો આ મૃતદેહ કોઈ યુવતીનો હોવાનું  જાણવા મળ્યું છે. ઘટનાના સમાચાર મળતા જ બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતા. 


મેળામાંથી ગુમ થઈ હતી યુવતી 


પરિવારજનો પાસેથી મળેલી જાણકારી મુજબ આ 19 યુવતી 4 દિવસ અગાઉ કારંટા ગામે ઉરસના મેળામાંથી યુવતી ગુમ થઈ હતી. ખાનપુરના નાનાખાનપુર ગામની આ યુવતીની લાશ મળતા જ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ યુવતીની ઓળખ કરી લીધી છે. બાકોર પોલીસ ઉપરાંત ખાનપુર પોલીસ સહિત નાયબ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે બાકોર સી એચ સી ખાતે મોકલવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે બાકોર પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. 


પરિવારજનોનો રેપ વિથ મર્ડરનો આરોપ


મૃતક યુવતીના અકાળ મોતને લઈને પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ છે. સમગ્ર પંથકમાં પણ રોષનો માહોલ છે. પરિવારજનોએ યુવતીના મોત અંગે ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા યુવતી પર પહેલા દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.