મહીસાગર નદીમાંથી કોથળામાં ભરેલ યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર, પરિવારનો રેપ વિથ મર્ડરનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-22 14:57:44

મહીસાગર નદીમાંથી કોથળામાં ભરેલ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે સાંજે મહીસાગર નદીમાંથી મળેલો આ મૃતદેહ કોઈ યુવતીનો હોવાનું  જાણવા મળ્યું છે. ઘટનાના સમાચાર મળતા જ બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતા. 


મેળામાંથી ગુમ થઈ હતી યુવતી 


પરિવારજનો પાસેથી મળેલી જાણકારી મુજબ આ 19 યુવતી 4 દિવસ અગાઉ કારંટા ગામે ઉરસના મેળામાંથી યુવતી ગુમ થઈ હતી. ખાનપુરના નાનાખાનપુર ગામની આ યુવતીની લાશ મળતા જ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ યુવતીની ઓળખ કરી લીધી છે. બાકોર પોલીસ ઉપરાંત ખાનપુર પોલીસ સહિત નાયબ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે બાકોર સી એચ સી ખાતે મોકલવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે બાકોર પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. 


પરિવારજનોનો રેપ વિથ મર્ડરનો આરોપ


મૃતક યુવતીના અકાળ મોતને લઈને પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ છે. સમગ્ર પંથકમાં પણ રોષનો માહોલ છે. પરિવારજનોએ યુવતીના મોત અંગે ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા યુવતી પર પહેલા દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.